મકર સંક્રાંતિએ તાંબાના લોટાથી સૂર્યદેવને જળ ચઢાવો અને તલ-ગોળનું જરૂરિયાતમંદ લોકોને દાન કરો

મકર સંક્રાંતિએ તાંબાના લોટાથી સૂર્યદેવને જળ ચઢાવો અને તલ-ગોળનું જરૂરિયાતમંદ લોકોને દાન કરો

શનિવાર, 14 જાન્યુઆરીના રોજ સૂર્યપૂજાનો મહાપર્વ મકર સંક્રાંતિ અને ઉત્તરાયણ છે. સૂર્યને પંચદેવોમાંથી એક અને નવ ગ્રહોનો રાજા માનવામાં આવે છે. ભવિષ્ય પુરાણમાં શ્રીકૃષ્ણએ પોતાના પુત્ર સાંબને સૂર્ય પૂજાનું મહત્ત્વ સમજાવ્યું હતું. સૂર્યની પૂજા રોજ કરવી જોઇએ. જ્યોતિષ માન્યતા પ્રમાણે કુંડળીમાં સૂર્ય ગ્રહની શુભ-અશુભ સ્થિતિની સારી કે ખરાબ અસર આપણાં જીવન ઉપર પણ થાય છે. જે લોકોની કુંડળીમાં સૂર્યની સ્થિતિ શુભ છે, તેમને સમાજમાં માન-સન્માન મળે છે.

મકર સંક્રાંતિએ સૂર્યની વિશેષ પૂજા કરો. ૐ સૂર્યાય નમઃ, ૐ મિત્રાય નમઃ, ૐ ભાસ્કરાય નમઃ કે ૐ આદિત્યાય નમઃ મંત્રનો જાપ ઓછામાં ઓછો 108વાર કરો.

સૂર્ય પૂજા કરતી સમયે આ વાતોનું ધ્યાન રાખો
મકર સંક્રાંતિએ સવારે સ્નાન પછી ભગવાન સૂર્યને જળ અર્પણ કરો. તેના માટે તાંબાના લોટામાં જળ ભરો. લોટામાં ચોખા, ફૂલ રાખીને સૂર્યને અર્ઘ્ય આપો. જળ ચઢાવ્યા પછી સૂર્ય મંત્ર સ્તુતિનો પાઠ કરો. આ પાઠ સાથે શક્તિ, બુદ્ધિ, સ્વાસ્થ્ય અને સન્માનની કામના સાથે કરો.

સૂર્ય મંત્ર સ્તુતિ
नमामि देवदेवशं भूतभावनमव्ययम्।
दिवाकरं रविं भानुं मार्तण्डं भास्करं भगम्।।
इन्द्रं विष्णुं हरिं हंसमर्कं लोकगुरुं विभुम्।
त्रिनेत्रं त्र्यक्षरं त्र्यङ्गं त्रिमूर्तिं त्रिगतिं शुभम्।।

સૂર્યની મૂર્તિ સામે કે સૂર્યનું ધ્યાન કરતી વખતે ઘરના મંદિરમાં ધૂપ, દીપ પ્રગટાવો. સૂર્યનું પૂજન કરો. આ દિવસે સૂર્યને લગતી વસ્તુઓ જેમ કે તાંબાના વાસણ, પીળા કે લાલ વસ્ત્ર, ઘઉં, ગોળ, માણિક્ય, લાલ ચંદન વગેરેનું દાન કરો.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow