પાક.નો પંજાબમાં આતંક ફેલાવવાનો પ્રયાસ

પાક.નો પંજાબમાં આતંક ફેલાવવાનો પ્રયાસ

પંજાબમાં બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF)એ પાકિસ્તાનમાં બેઠેલા આતંકવાદીઓના વધુ એક પ્રયાસને નિષ્ફળ બનાવ્યો છે. BSFને ફિરોઝપુરમાંથી હથિયારોથી ભરેલી બેગ મળી આવી, જેમાં હથિયારો અને દારૂગોળો હતો. BSFએ બેગ જપ્ત કરીને તપાસ શરૂ કરી છે. કહેવામાં આવી રહ્યું છે કે આ બેગને અહીં ડ્રોન દ્વારા પહોંચાડવામાં આવી છે.

મળતી માહિતી અનુસાર, ફિરોઝપુર સેક્ટરમાં BSFના 136 બટાલિયન તરફથી એક સર્ચ-ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. BSFને કેટલાક ઈનપુટ મળ્યા હતા, જેના પછી આ પ્રયાસો શરૂ કરવામાં આવ્યા હતા. ઝીરો લાઈનની બરાબર નજીક એક મોટી બેગ જોવા મળી હતી. જ્યારે એની તપાસ કરવામાં આવી ત્યારે એમાં મોટી માત્રામાં દારૂગોળા ભરેલા હતા. BSF જવાનોએ તરત જ ઉચ્ચ અધિકારીઓને આ વિશેની જાણકારી આપી હતી.

BSFએ બેગમાંથી 3 AK-47, 5 MP-5 (મિની AK-47), 3 પિસ્તોલ અને 17 ખાલી મેગેઝિન જપ્ત કર્યાં છે. આ ઉપરાંત બેગમાંથી 100 ગોળી અને 5.56 MMની 100 ગોળીઓ મળી છે.

હથિયારોનો આટલું મોટું કન્સાઈનમેન્ટ પંજાબમાં મોકલવાનો હેતુ અરાજકતા ફેલાવવાનો છે. પાકિસ્તાનમાં બેઠેલા આતંકવાદીઓ પંજાબમાં દાણચોરો અને ગેંગસ્ટરનો ઉપયોગ કરીને પંજાબમાં આતંક ફેલાવવા માગે છે.

નિષ્ણાતો માને છે કે અગાઉ સતત મોકલવામાં આવતાં ડ્રોન માત્ર BSFનું ધ્યાન હટાવવા માટે હોઈ શકે છે. પાકિસ્તાનમાં બેઠેલા દાણચોરો અને આતંકવાદીઓ તેમનું ધ્યાન હટાવવા માટે ભારે માત્રામાં હથિયાર અને હેરોઈનનાં કન્સાઈનમેન્ટને પંજાબમાં મોકલવાનો પ્રયાસ કરી રહ્યા છે.

Read more

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

બોલિવૂડના દિગ્ગજ એક્ટર સૈફ અલી ખાન અને એક્ટ્રેસ અમૃતા સિંહની દીકરી સારા અલી ખાને પોતાની મહેનત, સમર્પણ અને પ્રતિભાથી ઈન્ડસ્ટ્રીમાં પોતાનુ

By Gujaratnow
ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

રાજકોટનાં વિરાણી ચોકમાં આજે (12 ઓગસ્ટ) NSUI અને કોંગ્રેસનાં આગેવાનો દ્વારા લોકશાહી બચાવવા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસનાં આગેવાનોએ વિવિ

By Gujaratnow
અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

મદુરાઈના એક બારમાં હાર્દિકસિંહ જાડેજા નામનો શખ્સ બેઠો હતો. જો કે આ સમયે તેના મનમાં ઝડપાઈ જવાનો ડર હતો. જેથી તે તુરંત જ ત્યાંથી ભાગીને કેરળના કો

By Gujaratnow
વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

ગઈકાલે (10 ઓગસ્ટ,2025) નખત્રણામાં કચ્છ કડવા પાટીદાર સમાજના કાર્યક્રમમાં વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી.પટેલે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે

By Gujaratnow