દિવાળીએ પૂજાના જરૂરી નિયમ

દિવાળીએ પૂજાના જરૂરી નિયમ

આજે આસો મહિનાની અમાસ એટલે દિવાળી છે અને સાંજે દેવી લક્ષ્મીનું પૂજન કરવામાં આવશે. દેવી લક્ષ્મીજીની પૂજાના અનેક એવા નિયમ છે, જેનું પાલન કરવાથી પૂજાનું પૂર્ણ ફળ મળી શકતું નથી. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્મા પાસેથી જાણો લક્ષ્મી પૂજા માટે જરૂરી થોડા નિયમ...

લક્ષ્મી-વિષ્ણુની પૂજા એકસાથે કરો

દિવાળીએ પૂજા માટે સૌથી જરૂરી વાત એ છે કે લક્ષ્મીજીની પૂજા વિષ્ણુજી વિના કરશો નહીં. માન્યતા છે કે દેવી લક્ષ્મી પોતાના પતિ વિષ્ણુજી વિના એકક્ષણ પણ સ્થિર રહેતાં નથી. જો લક્ષ્મીજીની સ્થાયી કૃપા મેળવવા ઇચ્છો છો તો લક્ષ્મી-વિષ્ણુની પૂજા એકસાથે કરવી જોઈએ.

કઈ દિશામાં લક્ષ્મી પૂજા કરશો

દિવાળી પૂજન કરતી સમયે સફેદ કપડાં પહેરશો તો વધારે સારું રહેશે. સાંજે લક્ષ્મી પૂજા કરતી સમયે ઉત્તર કે પશ્ચિમ દિશામાં મુખ રાખવું અને પૂજન કરવું.

અલક્ષ્મી માટે પણ દીવા પ્રગટાવવા જોઈએ

દિવાળીએ સાંજે કોઈ પીપળાની નીચે એક દીવો પ્રગટાવવો જોઈએ. માન્યતા છે કે લક્ષ્મીજીની મોટી બહેન અલક્ષ્મીનો વાસ પીપળા પાસે જ હોય છે. પીપળાની નીચે દીવો પ્રગટાવવાનો ભાવ એ છે કે અલક્ષ્મી હંમેશાં ત્યાં જ રહે અને આપણાં ઘરમાં પ્રવેશ કરે નહીં.

દિવાળીએ તુલસી તોડવા નહીં, છોડ પાસે નીચે પડેલાં પાનનો ઉપયોગ કરો

ધ્યાન રાખો અમાસના દિવસે તુલસીના પાન તોડવા જોઈએ નહીં. જૂના પાન ધોઈને ફરીથી પૂજામાં ઉપયોગ કરી શકાય છે. જો જૂના પાન ન હોય તો તુલસીના છોડ નીચે પડેલાં પાન ધોઈને ફરી પૂજામાં ઉપયોગ કરી શકાય છે. વિષ્ણુ પૂજામાં તુલસી સાથે જ ભોગ ધરાવવો જોઈએ.

તુલસીને ચૂંદડી ઓઢાળો અને દીવો પ્રગટાવવો

દિવાળીએ સાંજે તુલસી પાસે રંગોળી બનાવો. તુલસી માતાને પણ શણગારો. લાલ ચૂંદડી ઓઢાળો. દીવો પ્રગટાવવો.

Read more

ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

• એર ઇન્ડિયા ફ્લાઇટ નંબર AI-171ની દુર્ભાગ્યપૂર્ણ ઘટનાથી સમગ્ર દેશ આઘાતમાં છે, આ અકસ્માતમાં માર્યા ગયેલા મુસાફરોના પરિવારો સાથે તમામ દેશવાસીઓ

By Gujaratnow
ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

શહેરના કોઠારિયા મેઇન રોડ પર રહેતી અને કાયદાનો અભ્યાસ કરતી 23 વર્ષીય યુવતીએ ગંજીવાડા-9માં રહેતા દેવરાજ વાલજી ગોહિલ નામના શખ્સ સામે દુ

By Gujaratnow
ભારત-દક્ષિણ આફ્રિકા પહેલી T20 વરસાદને કારણે રદ

ભારત-દક્ષિણ આફ્રિકા પહેલી T20 વરસાદને કારણે રદ

ભારતના દક્ષિણ આફ્રિકા પ્રવાસની T-20 શ્રેણીની પ્રથમ મેચ વરસાદના કારણે રદ કરવામાં આવી છે. ડરબનમાં મેચ પહેલા જ વરસાદ શરૂ થઈ ગયો હતો અને ટોસ પણ થઈ શક્યો નહોતો

By Gujaratnow