હવે પર્સનાલિટી મુજબ સિગ્નેચર ડિઝાઇન કરાવવાનો ટ્રેન્ડ

હવે પર્સનાલિટી મુજબ સિગ્નેચર ડિઝાઇન કરાવવાનો ટ્રેન્ડ

એક જ રીતે હસ્તાક્ષર કરવાથી કંટાળો આવી શકે છે. તો હવે હસ્તાક્ષરની પણ કૉસ્મેટિક સર્જરી થઇ રહી છે. ડૉક્ટર, વકીલ અને જાણીતી હસ્તિઓ વિશિષ્ટ અંદાજમાં સાઇન કરવા માટે તેમની કૉસ્મેટિક સર્જરીનો રસ્તો પસંદ કરી રહ્યાં છે. તેના માટે તેઓ કેલિગ્રાફરની સેવાઓ લઇ રહ્યાં છે. લૉસ એન્જલસમાં કેલિગ્રાફર પ્રિસિલા મોલિનાની પાસે મહિનામાં તેના માટે 300 ગ્રાહકો આવે છે. તેઓ સાઇનની કૉસ્મેટિક સર્જરીના પોતાના પેકેજમાં નક્કી કિંમતના બદલે ત્રણ ડિઝાઇન પ્રસ્તાવિત કરે છે. તેમનું કહેવું છે કે પ્રસિદ્ધ અને પ્રોફેશનલ લોકો પોતાની સાઇનને નવો લૂક આપવા માંગે છે.

સાઇન બદલવાની ઇચ્છાની પાછળ તેઓ એક જ કારણ માને છે કે આ લોકો હવે પોતાના નામની સાઇન કરવાથી કંટાળી ગયા છે. મોલિના કહે છે કે તેઓ પોતાની સાઇનથી ખુશ નથી. અત્યારની સાઇન તેમના વ્યક્તિત્વ સાથે બંધબેસતી નથી. તેઓ દુનિયાને જે સંદેશ આપવા માંગે છે તે અત્યારના હસ્તાક્ષરથી કરી શકતા નથી. મિસૌરીમાં સેંટ લુઇમાં સાઇનના કોસ્ટમેટિક સર્જન સોનિયા પલામંદ કહે છે કે આ લોકોને પોતાને નવી રીતે શોધવાની રીત છે. તમે જે રીતે તમારી જાતને લોકો સમક્ષ પ્રસ્તુત કરો છો, તે તેને પ્રભાવિત કરે છે કે તમે પોતાને કઇ રીતે જુઓ છો. એટલે જ સિગ્નેચર તમારી ઝલક આપે છે. તે તમારા વ્યક્તિત્વની અભિવ્યક્તિ કરે છે.

રોજ અભ્યાસથી 3 દિવસમાં નવા સિગ્નેચરમાં કુશળ
કેલિગ્રાફર્સનું કહેવું છે કે 15 થી 20 મિનિટના દૈનિક અભ્યાસથી લોકો ત્રણ દિવસમાં તેમના નવા હસ્તાક્ષર કરવામાં માહિર થઇ જાય છે. તમે નવું કરવામાં કેટલી રૂચિ ધરાવો છો તેના પર નિર્ભર કરે છે. ગ્રાહકોને તેમના ટેમ્પલેટ અને સ્ટેંસિલ્સ પર અભ્યાસ કરવાનું કહેવાય છે. અભ્યાસથી નવો લૂક મળી જાય છે.

Read more

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

બોલિવૂડના દિગ્ગજ એક્ટર સૈફ અલી ખાન અને એક્ટ્રેસ અમૃતા સિંહની દીકરી સારા અલી ખાને પોતાની મહેનત, સમર્પણ અને પ્રતિભાથી ઈન્ડસ્ટ્રીમાં પોતાનુ

By Gujaratnow
ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

રાજકોટનાં વિરાણી ચોકમાં આજે (12 ઓગસ્ટ) NSUI અને કોંગ્રેસનાં આગેવાનો દ્વારા લોકશાહી બચાવવા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસનાં આગેવાનોએ વિવિ

By Gujaratnow
અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

મદુરાઈના એક બારમાં હાર્દિકસિંહ જાડેજા નામનો શખ્સ બેઠો હતો. જો કે આ સમયે તેના મનમાં ઝડપાઈ જવાનો ડર હતો. જેથી તે તુરંત જ ત્યાંથી ભાગીને કેરળના કો

By Gujaratnow
વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

ગઈકાલે (10 ઓગસ્ટ,2025) નખત્રણામાં કચ્છ કડવા પાટીદાર સમાજના કાર્યક્રમમાં વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી.પટેલે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે

By Gujaratnow