દિવાળીએ પૂજાના જરૂરી નિયમ

દિવાળીએ પૂજાના જરૂરી નિયમ

આજે આસો મહિનાની અમાસ એટલે દિવાળી છે અને સાંજે દેવી લક્ષ્મીનું પૂજન કરવામાં આવશે. દેવી લક્ષ્મીજીની પૂજાના અનેક એવા નિયમ છે, જેનું પાલન કરવાથી પૂજાનું પૂર્ણ ફળ મળી શકતું નથી. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્મા પાસેથી જાણો લક્ષ્મી પૂજા માટે જરૂરી થોડા નિયમ...

લક્ષ્મી-વિષ્ણુની પૂજા એકસાથે કરો

દિવાળીએ પૂજા માટે સૌથી જરૂરી વાત એ છે કે લક્ષ્મીજીની પૂજા વિષ્ણુજી વિના કરશો નહીં. માન્યતા છે કે દેવી લક્ષ્મી પોતાના પતિ વિષ્ણુજી વિના એકક્ષણ પણ સ્થિર રહેતાં નથી. જો લક્ષ્મીજીની સ્થાયી કૃપા મેળવવા ઇચ્છો છો તો લક્ષ્મી-વિષ્ણુની પૂજા એકસાથે કરવી જોઈએ.

કઈ દિશામાં લક્ષ્મી પૂજા કરશો

દિવાળી પૂજન કરતી સમયે સફેદ કપડાં પહેરશો તો વધારે સારું રહેશે. સાંજે લક્ષ્મી પૂજા કરતી સમયે ઉત્તર કે પશ્ચિમ દિશામાં મુખ રાખવું અને પૂજન કરવું.

અલક્ષ્મી માટે પણ દીવા પ્રગટાવવા જોઈએ

દિવાળીએ સાંજે કોઈ પીપળાની નીચે એક દીવો પ્રગટાવવો જોઈએ. માન્યતા છે કે લક્ષ્મીજીની મોટી બહેન અલક્ષ્મીનો વાસ પીપળા પાસે જ હોય છે. પીપળાની નીચે દીવો પ્રગટાવવાનો ભાવ એ છે કે અલક્ષ્મી હંમેશાં ત્યાં જ રહે અને આપણાં ઘરમાં પ્રવેશ કરે નહીં.

દિવાળીએ તુલસી તોડવા નહીં, છોડ પાસે નીચે પડેલાં પાનનો ઉપયોગ કરો

ધ્યાન રાખો અમાસના દિવસે તુલસીના પાન તોડવા જોઈએ નહીં. જૂના પાન ધોઈને ફરીથી પૂજામાં ઉપયોગ કરી શકાય છે. જો જૂના પાન ન હોય તો તુલસીના છોડ નીચે પડેલાં પાન ધોઈને ફરી પૂજામાં ઉપયોગ કરી શકાય છે. વિષ્ણુ પૂજામાં તુલસી સાથે જ ભોગ ધરાવવો જોઈએ.

તુલસીને ચૂંદડી ઓઢાળો અને દીવો પ્રગટાવવો

દિવાળીએ સાંજે તુલસી પાસે રંગોળી બનાવો. તુલસી માતાને પણ શણગારો. લાલ ચૂંદડી ઓઢાળો. દીવો પ્રગટાવવો.

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow