હવે નારોલથી વિશાલા તરફ જતા દુર્ગંધ નહીં મારે! પીરાણાના કચરાનો અડધો અડધ ડુંગર દૂર, બનશે ભવ્યાતિભવ્ય ગાર્ડન

હવે નારોલથી વિશાલા તરફ જતા દુર્ગંધ નહીં મારે! પીરાણાના કચરાનો અડધો અડધ ડુંગર દૂર, બનશે ભવ્યાતિભવ્ય ગાર્ડન

અમદાવાદીઓને પીરાણા કચરાના ડુંગરથી થતા પ્રદુષણથી મુક્તિ મળશે. અમદાવાદ કોર્પોરેશન દ્વારા આ કચરાને દૂર કરવાની કામગીરી એટલી ઝડપે કરાઈ રહી છે કે અત્યાર સુધી અડધો કચરાનો ડુંગર દૂર કરાઈ દેવાયો છે. આવનાર બે વર્ષમાં અહીં નાગરિકોને કચરાની જગ્યાએ ગાર્ડન જોવા મળશે.

બે વર્ષમાં તમામ જગ્યા ખુલ્લી કરાશે
નારોલથી વિશાલા સર્કલ તરફ જવું હોય તો સૌ કોઈ નાગરિકોએ કચરાની દુર્ગંધ અને પ્રદુષણથી પસાર થવું પડી રહ્યું છે. પરંતુ આગામી ટૂંક સમયમાં આ કચરાનો ડુંગર દૂર થઇ જશે. અમદાવાદ કોર્પોરેશન દ્વારા 85 એકર જમીન માંથી કચરો દૂર કરી 55 એકર જમીન ખુલ્લી કરી દેવામાં આવી છે અને આગામી બે વર્ષમાં અહીં કચરો જ જોવા નહીં મળે. દિવસ રાત બાયોમાઇનિંગ મશીન ચલાવી આ કચરાનો ડુંગર દૂર કરવામાં આવી રહ્યો છે.

પીરાણા ડમ્પિંગ સાઈટ

55 એકર જમીન ખુલ્લી કરી દેવાઈ
કચરાનો ડુંગર વર્ષ 1980થી શરુ થયો. શહેરનો કચરો આ ડમ્પિંગ સાઈટ પર નાખવામાં આવતો હતો. સમય વીતતા આ કચરાનો ડુંગર 2020 સુધી મહાકાય થઇ શહેરમાં પ્રદુષણનું કારણ બની ગયો હતો. કચરાના ડુંગરને કારણે પ્રદુષણ વધતા તંત્ર દ્વારા બે વર્ષ પેહલા 1.25 કરોડ મેટ્રિક ટનમાં ફેલાયેલા આ કચરાના ડુંગરને દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી અને હાલ 55 એકર જમીન ખુલ્લી કરી દેવાઈ છે.

પીરાણા ડમ્પિંગ સાઈટ

"ખુલ્લી કરાયેલી જગ્યા પર બનશે ગાર્ડન"
આગામી બે વર્ષમાં આ કચરાના પ્રદુષણથી અમદાવાદના નાગરિકોને મુક્તિ મળશે. આ જમીન ખુલ્લી થતા તંત્ર અહીં ગાર્ડન સહીત અન્ય પ્લેટફોર્મ ઉભું કરવાનું આયોજન કરી રહ્યું છે.

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow