નિખિલ દોંગા ગેંગ કાયદાના સાણસામાં

નિખિલ દોંગા ગેંગ કાયદાના સાણસામાં

ગોંડલની નિખીલ દોંગા ગેંગને વધુ એક ફટકો પડ્યો છે. ગુજસીટોકના ગુનામાં જેલમાં રહેલ 10 આરોપીની ડીફોલ્ટ જામીનની અરજી રદ કરવામાં આવી છે. દોંગા ગેંગના સહઆરોપીઓ પાર્થ જોષી, અક્ષય દુધરેજીયા, નરેશ સિંધવ, કમલેશ સિંધવ, નવઘણ શીયાળ, પિયુષ કોટડીયા, વિજય જાદવ, દર્શન ઉર્ફે ગોલુ, વિશાલ પાટકર અને દેવાંગ જોષીએ જામીન અરજી કરી હતી. આ કેસના સ્પે.પીપી એસ.કે. વોરાએ કરેલી તર્ક બધ્ધ દલીલોને ધ્યાને લઈ આ જામીન અરજી રાજકોટની ખાસ ગુજસીટોક અદાલતે ગુણદોષ રહીત હોવાનું ઠરાવી રદ કરી છે.

ગોંડલના નિખીલ દોંગા અને તેના સાગરીતો વિરૂધ્ધ બે વર્ષ પહેલા નોંધાયેલ ગુજસીટોક કાયદા હેઠળના ગુન્હામા 14 આરોપીઓ જુદી જુદી જેલોમા કેદી તરીકે સજા કાપી રહ્યા છે. આ કેસમા તમામ આરોપીઓ વિરૂધ્ધ ખાસ અદાલતે તહોમતનામુ ફરમાવી દીધેલ છે અને નિખીલ દોંગા સામેનો આ કેસ સરકારી સાહેદોના મૌખિક પુરાવા ઉપર ચાલી રહેલ છે. આ સમયે 14 આરોપીઓએ ખાસ અદાલતમા ડીફોલ્ટ બેઈલની અરજીઓ રજુ કરી રજુઆતો કરેલ હતી કે પોલીસ તપાસનો 90 દિવસનો સમયગાળો વધારી આપવાનો હુકમ કરતા પહેલા ખાસ અદાલતે તેઓને રજુઆત કરવાની તક આપેલ નથી.

Read more

શિવરાજગઢમાં ઘર કંકાસથી ત્રાસી પરિણીતાએ ફાંસો ખાધો

શિવરાજગઢમાં ઘર કંકાસથી ત્રાસી પરિણીતાએ ફાંસો ખાધો

ગોંડલના શિવરાજગઢ ગામે રહેતી 20 વર્ષીય પરિણીતા પૂજાબેન મકવાણાએ ગૃહ કંકાસથી કંટાળીને પોતાના ઘરે ફાંસો ખાઈને આપઘાત કરી લેતા અરેરાટી વ્યા

By Gujaratnow
સુરતમાં અસામાજિક તત્વોએ ગણપતિ બાપાના બેનરો ફાડ્યા

સુરતમાં અસામાજિક તત્વોએ ગણપતિ બાપાના બેનરો ફાડ્યા

સુરત શહેરના વેસુ વિસ્તારમાં અસામાજિક તત્વો દ્વારા ગણપતિ બાપાના આગમનના બેનરોમાં ફાડવામાં આવતાં સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. આ ઘટના ગુ

By Gujaratnow