હવે જવાનોને બરછટ અનાજની સ્વાદિષ્ટ વાનગીઓ પીરસાશે

હવે જવાનોને બરછટ અનાજની સ્વાદિષ્ટ વાનગીઓ પીરસાશે

ભારતીય સેનાની ભોજનની થાળીમાં આશરે 50 વર્ષ બાદ મોટા ફેરફાર કરવાની તૈયારી કરાઇ છે. પહેલી એપ્રિલથી તમામ યુનિટોમાં આની શરૂઆત થવા જઇ રહી છે. હાલ જવાનો અને અધિકારીઓની થાળીમાં બરછટ અનાજ (મિલેટ)નું પ્રમાણ 25 ટકા રહેશે. બાદમાં તેમાં ક્રમશ વધારો કરવાની પણ યોજના છે. સેનાનાં આદેશ મુજબ, બાજરી, જુવાર અને રાગીનાં ઉપયોગની મંજૂરી આપવામાં આવી છે. સારા પરિણામ મળ્યા બાદ અન્ય અનાજ પણ સામેલ કરવામાં આવશે.

હાલમાં થાળીમાં બાકી 75 ટકા પરંપરાગત અનાજ એટલે કે ઘઉં અને ચોખા રહેશે. સેનાનાં તમામ કાર્યક્રમ, મોટા ભોજન અને કેન્ટીનમાં બરછટ અનાજનો ઉપયોગ કરવો પડશે. છાવણી વિસ્તારમાં આવેલી કેન્ટીનોમાં આના માટે અલગ કાઉન્ટર રહેશે.સેનાનાં પ્રવકતા કર્નલ અમિતાભ શર્માએ કહ્યું હતું કે, જવાનો અને અધિકારીઓને પોતાના ઘરમાં પણ બરછટ અનાજનો ઉપયોગ કરવા માટે પ્રોત્સાહન અપાશે. સેના બાદ અર્ધલશ્કરી દળોમાં પણ આ વ્યવસ્થા અમલી કરાશે.

ઘઉં કરતા વધુ પૌષ્ટિક: ડાયટિશિયન દિવ્યા બાવાનાં કહેવા મુજબ બરછટ અનાજમાં ભરપૂર મિલરલ્સ હોય છે. આનાથી પાચન ક્રિયા મજબૂત બને છે. નિયમિત ઉપયોગથી શુગર કાબુમાં રહે છે. મહત્તમ અને લઘુતમ તાપમાનનો સામનો કરવાની શક્તિમાં વધારો થાય છે.

Read more

અહાન-અનિતની રિયલ લાઇફ લવસ્ટોરી; મોલનો રોમાન્સ કેમેરામાં કેદ થયો

અહાન-અનિતની રિયલ લાઇફ લવસ્ટોરી; મોલનો રોમાન્સ કેમેરામાં કેદ થયો

'સૈયારા'એ કમાણીના સંદર્ભમાં ઘણા નવા રેકોર્ડ બનાવ્યા છે અને ફિલ્મ બ્લોકબસ્ટર બની છે. ફિલ્મ બાદ અહાન પાંડે અને અનિત પડ્ડા રાતોરાત

By Gujaratnow
રાજકોટ સેશન્સ કોર્ટે આરોપી ધવલ ઠક્કરના જામીન ના મંજૂર કર્યા

રાજકોટ સેશન્સ કોર્ટે આરોપી ધવલ ઠક્કરના જામીન ના મંજૂર કર્યા

રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડ કેસમાં સેશન્સ કોર્ટ દ્વારા આરોપી ધવલ ઠક્કરના જામીન ના મંજૂર કરવામાં આવ્યા છે. કેસ ચાર્જ ફ્રેમ થયા બાદ

By Gujaratnow
૫૫૦ ખેડૂતોને આર્ટ ઑફ લિવિંગના વાસદ આશ્રમ ખાતે પરંપરાગત કૃષિ વિકાસ યોજનાની તાલીમ આપવામાં આવી

૫૫૦ ખેડૂતોને આર્ટ ઑફ લિવિંગના વાસદ આશ્રમ ખાતે પરંપરાગત કૃષિ વિકાસ યોજનાની તાલીમ આપવામાં આવી

આર્ટ ઑફ લિવિંગના વાસદ આશ્રમ ખાતે પરંપરાગત કૃષિ વિકાસ યોજના અંતર્ગત ૫૫૦ થી વધુ ખેડૂતો માટે વિશેષ તાલીમ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્

By Gujaratnow