હવે મોબાઇલ ફોન યુઝર્સ ફોનમાં ગૂગલની એપ રાખવી કે નહીં તેનો નિર્ણય જાતે કરી શકશે

હવે મોબાઇલ ફોન યુઝર્સ ફોનમાં ગૂગલની એપ રાખવી કે નહીં તેનો નિર્ણય જાતે કરી શકશે

તમે જ્યારે પણ કોઇ નવો એન્ડ્રોઇડ ફોન ખરીદો છો, ત્યારે તેમાં સૌથી પહેલા ગૂગલની જ કેટલીક એપ ઇન્સ્ટૉલ હોય છે. તમે ઇચ્છો તો પણ તે હટાવી નથી શકતા કારણ કે, ગૂગલ મોબાઇલ ફોન ઉત્પાદન કરતી કંપનીઓને એ જ શરતે એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમ આપે છે કે, તેમણે તે એપ પ્રિ-ઇન્સ્ટૉલ રાખવી પડશે. જોકે, બુધવારે ગૂગલે જાહેરાત કરી કે, હવે મોબાઇલ કંપનીઓ માટે ગૂગલ એપ પ્રિ-ઇન્સ્ટૉલ રાખવા ફરજિયાત નથી.  

આ એપ તેઓ રાખી શકે છે, પરંતુ આ માટે ગૂગલ તરફથી કોઇ દબાણ નથી. ગૂગલ પર આવી જ વિવિધ એપ્સ થકી જાહેરખબરના બજારમાં એકાધિકાર જમાવવાનો આરોપ છે. ગૂગલે આ નિર્ણય લેવો પડ્યો છે કારણ કે, કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયા (સીસીઆઇ)એ ગૂગલને રૂ. 1337.76 કરોડનો દંડ ભરવામાંથી મુક્તિ આપવાનો ઇનકાર કરી દીધો હતો. સીસીઆઇ દ્વારા દંડ ફટાકારાયો તેનું કારણ એ હતું કે, ગૂગલ એન્ડ્રોઇડ ઓએસના બદલામાં બજારમાં પ્રતિસ્પર્ધાના નિયમોનું ઉલ્લંઘન કરતું હતું.

આ નિર્ણયથી યુઝર્સને શું ફર્ક પડશે? દેશમાં 97% મોબાઇલ યુઝર્સ એન્ડ્રોઇડ ફોનનો ઉપયોગ કરે છે. આ નિર્ણય પછી તેમને ફોનમાં ડિફોલ્ટ સર્ચ એન્જિન રાખવાનો વિકલ્પ મળશે. નવો એન્ડ્રોઇડ ફોન કે ટેબલેટ ખરીદતી વખતે સ્ક્રિન પર વિકલ્પો પણ મળશે.

પ્રિ-ઇન્સ્ટૉલ એપ અને પ્લે સ્ટોર થકી ગૂગલ કેવી રીતે એકાધિકાર જમાવતું હતું? ગૂગલ તેની એપ્સની મદદથી એન્ડ્રોઇડ ફોનનો ઉપયોગ કરનારા લોકોનો ડેટા મેળવી લેતું. અમેરિકન સેનેટમાં પણ ગૂગલ પર હરિફ એપ ગૂગલ પ્લે સ્ટોર પરથી દૂર કરવાનો આરોપ મુકાયો હતો.

ગૂગલે જૂની વ્યવસ્થા કેમ બદલવી પડી? એન્ડ્રોઇડ ફોનની ખરીદી વખતે ગૂગલ સર્ચ, મેપ, ક્રોમ, યુ-ટ્યૂબ જેવા ગૂગલના અનેક પ્રિ-ઇન્સ્ટૉલ એપ મળી જતા. યુઝર્સ ઇચ્છે તો પણ તે હટાવી ના શકતા. એટલે કે તેનો ઉપયોગ કરવો ફરજિયાત હતો, જે પ્રતિસ્પર્ધાના નિયમો વિરુદ્ધ છે. પરંતુ નવી વ્યવસ્થામાં યુઝર્સ આ એપ અનઇન્સ્ટૉલ કરી શકશે.

Read more

સુરતમાં લોન અને નોકરીના નામે 1200થી વધુ લોકો છેતરાયા

સુરતમાં લોન અને નોકરીના નામે 1200થી વધુ લોકો છેતરાયા

સુરતમાં ચાલતા કોલ સેન્ટરના માધ્યમથી લોન અને નોકરીના નામે લોકોને ખંખેરતી ગેંગનો પર્દાફાશ થયો છે. 15મી નવેમ્બરે સુરતના ડુમસરોડ અને પાલનપુર ્સથિત બે

By Gujaratnow
પરિણીતાએ પતિ અને પુરુષ મિત્રના ત્રાસથી ગળેફાંસો ખાધો

પરિણીતાએ પતિ અને પુરુષ મિત્રના ત્રાસથી ગળેફાંસો ખાધો

રાજકોટના કોઠારીયા રોડ પર શુભ એપાર્ટમેન્ટમાં રહેતા ડોલીબેન અમિતભાઈ આચાર્ય (ઉ.વ.24)એ 15 નવેમ્બરના રોજ ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો

By Gujaratnow
પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow