નવરાત્રિમાં મેટ્રો: નરેન્દ્ર મોદી 30 સપ્ટેમ્બરે થલતેજથી વસ્ત્રાલ - અમદાવાદ મેટ્રો ટ્રેનને લીલી ઝંડી આપશે
મેટ્રો ટ્રેનનો પહેલો ફેઝ 40 કિલોમીટરનો અને 32 સ્ટેશન
અમદાવાદમાં દોડનારી મેટ્રો ટ્રેનનો પહેલો ફેઝ 40 કિલોમીટરનો છે, જેમાં પૂર્વ અને પશ્ચિમ તેમજ ઉત્તર અને દક્ષિણ એમ બે કોરિડોર પર મેટ્રો ટ્રેન દોડશે. ફેઝ-1માં 32 સ્ટેશનનો સમાવેશ કરવામાં આવ્યો છે. પૂર્વ અને પશ્ચિમ કોરિડોર 21.16 કિલોમીટરનો છે, જે થલતેજ ગામથી લઈને વસ્ત્રાલ એપરલ પાર્ક સુધીનો છે, જેમાં 17 સ્ટેશન છે. ઉત્તર અને દક્ષિણ કોરિડોર 18.87 કિલોમીટરનો રહેશે, જે વાસણા APMCથી લઈને મોટેરા ગામ સુધીનો છે, જેમાં 15 સ્ટેશન આવે છે.
મેટ્રો ટ્રેનમાં માત્ર 7 મિનિટમાં જ કાંકરિયા પહોંચી જવાશે
21 કિલોમીટર લાંબા આ કોરિડોરની ખાસિયત એ છે કે મેટ્રો ટ્રેન નદીની પરથી પસાર થાય છે અને શહેરના નીચેથી પણ પસાર થાય છે. શહેરનો ભરચક ટ્રાફિક વિસ્તારની નીચેથી ટ્રેન પસાર થઈ કાંકરિયા પૂર્વમાં બહાર નીકળશે. મેટ્રો ટ્રેન શાહપુર દરવાજાથી કાંકરિયા પૂર્વ સુધી અન્ડરગ્રાઉન્ડ 6.5 કિલોમીટર દોડવાની છે. આ અન્ડરગ્રાઉન્ડ ટનલમાં શાહપુર, ઘી કાંટા, કાલુપુર અને કાંકરિયા પૂર્વ એમ કુલ 4 સ્ટેશન આવશે. હાલના સમયમાં જો વાહન લઈને શાહપુરથી કાંકરિયા જવું હોય તો દિલ્હી દરવાજા, કાલુપુર, સારંગપુર અને કાંકરિયા ઝૂ તરફ જતાં 30 મિનિટ થાય, પરંતુ મેટ્રો ટ્રેનમાં માત્ર 7 મિનિટમાં જ કાંકરિયા પહોંચી જવાશે
પૂર્વ અને પશ્ચિમ કોરિડોરમાં કયાં સ્ટેશનો હશે
થલતેજ ગામ
દૂરદર્શન કેન્દ્ર
ગુજરાત યુનિવર્સિટી
કોમર્સ છ રસ્તા
સ્ટેડિયમ
જૂની હાઈકોર્ટ
શાહપુર
ઘી કાંટા
કાલુપુર રેલવે સ્ટેશન
કાંકરિયા પૂર્વ
એપરેલ પાર્ક
અમરાઈવાડી
રબારી કોલોની
વસ્ત્રાલ
નિરાંત ક્રોસ રોડ
વસ્ત્રાલ ગામ