હવે જવાનોને બરછટ અનાજની સ્વાદિષ્ટ વાનગીઓ પીરસાશે

હવે જવાનોને બરછટ અનાજની સ્વાદિષ્ટ વાનગીઓ પીરસાશે

ભારતીય સેનાની ભોજનની થાળીમાં આશરે 50 વર્ષ બાદ મોટા ફેરફાર કરવાની તૈયારી કરાઇ છે. પહેલી એપ્રિલથી તમામ યુનિટોમાં આની શરૂઆત થવા જઇ રહી છે. હાલ જવાનો અને અધિકારીઓની થાળીમાં બરછટ અનાજ (મિલેટ)નું પ્રમાણ 25 ટકા રહેશે. બાદમાં તેમાં ક્રમશ વધારો કરવાની પણ યોજના છે. સેનાનાં આદેશ મુજબ, બાજરી, જુવાર અને રાગીનાં ઉપયોગની મંજૂરી આપવામાં આવી છે. સારા પરિણામ મળ્યા બાદ અન્ય અનાજ પણ સામેલ કરવામાં આવશે.

હાલમાં થાળીમાં બાકી 75 ટકા પરંપરાગત અનાજ એટલે કે ઘઉં અને ચોખા રહેશે. સેનાનાં તમામ કાર્યક્રમ, મોટા ભોજન અને કેન્ટીનમાં બરછટ અનાજનો ઉપયોગ કરવો પડશે. છાવણી વિસ્તારમાં આવેલી કેન્ટીનોમાં આના માટે અલગ કાઉન્ટર રહેશે.સેનાનાં પ્રવકતા કર્નલ અમિતાભ શર્માએ કહ્યું હતું કે, જવાનો અને અધિકારીઓને પોતાના ઘરમાં પણ બરછટ અનાજનો ઉપયોગ કરવા માટે પ્રોત્સાહન અપાશે. સેના બાદ અર્ધલશ્કરી દળોમાં પણ આ વ્યવસ્થા અમલી કરાશે.

ઘઉં કરતા વધુ પૌષ્ટિક: ડાયટિશિયન દિવ્યા બાવાનાં કહેવા મુજબ બરછટ અનાજમાં ભરપૂર મિલરલ્સ હોય છે. આનાથી પાચન ક્રિયા મજબૂત બને છે. નિયમિત ઉપયોગથી શુગર કાબુમાં રહે છે. મહત્તમ અને લઘુતમ તાપમાનનો સામનો કરવાની શક્તિમાં વધારો થાય છે.

Read more

ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

• એર ઇન્ડિયા ફ્લાઇટ નંબર AI-171ની દુર્ભાગ્યપૂર્ણ ઘટનાથી સમગ્ર દેશ આઘાતમાં છે, આ અકસ્માતમાં માર્યા ગયેલા મુસાફરોના પરિવારો સાથે તમામ દેશવાસીઓ

By Gujaratnow
ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

શહેરના કોઠારિયા મેઇન રોડ પર રહેતી અને કાયદાનો અભ્યાસ કરતી 23 વર્ષીય યુવતીએ ગંજીવાડા-9માં રહેતા દેવરાજ વાલજી ગોહિલ નામના શખ્સ સામે દુ

By Gujaratnow
ભારત-દક્ષિણ આફ્રિકા પહેલી T20 વરસાદને કારણે રદ

ભારત-દક્ષિણ આફ્રિકા પહેલી T20 વરસાદને કારણે રદ

ભારતના દક્ષિણ આફ્રિકા પ્રવાસની T-20 શ્રેણીની પ્રથમ મેચ વરસાદના કારણે રદ કરવામાં આવી છે. ડરબનમાં મેચ પહેલા જ વરસાદ શરૂ થઈ ગયો હતો અને ટોસ પણ થઈ શક્યો નહોતો

By Gujaratnow