શિવલિંગ પર દરરોજ ચડાવો આ વસ્તુઓ: ભોલેનાથ થશે પ્રસન્ન, ઘરમાં હંમેશા રહેશે સુખ-સમૃદ્ધી

શિવલિંગ પર દરરોજ ચડાવો આ વસ્તુઓ: ભોલેનાથ થશે પ્રસન્ન, ઘરમાં હંમેશા રહેશે સુખ-સમૃદ્ધી

એવી માન્યતા છે કે જે વ્યક્તિને ભગવાન શંકરની કૃપા મળે છે, તેનું જીવન સમૃદ્ધ બને છે અને તેને મોક્ષની પ્રાપ્તિ થાય છે. ભોલેશંકરને પ્રસન્ન કરવા સૌથી સરળ છે. તેથી જ તેમને ભોલેનાથ કહેવામાં આવે છે. આવી સ્થિતિમાં ભક્તો મહાદેવને પ્રસન્ન કરવા માટે પૂજા-પાઠ અને અલગ અલગ ઉપાયો કરે છે. ખાસ કરીને સોમવાર ભગવાન શિવને સમર્પિત છે. જો આ દિવસે શિવલિંગ પર કેટલીક વસ્તુઓ ચઢાવવામાં આવે તો તે જલ્દી ખુશ થઈ જાય છે.

ચોખા
ભગવાન ભોલેનાથની કૃપા મેળવવા માટે સોમવારે શિવલિંગ પર કાચા ચોખા ચઢાવો. જો કે, આ સમય દરમિયાન ધ્યાન રાખો કે ચોખાનો એક પણ દાણો તૂટેલો અથવા તો ખંડીત ન હોવો જોઈએ. આમ કરવાથી ભગવાન શંકર જલ્દી પ્રસન્ન થઈ જાય છે અને ભક્તોની દરેક મનોકામના પૂર્ણ કરે છે.

આર્થિક તંગી થશે દૂર
આ સાથે શિવલિંગ પર દરરોજ પાંચ દાણા ચોખા અર્પણ કરો. આમ કરવાથી વ્યક્તિના ઘરમાં હંમેશા ધન-ધાન્ય અને સુખ-સમૃદ્ધિ બની રહે છે અને તેને ધન સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડતો નથી.

દાન
સોમવારે શિવલિંગની પૂજા કરતી વખતે પૂજામાં 11 મુઠ્ઠી કાચા ચોખા મુકો. એક મુઠ્ઠી ચોખા શિવલિંગ પર અર્પણ કરો અને બાકીના ચોખા મંદિરમાં અથવા કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને દાન કરો. આ ઉપાય સતત સાત સોમવાર કરો. આમ કરવાથી ભગવાન શંકર પ્રસન્ન થાય છે અને ધન પ્રાપ્તિનો માર્ગ મોકળો થાય છે.

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow