હવે આ ડેરીએ એક ઝાટકે 40 કર્મચારીને નોકરીમાંથી કાઢી મુક્યા, જાણો મામલો

મહેસાણામાં આવેલ દૂધસાગર ડેરીએ 40 કર્મચારીઓને છૂટા કર્યા છે. જોકે કર્મચારીઓની ટ્રાયલ બેજથી ભરતી કરવામાં આવી હતી. પશુપાલન વિદ્યાપીઠ અભ્યાસક્રમ ઉપર 1 વર્ષથી 40 જેટલા કર્મચારી રાજસ્થાનમાં ફરજ બજાવી રહ્યા હતા. ત્યારબાદ કર્મચારીઓનો અભ્યાસક્રમ યોગ્ય ન હોવાનું કારણ આપી છૂટા કરી દેવામાં આવ્યા છે. ઓડિટરના રિપોર્ટ બાદ સંબંધિત વિભાગ દ્વારા આ આકરો નિર્ણય લેવામાં આવ્યો છે. ડેરી દ્વારા એક ઝાટકે 40 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી નાખતા કર્મચારીઓમાં પણ રોષ ફેલાયો છે.
દૂધ સાગર ડેરીએ 24 ડિસેમ્બરે ભાવ વધારા કર્યો હતો
મહેસાણાની દૂધ સાગર ડેરીએ 24 ડિસેમ્બરે ભાવ વધારાની જાહેરાત કરી હતી. દૂધ સાગર ડેરીએ દૂધના ખરીદ ભાવમાં વધારો કર્યો હતો. પશુપાલકોને કિલો ફેટ દીઠ 750ના બદલે રૂ.770 ચૂકવાશે. આ નિર્ણયથી પ્રતિ કિલો ફેટ 20 રૂપિયા વધુ લાભ થશે. નવા વર્ષ એટલે કે 1 જાન્યુઆરીથી નવો ભાવ વધારો અમલીકરણમાં મુકાશે.