નામચીન બિલ્ડર શફી ફ્રૂટવાલાનો કોર્ટ પરિસરમાં વેપારી પર લોહિયાળ હુમલો

નામચીન બિલ્ડર શફી ફ્રૂટવાલાનો કોર્ટ પરિસરમાં વેપારી પર લોહિયાળ હુમલો

દોઢ કરોડના ચેક રિટર્ન કેસની સુનાવણી વેલા દિવાળીપુરા કોર્ટ પરિસરમાં જ ફરિયાદી પર બહુચર્ચિત બિલ્ડર શફી ફ્રૂટવાલા અને માથાભારે જમાઈએ હુમલો કર્યો હતો. જેમાં બંદૂક બતાવી હોવાની વાત બહાર આવતાં ચકચાર મચી હતી. ઘટનાને પગલે ઉચ્ચ પોલીસ અધિકારી સહિતનો કાફલો દોડી આવ્યો હતો. ઘટના બાદ કોર્ટ પરિસરમાં વકીલ, જજ તથા અન્યની સુરક્ષા સામે ગંભીર સવાલો ઊઠ્યા છે. ગોત્રી પોલીસે મોડી સાંજે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

કોર્ટ પરિસરમાં જ હુમલાનો ભોગ બન્યા બાદ લોહીલુહાણ નિઝામ ચિશ્તીએ મીડિયાને જણાવ્યું કે, મારી અને બિલ્ડર શફી ફ્રૂટવાલાની ઓળખાણ થયા બાદ મેં તેના ધંધામાં રોકાણ માટે રૂપિયા આપ્યા હતા. જેની સામે આપેલા ચેક રિટર્ન થતાં અદાલતમાં ફરિયાદ કરી હતી, જેની આજે 138ની ફરિયાદ દાખલ કરી હતી. તેણે મારી જોડે ઠગાઈ કરી હતી. બનાવ સમયે નિઝામ સાથે હાજર હૈદરભાઇએ મીડિયાને જણાવ્યું કે, મારા મિત્ર નિઝામ ચિશ્તીની તારીખ હતી. અમે કોર્ટના રૂમ ડી-30 પાસે ઊભા હતા. અંદર સામેવાળાની જબાની હતી.

શફી ફ્રૂટવાલા સાથે તે લોકો બહાર આવ્યા અને અચાનક નિઝામ પર હુમલો કર્યો. હું બચાવવા ગયો તો મને ફેંટ મારી અને માર માર્યો હતો. હુમલામાં સામેલ તેનો જમાઈ અમદાવાદનો ગુંડો છે. આ માથાભારે લોકો કોર્ટમાં આવું કરી શકે તો રોડ પર મારા મિત્રને મારી પણ નાખી શકે છે.

Read more

વર્ષ ૨૦૩૬માં ઓલિમ્પિક ગેમ્સની યજમાની માટે ગુજરાત આતુર

વર્ષ ૨૦૩૬માં ઓલિમ્પિક ગેમ્સની યજમાની માટે ગુજરાત આતુર

૨૩મી જૂન ‘આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક દિવસ’ - વર્ષ ૨૦૩૬માં ઓલિમ્પિક ગેમ્સની યજમાની માટે ગુજરાત આતુર વર્ષ ૧૯૬૦માં રોમના ઓલિમ્પિક્સમાં ગુજરાતી હોકી

By Gujaratnow
આધ્યાત્મિક ગુરુ ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજીના પ્રયાસ થકી કોલંબિયામાં શાંતિના એક દાયકાની યાત્રા અને એકતાની અનોખી ઉજવણી!

આધ્યાત્મિક ગુરુ ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજીના પ્રયાસ થકી કોલંબિયામાં શાંતિના એક દાયકાની યાત્રા અને એકતાની અનોખી ઉજવણી!

કોલંબિયાના બોગોટામાં હજારો લોકો ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર સાથે ૧૧મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવા માટે એકઠા થયા હતા. આ વર્ષની ઉજવણીનું વિ

By Gujaratnow
જેક્સનવિલે, ફ્લોરિડા એ 16 જૂનને 'શ્રી શ્રી રવિશંકર શાંતિ અને આરોગ્ય દિવસ' તરીકે જાહેર

જેક્સનવિલે, ફ્લોરિડા એ 16 જૂનને 'શ્રી શ્રી રવિશંકર શાંતિ અને આરોગ્ય દિવસ' તરીકે જાહેર

જેક્સનવિલે, ફ્લોરિડાએ ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરની આજીવન સેવા અને સમજ, એકતા અને ઉપચારને પ્રોત્સાહન આપવા માટે આર્ટ ઓફ લિવિંગના સતત પ્રયાસોને મા

By Gujaratnow