લાહોરમાં ટોળાએ ઈમરાન ખાનને ઘેર્યા

લાહોરમાં ટોળાએ ઈમરાન ખાનને ઘેર્યા

પાકિસ્તાનના લાહોરમાં એક કાર્યક્રમ દરમિયાન ટોળાએ ઈમરાન ખાનને ઘેરી લીધા હતા અને 'ઘડિયાળચોર'ના નારા લગાવ્યા હતા. આ દરમિયાન ઈમરાને કોઈપણ પ્રકારની પ્રતિક્રિયા આપી નહોતી.

હકીકતમાં 21 ઓક્ટોબરે પાકિસ્તાનના ચૂંટણીપંચે તોશાખાના કેસમાં ઈમરાનને 5 વર્ષ માટે ગેરલાયક ઠેરવ્યા હતા. તેમનું સંસદ સભ્યપદ પણ રદ કરવામાં આવ્યું હતું. આ નિર્ણય બાદ ઈમરાન આગામી 5 વર્ષ સુધી ચૂંટણી લડી શકશે નહીં. ઈમરાન પર આરોપ હતો કે તેણે તોશાખાનામાં જમા કરેલી ભેટ સસ્તામાં ખરીદી હતી અને એને ઊંચા ભાવે વેચી હતી.

ઈમરાન ખાન ઈસ્લામાબાદમાં સરકારવિરોધી રેલી કાઢવાના છે. કોઈપણ સંજોગોમાં હું આ રેલીને સફળ બનાવવા માગું છું. આ માટે તેઓ લાહોરના પ્રવાસે હતા. જ્યારે ઈમરાન પોતાના સમર્થકો સાથે લાહોરની મસ્જિદ એક નબવી પહોંચ્યા ત્યારે ટોળાએ અને વકીલોના સમૂહે તેમને ઘેરી લીધા હતા. ટોળાએ તેમની વિરુદ્ધ 'ઘડિયાળચોર' ના નારા લગાવ્યા. આ દરમિયાન ઈમરાન પોતે ટોળાને હટાવતા જોવા મળ્યા હતા. આ ઘટના ગુરુવારે સાંજે બની હોવાનું કહેવાય છે. તેનો વીડિયો સોશિયલ મીડિયામાં જોરદાર વાઇરલ થઈ રહ્યો છે.

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow