USમાં હવાઇ પ્રવાસ નહીં કરવાનું અભિયાન ચાલે છે

USમાં હવાઇ પ્રવાસ નહીં કરવાનું અભિયાન ચાલે છે

અમેરિકાના પૂર્વ શિક્ષક ડેન કેસ્ટ્રિગાનોએ 2020માં હવાઇ સફર નહીં કરવાની પ્રતિજ્ઞા પર હસ્તાક્ષર કર્યા હતા. 36 વર્ષીય ડેન કહે છે કે, ‘હું જમીન પર રહેવાનો વિકલ્પ પસંદ કરું છું કારણ કે, ક્લાઇમેટ ચેન્જ પર અત્યંત ખરાબ અસરો થઇ રહી છે.’ બર્લિંગ્ટનના રહેવાસી ડેને શિક્ષક તરીકે એક દસકો નોકરી કરી. આ દરમિયાન તેમણે અનેક પ્રવાસ ખેડ્યા અને ક્લાઇમેટ ચેન્જનો મુદ્દો તેમને અસર કરી ગયો. તેમને લાગ્યું કે, આ માટે યોગ્ય દિશામાં કામ થવું જોઇએ. 2019 પછી ડેન અને તેમના પત્ની લોરાએ હવાઇ પ્રવાસ નથી કર્યો. 2021માં તેઓ ક્લાઇમેટ ચેન્જ માટે જાગૃતિ ફેલાવતી એનજીઓ સબ્જેક્ટુ ટુ ક્લાઇમેટમાં ચીફ કન્ટેન્ટ ઓફિસર તરીકે જોડાઇ ગયા.

ડેન કહે છે કે, ‘જમીન પર રહેવાનો અર્થ એ નથી કે ફરવાનું બંધ કરી દેવું. હું વર્મોન્ટની આસપાસ સતત સાયકલ પ્રવાસ ખેડું છું. આ ઉપરાંત ઇલેક્ટ્રિક કારનો પણ ઉપયોગ કરું છું. થોડા દિવસ પછી કેલિફોર્નિયામાં મારા અંગત મિત્રના લગ્ન છે, ત્યાં હું પરિવાર સાથે ટ્રેનમાં જઇશ. તેમાં અઠવાડિયું લાગશે પણ ચિંતા નથી.’

2020માં ડેને ‘ફ્લાઇટ ફ્રી યુએસએ’ નામની વેબસાઇટ પર સોગંધ લીધા અને હવે દર વર્ષે તેને રિન્યૂ કરે છે. આ સાઇટના કો-ફાઉન્ડર એરિએલા ગ્રેનેટનું કહેવું છે કે, ‘2022માં 365 લોકોએ હસ્તાક્ષર કર્યા અને હવે આ સંખ્યા 450 સુધી પહોંચી છે, પરંતુ ફ્લાઇટ ફ્રી અભિયાન ઓસ્ટ્રેલિયા અને બ્રિટનમાં વધુ સફળ છે. સમગ્ર યુરોપમાં આ પ્રકારના અનેક સંગઠનો પ્રવાસીઓને હવાઇ પ્રવાસ છોડવા પ્રેરિત કરે છે.’

Read more

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

બોલિવૂડના દિગ્ગજ એક્ટર સૈફ અલી ખાન અને એક્ટ્રેસ અમૃતા સિંહની દીકરી સારા અલી ખાને પોતાની મહેનત, સમર્પણ અને પ્રતિભાથી ઈન્ડસ્ટ્રીમાં પોતાનુ

By Gujaratnow
ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

રાજકોટનાં વિરાણી ચોકમાં આજે (12 ઓગસ્ટ) NSUI અને કોંગ્રેસનાં આગેવાનો દ્વારા લોકશાહી બચાવવા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસનાં આગેવાનોએ વિવિ

By Gujaratnow
અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

મદુરાઈના એક બારમાં હાર્દિકસિંહ જાડેજા નામનો શખ્સ બેઠો હતો. જો કે આ સમયે તેના મનમાં ઝડપાઈ જવાનો ડર હતો. જેથી તે તુરંત જ ત્યાંથી ભાગીને કેરળના કો

By Gujaratnow
વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

ગઈકાલે (10 ઓગસ્ટ,2025) નખત્રણામાં કચ્છ કડવા પાટીદાર સમાજના કાર્યક્રમમાં વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી.પટેલે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે

By Gujaratnow