હવે નારોલથી વિશાલા તરફ જતા દુર્ગંધ નહીં મારે! પીરાણાના કચરાનો અડધો અડધ ડુંગર દૂર, બનશે ભવ્યાતિભવ્ય ગાર્ડન

હવે નારોલથી વિશાલા તરફ જતા દુર્ગંધ નહીં મારે! પીરાણાના કચરાનો અડધો અડધ ડુંગર દૂર, બનશે ભવ્યાતિભવ્ય ગાર્ડન

અમદાવાદીઓને પીરાણા કચરાના ડુંગરથી થતા પ્રદુષણથી મુક્તિ મળશે. અમદાવાદ કોર્પોરેશન દ્વારા આ કચરાને દૂર કરવાની કામગીરી એટલી ઝડપે કરાઈ રહી છે કે અત્યાર સુધી અડધો કચરાનો ડુંગર દૂર કરાઈ દેવાયો છે. આવનાર બે વર્ષમાં અહીં નાગરિકોને કચરાની જગ્યાએ ગાર્ડન જોવા મળશે.

બે વર્ષમાં તમામ જગ્યા ખુલ્લી કરાશે
નારોલથી વિશાલા સર્કલ તરફ જવું હોય તો સૌ કોઈ નાગરિકોએ કચરાની દુર્ગંધ અને પ્રદુષણથી પસાર થવું પડી રહ્યું છે. પરંતુ આગામી ટૂંક સમયમાં આ કચરાનો ડુંગર દૂર થઇ જશે. અમદાવાદ કોર્પોરેશન દ્વારા 85 એકર જમીન માંથી કચરો દૂર કરી 55 એકર જમીન ખુલ્લી કરી દેવામાં આવી છે અને આગામી બે વર્ષમાં અહીં કચરો જ જોવા નહીં મળે. દિવસ રાત બાયોમાઇનિંગ મશીન ચલાવી આ કચરાનો ડુંગર દૂર કરવામાં આવી રહ્યો છે.

પીરાણા ડમ્પિંગ સાઈટ

55 એકર જમીન ખુલ્લી કરી દેવાઈ
કચરાનો ડુંગર વર્ષ 1980થી શરુ થયો. શહેરનો કચરો આ ડમ્પિંગ સાઈટ પર નાખવામાં આવતો હતો. સમય વીતતા આ કચરાનો ડુંગર 2020 સુધી મહાકાય થઇ શહેરમાં પ્રદુષણનું કારણ બની ગયો હતો. કચરાના ડુંગરને કારણે પ્રદુષણ વધતા તંત્ર દ્વારા બે વર્ષ પેહલા 1.25 કરોડ મેટ્રિક ટનમાં ફેલાયેલા આ કચરાના ડુંગરને દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી અને હાલ 55 એકર જમીન ખુલ્લી કરી દેવાઈ છે.

પીરાણા ડમ્પિંગ સાઈટ

"ખુલ્લી કરાયેલી જગ્યા પર બનશે ગાર્ડન"
આગામી બે વર્ષમાં આ કચરાના પ્રદુષણથી અમદાવાદના નાગરિકોને મુક્તિ મળશે. આ જમીન ખુલ્લી થતા તંત્ર અહીં ગાર્ડન સહીત અન્ય પ્લેટફોર્મ ઉભું કરવાનું આયોજન કરી રહ્યું છે.

Read more

ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

• એર ઇન્ડિયા ફ્લાઇટ નંબર AI-171ની દુર્ભાગ્યપૂર્ણ ઘટનાથી સમગ્ર દેશ આઘાતમાં છે, આ અકસ્માતમાં માર્યા ગયેલા મુસાફરોના પરિવારો સાથે તમામ દેશવાસીઓ

By Gujaratnow
ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

શહેરના કોઠારિયા મેઇન રોડ પર રહેતી અને કાયદાનો અભ્યાસ કરતી 23 વર્ષીય યુવતીએ ગંજીવાડા-9માં રહેતા દેવરાજ વાલજી ગોહિલ નામના શખ્સ સામે દુ

By Gujaratnow
ભારત-દક્ષિણ આફ્રિકા પહેલી T20 વરસાદને કારણે રદ

ભારત-દક્ષિણ આફ્રિકા પહેલી T20 વરસાદને કારણે રદ

ભારતના દક્ષિણ આફ્રિકા પ્રવાસની T-20 શ્રેણીની પ્રથમ મેચ વરસાદના કારણે રદ કરવામાં આવી છે. ડરબનમાં મેચ પહેલા જ વરસાદ શરૂ થઈ ગયો હતો અને ટોસ પણ થઈ શક્યો નહોતો

By Gujaratnow