એલિસબ્રિજ બેઠક પર ભાજપ શહેર પ્રમુખ અમિત શાહે દાવેદારી નોંધાવી

એલિસબ્રિજ બેઠક પર ભાજપ શહેર પ્રમુખ અમિત શાહે દાવેદારી નોંધાવી

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોની પસંદગી માટે સેન્સ લેવાની પ્રક્રિયા ચાલી રહી છે. આજે બીજા દિવસે અમદાવાદની 8 વિધાનસભા બેઠક પર સેન્સ લેવાની શરૂઆત થઈ ચૂકી છે. શાહીબાગના ઓસ્વાલ ભવન ખાતે એલિસબ્રિજ વિધાનસભા બેઠકની સેન્સ લેવામાં આવી રહી છે. હાઈપ્રોફાઈલ બેઠક એવી એલિસબ્રિજ વિધાનસભામાં વર્તમાન ધારાસભ્ય રાકેશ શાહ, અમદાવાદ શહેર પ્રમુખ અમિત શાહ, પાલડી વોર્ડના કોર્પોરેટર અને રેવન્યુ કમિટિ ચેરમેન જૈનિક વકીલ, અમદાવાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન ડો. સુજય મહેતા પાલડી વોર્ડના કોર્પોરેટર પ્રિતેશ મહેતા તેમજ ચૈતન્ય શંભુ મહારાજ સહિતના હાઈ પ્રોફાઈલ નેતાઓએ એલિસ બ્રિજ વિધાનસભા બેઠક માટે દાવેદારી નોંધાવી છે.ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધન ઝડફિયા પણ બાપુનગર તેમજ ઠકકરબાપાનગર દાવેદારી નોંધાવી શકે છે.

બાપુનગર બેઠક માટે દાવેદારી નોંધાવવા ભાજપના નેતાઓ અને કાર્યકરોનો જમાવડો થયો. બાયોડેટા આપવા માટે ધક્કામુક્કી થઈ હતી. હાલમાં આ બેઠક પર 30 વધુ લોકો દાવેદારી નોંધાવવા પહોંચ્યાં છે. ભાજપ સોશિયલ મીડિયા પ્રભારી પંકજ શુક્લ તથા શહેર મહામંત્રી પરેશ લાખાણી પણ દાવેદારી કરી છે.બાપુનગર વિધાનસભા બેઠક માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પક્ષના નેતા ભાસ્કર ભટ્ટ પણ દાવેદારી કરવા પહોંચ્યા છે. બાપુનગર વિધાનસભા માટે બાપુનગર વોર્ડના ભાજપના ચારેય કોર્પોરેટર વિધાનસભા બેઠક માટે દાવેદારી નોંધાવશે.

અમદાવાદમાં મણિનગર બેઠક માટે સીટીંગ MLA સુરેશ પટેલ અને AMCના પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીનાં ચેરમેન અમુલ ભટ્ટે પણ દાવેદારી કરી છે. આ સિવાય મણીનગર બેઠક માટે દશરથ મુખી પૂર્વ કાઉન્સિલર દાવેદારી માટે પહોંચ્યા હતાં. કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા આશિષ અમીન પણ મણિનગર બેઠક ઉપરથી દાવેદારી કરવા પહોંચ્યા છે. ધારિણી શુક્લ, બ્રહ્મસમાજ આગેવાન મણિનગર બેઠક ઉપરથી દાવેદારી નોંધાવી છે. વોર્ડ મહામંત્રી કમલેશ પટેલ પણ દાવેદારી માટે પહોંચ્યા છે. છેલ્લી ઘડીએ પૂર્વ કાઉન્સિલર નિશા ઝા દાવેદારી માટે પહોંચ્યા છે. ખોખરાના પૂર્વ કાઉન્સિલર અને અમદાવાદ મહિલા મોરચા મહામંત્રી જયમીની દવે પણ દાવેદારી માટે પહોંચ્યા હતાં.

Read more

રાજકોટ-જામનગર રોડ પર સાંઢિયાપુલની કામગીરી વખતે ટેકા ખસી જતા સ્લેબ નમી ગયો

રાજકોટ-જામનગર રોડ પર સાંઢિયાપુલની કામગીરી વખતે ટેકા ખસી જતા સ્લેબ નમી ગયો

જૂનાગઢના માંગરોળ તાલુકામાં બ્રિજનો સ્લેબ ધરાશાયી થયાના 17 દિવસમાં જ રાજકોટમાં નિર્માણાધીન બ્રિજમાં ગાબડું પડ્યું છે. રાજકોટ-જામનગર હાઈવે પર નિ

By Gujaratnow
ભારતમાં બનેલા iPhone પર અમેરિકામાં 25% ટેરિફ નહીં

ભારતમાં બનેલા iPhone પર અમેરિકામાં 25% ટેરિફ નહીં

ટ્રમ્પની નવી ટેરિફ નીતિ ભારતમાંથી અમેરિકા મોકલવામાં આવતા iPhones પર કોઈ અસર કરશે નહીં. અમેરિકન રાષ્ટ્રપતિએ 1 ઓગસ્ટ, 2025થી ભારતીય માલ પર 25% ટેરિફની જાહે

By Gujaratnow
અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં હ્યુમન ફેક્ટર સ્પેશિયાલિસ્ટ સામેલ

અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં હ્યુમન ફેક્ટર સ્પેશિયાલિસ્ટ સામેલ

કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન રાજ્યમંત્રી મુરલીધર મોહોલે ગુરુવારે સંસદમાં જણાવ્યું હતું કે અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં માનવ પરિબળ નિષ્

By Gujaratnow