હવે વિદેશી વકીલો દેશમાં પ્રેક્ટિસ કરી શકશે : BCI

હવે વિદેશી વકીલો દેશમાં પ્રેક્ટિસ કરી શકશે :  BCI

બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયા (બીસીઆઈ) વિદેશી વકીલો અને કાયદાકીય સંસ્થાઓને પારસ્પરિક ધોરણે ભારતમાં પ્રેક્ટિસ કરવાની મંજૂરી આપવા સંમત થઈ છે. તેઓ માત્ર નોન-લિટિગેશન (કોર્ટ બહાર સમાધાનને લગતી) કેસની પર જ પ્રેક્ટિસ કરી શકશે. વિદેશી વકીલો અને પેઢીઓ કાનૂની સલાહ આપી શકશે. જોકે, તેઓને કોઈ પણ ભારતીય અદાલત, ટ્રિબ્યુનલ અથવા નિયમનકારી સત્તાવાળા સમક્ષ હાજર થવા દેવામાં આવશે નહીં.

બીસીઆઈ તરફથી જાહેર કરવામાં આવેલી માર્ગદર્શિકા મુજબ વિદેશી વકીલો અને કાયદાકીય સંસ્થાઓ માટે જે 3 ક્ષેત્રો ખોલવામાં આવ્યાં છે તેમાં વિદેશી કાયદો, આંતરરાષ્ટ્રીય કાનૂની મુદ્દાઓ અને મધ્યસ્થતાની બાબતોનો સમાવેશ થાય છે. આ સુવિધાથી ભારતમાં કાનૂની વ્યવસાય અને ક્ષેત્રના વિકાસમાં મદદ મળશે અને તેમજ ભારતના વકીલોને પણ ફાયદો થશે.

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow