દિવાળીએ પૂજાના જરૂરી નિયમ

દિવાળીએ પૂજાના જરૂરી નિયમ

આજે આસો મહિનાની અમાસ એટલે દિવાળી છે અને સાંજે દેવી લક્ષ્મીનું પૂજન કરવામાં આવશે. દેવી લક્ષ્મીજીની પૂજાના અનેક એવા નિયમ છે, જેનું પાલન કરવાથી પૂજાનું પૂર્ણ ફળ મળી શકતું નથી. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્મા પાસેથી જાણો લક્ષ્મી પૂજા માટે જરૂરી થોડા નિયમ...

લક્ષ્મી-વિષ્ણુની પૂજા એકસાથે કરો

દિવાળીએ પૂજા માટે સૌથી જરૂરી વાત એ છે કે લક્ષ્મીજીની પૂજા વિષ્ણુજી વિના કરશો નહીં. માન્યતા છે કે દેવી લક્ષ્મી પોતાના પતિ વિષ્ણુજી વિના એકક્ષણ પણ સ્થિર રહેતાં નથી. જો લક્ષ્મીજીની સ્થાયી કૃપા મેળવવા ઇચ્છો છો તો લક્ષ્મી-વિષ્ણુની પૂજા એકસાથે કરવી જોઈએ.

કઈ દિશામાં લક્ષ્મી પૂજા કરશો

દિવાળી પૂજન કરતી સમયે સફેદ કપડાં પહેરશો તો વધારે સારું રહેશે. સાંજે લક્ષ્મી પૂજા કરતી સમયે ઉત્તર કે પશ્ચિમ દિશામાં મુખ રાખવું અને પૂજન કરવું.

અલક્ષ્મી માટે પણ દીવા પ્રગટાવવા જોઈએ

દિવાળીએ સાંજે કોઈ પીપળાની નીચે એક દીવો પ્રગટાવવો જોઈએ. માન્યતા છે કે લક્ષ્મીજીની મોટી બહેન અલક્ષ્મીનો વાસ પીપળા પાસે જ હોય છે. પીપળાની નીચે દીવો પ્રગટાવવાનો ભાવ એ છે કે અલક્ષ્મી હંમેશાં ત્યાં જ રહે અને આપણાં ઘરમાં પ્રવેશ કરે નહીં.

દિવાળીએ તુલસી તોડવા નહીં, છોડ પાસે નીચે પડેલાં પાનનો ઉપયોગ કરો

ધ્યાન રાખો અમાસના દિવસે તુલસીના પાન તોડવા જોઈએ નહીં. જૂના પાન ધોઈને ફરીથી પૂજામાં ઉપયોગ કરી શકાય છે. જો જૂના પાન ન હોય તો તુલસીના છોડ નીચે પડેલાં પાન ધોઈને ફરી પૂજામાં ઉપયોગ કરી શકાય છે. વિષ્ણુ પૂજામાં તુલસી સાથે જ ભોગ ધરાવવો જોઈએ.

તુલસીને ચૂંદડી ઓઢાળો અને દીવો પ્રગટાવવો

દિવાળીએ સાંજે તુલસી પાસે રંગોળી બનાવો. તુલસી માતાને પણ શણગારો. લાલ ચૂંદડી ઓઢાળો. દીવો પ્રગટાવવો.

Read more

ભારતમાં બનેલા iPhone પર અમેરિકામાં 25% ટેરિફ નહીં

ભારતમાં બનેલા iPhone પર અમેરિકામાં 25% ટેરિફ નહીં

ટ્રમ્પની નવી ટેરિફ નીતિ ભારતમાંથી અમેરિકા મોકલવામાં આવતા iPhones પર કોઈ અસર કરશે નહીં. અમેરિકન રાષ્ટ્રપતિએ 1 ઓગસ્ટ, 2025થી ભારતીય માલ પર 25% ટેરિફની જાહે

By Gujaratnow
અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં હ્યુમન ફેક્ટર સ્પેશિયાલિસ્ટ સામેલ

અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં હ્યુમન ફેક્ટર સ્પેશિયાલિસ્ટ સામેલ

કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન રાજ્યમંત્રી મુરલીધર મોહોલે ગુરુવારે સંસદમાં જણાવ્યું હતું કે અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં માનવ પરિબળ નિષ્

By Gujaratnow
સિઝનમાં પહેલીવાર નર્મદા ડેમના 10 દરવાજા ખોલાયા

સિઝનમાં પહેલીવાર નર્મદા ડેમના 10 દરવાજા ખોલાયા

મધ્ય પ્રદેશના ઓમકારેશ્વર ડેમમાંથી પાણી છોડવામાં આવતા ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટીમાં સતત વધારો થઇ રહ્યો છે. જેને પગલે આજે (31

By Gujaratnow