નાયગ્રા ધોધ બરફના કારણે જામી ગયો

નાયગ્રા ધોધ બરફના કારણે જામી ગયો

અમેરિકા અને કેનેડામાં અત્યારે 'બોમ્બ સાઇક્લોન'નો કહેર ચાલી રહ્યો છે. આની અસર બન્ને દેશોના બોર્ડર પર આવેલા નાયગ્રા ધોધ પર પણ જોવા મળી હતી. મંગળવારે દુનિયાના સૌથી મોટા વોરલફોલ્સમાં એક નાયગ્રા ધોધ પૂરી રીતે જામી ગયું હતું. ખરાબ હવામાનના કારણે અમેરિકામાં અત્યારસુધીમાં 50થી વધુ લોકોના મોત થઈ ગયા છે. આની સૌથી વધુ અસર ન્યૂયોર્કના બફેલોમાં જોવા મળી હતી. એવું જણાવવામાં આવી રહ્યું છે કે 50 વર્ષમાં પહેલીવાર હવામાન આટલું ખરાબ થયું છે. ક્રિસમસની પહેલા શરૂ થયેલા આ કહેરની અસર નવા વર્ષ પછી પણ ચાલું રહેશે તેવી શક્યાતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.

નાયગ્રા ધોધ વન્ડરલેન્ડ બની ગયો
સંપૂર્ણપણે બરફ આચ્છાદિત નાયગ્રા ધોધ એક અલગ જ દેખાતો હતો. નાયગ્રા ધોધ અમેરિકામાં ન્યુયોર્ક અને કેનેડામાં ઓન્ટારિયોની સરહદ પર પડે છે. વળી, તેની ઉપરનું મેઘધનુષ્ય આ સમગ્ર દ્રશ્યને વધુ સુંદર બનાવે છે. જેના કારણે કડકડતી ઠંડીમાં પણ પ્રવાસીઓ અહીં પહોંચ્યા હતા. ધોધની ધાર પર બરફની સફેદ ચાદર જોઈ શકાય છે. જો કે, ધોધનો માત્ર એક ભાગ જ બરફથી ઢંકાયો હતો.

આ ધોધમાં પાણીનું એટલું વધુ છે કે અહીં ક્યારેય પણ આના પર પૂરી રીતે બરફ નથી પડતો. નાયગ્રા ધોધ ન્યુયોર્ક સ્ટેટ પાર્કનું માનીએ તો આ ધોધમાં 3160 ટન પાણી એક સેકન્ડમાં વહે છે. એટલે પાણી 32 ફૂટ પ્રતિ સેકન્ડના હિસાબે પડે છે. અમેરિકી પર્યટન વિભાગની વેબસાઇટના પ્રમાણે આ ધોધનો આખું બરફથી જામવું સંભવ નથી.

Read more

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

બોલિવૂડના દિગ્ગજ એક્ટર સૈફ અલી ખાન અને એક્ટ્રેસ અમૃતા સિંહની દીકરી સારા અલી ખાને પોતાની મહેનત, સમર્પણ અને પ્રતિભાથી ઈન્ડસ્ટ્રીમાં પોતાનુ

By Gujaratnow
ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

રાજકોટનાં વિરાણી ચોકમાં આજે (12 ઓગસ્ટ) NSUI અને કોંગ્રેસનાં આગેવાનો દ્વારા લોકશાહી બચાવવા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસનાં આગેવાનોએ વિવિ

By Gujaratnow
અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

મદુરાઈના એક બારમાં હાર્દિકસિંહ જાડેજા નામનો શખ્સ બેઠો હતો. જો કે આ સમયે તેના મનમાં ઝડપાઈ જવાનો ડર હતો. જેથી તે તુરંત જ ત્યાંથી ભાગીને કેરળના કો

By Gujaratnow
વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

ગઈકાલે (10 ઓગસ્ટ,2025) નખત્રણામાં કચ્છ કડવા પાટીદાર સમાજના કાર્યક્રમમાં વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી.પટેલે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે

By Gujaratnow