ખુશ રહેવા માટે થેરાપી

ખુશ રહેવા માટે થેરાપી

આજે કોઈ માણસના ચહેરા પરથી તનાવ કે દુખને કારણે સ્માઈલ દૂર થઇ જાય છે. પરંતુ ચહેરા પર ખોટી સ્માઈલની એક્ટિંગ કરે છે, ખોટી સ્માઈલથી તો થોડા સમય માટે પણ અંદરથી ખુશી મળે છે. ઘણા દાયકાઓથી આ ચહેરાના પ્રતિસાદ હાયપોથિસિસને લઈને વિવાદ ચાલી રહ્યો હતો. પરંતુ તાજેતરમાં જ અમેરિકાની સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના 19 દેશોના 4000થી વધુ લોકો પર થયેલા રિસર્ચમાં આ વાતને સાચી સાબિત કરવામાં આવી છે.

ખોટી સ્માઈલ પણ ફાયદાકારક

આ રિસર્ચ માટે ત્રણ ગ્રુપની રચના કરવામાં આવી હતી. પહેલા ગ્રુપમાં મોંમાં પેન ફસાવીને હસતા પોઝ આપવા માટે મસલ્સને ખેંચવાનું કહેવામાં આવ્યું હતું. બીજા ગ્રુપમાં એક્ટરોની જેમ સ્માઈલ કરવાનું કહેવામાં આવ્યું હતું અને ત્રીજા ગ્રુપમાં સ્માઇલિંગ પોઝ આપીને ફેક સ્માઈલ કરવા માટે કહેવામાં આવ્યું હતું.

આ દરમિયાન દરેકને ખાલી સ્ક્રીન, ફૂલો, ફટાકડા અને અન્ય ફોટા બતાવવામાં આવ્યા હતા. ચહેરાના પ્રતિભાવ પ્રતિભાવની થિયરી બતાવે છે કે જ્યારે તમે ચહેરાના મસલ્સને સ્માઈલ કરવાનું કહો છો, ત્યારે સ્નાયુઓ ખેંચાય છે. તેનાથી હોર્મોન્સ રિલીઝ થાય છે. તેનાથી તમારા મનમાં ખુશીનો સંચાર થાય છે અને તમે ખુશ રહો છો.

હસવાથી ચિંતા ઓછી થાય છે

રિસર્ચમાં સામે આવ્યું છે કે, દરેકના ચહેરા પર સ્મિતની ભાવના લાવવાથી જ ખુશી પાછી આવે છે. વૈજ્ઞાનિકોને પહેલા ગ્રુપમાં થોડું ઓછું જોવા મળ્યું, પરંતુ અન્ય બે ગ્રુપમાં ખુશી વધારે જોવા મળી હતી. આ રિસર્ચની અસર ભલે ઓછી હતી, પરંતુ આ થેરાપી કામ કરી રહી હતી.

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow