Gujarat Now
બ્રેકિંગ
પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યોપાકિસ્તાની વહુ નીકળી ભારતીય જાસૂસપ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલુંભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશેભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાંપાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યોપાકિસ્તાની વહુ નીકળી ભારતીય જાસૂસપ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલુંભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશેભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં
📌 Rajkot

નિખિલ દોંગા ગેંગ કાયદાના સાણસામાં

Gujaratnow1 min read
નિખિલ દોંગા ગેંગ કાયદાના સાણસામાં

ગોંડલની નિખીલ દોંગા ગેંગને વધુ એક ફટકો પડ્યો છે. ગુજસીટોકના ગુનામાં જેલમાં રહેલ 10 આરોપીની ડીફોલ્ટ જામીનની અરજી રદ કરવામાં આવી છે. દોંગા ગેંગના સહઆરોપીઓ પાર્થ જોષી, અક્ષય દુધરેજીયા, નરેશ સિંધવ, કમલેશ સિંધવ, નવઘણ શીયાળ, પિયુષ કોટડીયા, વિજય જાદવ, દર્શન ઉર્ફે ગોલુ, વિશાલ પાટકર અને દેવાંગ જોષીએ જામીન અરજી કરી હતી. આ કેસના સ્પે.પીપી એસ.કે. વોરાએ કરેલી તર્ક બધ્ધ દલીલોને ધ્યાને લઈ આ જામીન અરજી રાજકોટની ખાસ ગુજસીટોક અદાલતે ગુણદોષ રહીત હોવાનું ઠરાવી રદ કરી છે.

ગોંડલના નિખીલ દોંગા અને તેના સાગરીતો વિરૂધ્ધ બે વર્ષ પહેલા નોંધાયેલ ગુજસીટોક કાયદા હેઠળના ગુન્હામા 14 આરોપીઓ જુદી જુદી જેલોમા કેદી તરીકે સજા કાપી રહ્યા છે. આ કેસમા તમામ આરોપીઓ વિરૂધ્ધ ખાસ અદાલતે તહોમતનામુ ફરમાવી દીધેલ છે અને નિખીલ દોંગા સામેનો આ કેસ સરકારી સાહેદોના મૌખિક પુરાવા ઉપર ચાલી રહેલ છે. આ સમયે 14 આરોપીઓએ ખાસ અદાલતમા ડીફોલ્ટ બેઈલની અરજીઓ રજુ કરી રજુઆતો કરેલ હતી કે પોલીસ તપાસનો 90 દિવસનો સમયગાળો વધારી આપવાનો હુકમ કરતા પહેલા ખાસ અદાલતે તેઓને રજુઆત કરવાની તક આપેલ નથી.

Gujaratnow1 min read

Related News