હવે વિદેશી વકીલો દેશમાં પ્રેક્ટિસ કરી શકશે : BCI

હવે વિદેશી વકીલો દેશમાં પ્રેક્ટિસ કરી શકશે :  BCI

બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયા (બીસીઆઈ) વિદેશી વકીલો અને કાયદાકીય સંસ્થાઓને પારસ્પરિક ધોરણે ભારતમાં પ્રેક્ટિસ કરવાની મંજૂરી આપવા સંમત થઈ છે. તેઓ માત્ર નોન-લિટિગેશન (કોર્ટ બહાર સમાધાનને લગતી) કેસની પર જ પ્રેક્ટિસ કરી શકશે. વિદેશી વકીલો અને પેઢીઓ કાનૂની સલાહ આપી શકશે. જોકે, તેઓને કોઈ પણ ભારતીય અદાલત, ટ્રિબ્યુનલ અથવા નિયમનકારી સત્તાવાળા સમક્ષ હાજર થવા દેવામાં આવશે નહીં.

બીસીઆઈ તરફથી જાહેર કરવામાં આવેલી માર્ગદર્શિકા મુજબ વિદેશી વકીલો અને કાયદાકીય સંસ્થાઓ માટે જે 3 ક્ષેત્રો ખોલવામાં આવ્યાં છે તેમાં વિદેશી કાયદો, આંતરરાષ્ટ્રીય કાનૂની મુદ્દાઓ અને મધ્યસ્થતાની બાબતોનો સમાવેશ થાય છે. આ સુવિધાથી ભારતમાં કાનૂની વ્યવસાય અને ક્ષેત્રના વિકાસમાં મદદ મળશે અને તેમજ ભારતના વકીલોને પણ ફાયદો થશે.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow