પગમાં કેમ ચઢી જાય છે ખાલી?

પગમાં કેમ ચઢી જાય છે ખાલી?

આપણે ઘણીવાર લાંબા સમય સુધી એક જ સ્થિતિમાં બેસી રહીએ છીએ અથવા તો કોઈ ભારે સામાન પકડી રાખીએ છીએ તો પગા ઝણઝણાટી થવા લાગે છે. આ સમસ્યાનો લગભગ દરેક લોકો સામનો કરે છે, પરંતુ ઘણીવાર સ્થિતિ એવી થઇ જાય છે કે, સમસ્યાનું કારણ બને છે. જો તમને લાંબા સમયથી આ સમસ્યાનો સામનો કરી રહ્યાં હોવ તો નુકસાનકારક સાબિત થઇ જાય છે, આ સમસ્યાથી પરેશાન લોકોની લાઈફ બગડી શકે છે. ફિઝિયોથેરાપિસ્ટ ખ્યાતિ શર્મા પાસેથી જાણીએ પગમાં ખાલી ચઢવા પાછળનું કારણ.

ઝણઝણાટી એટલે કે ખાલી ચઢવાને મેડિકલની ભાષામાં પેરેસ્થેસિયા કહેવામાં આવે છે. આ રોગમાં હાથ પગ સુન્ન થઈ જાય છે. પેરેસ્થેસિયામાં અંગ સુન્ન થઈ જાય પછી તે ભાગમાં ખૂબ કળતર થાય છે. કેટલીકવાર જો બરાબર ન બેસીએ તો પણ આ સમસ્યા થાય છે. પરંતુ જ્યારે તે દરરોજ થવા લાગે છે, ત્યારે તે ચિંતાનો વિષય બની શકે છે.

ઝણઝણાટી પાછળના કારણો શું છે?

પગમાં કળતર હાઈપોથાઈરોડિઝમને કારણે થઈ શકે છે. થાઇરોઇડની ઘણી સ્થિતિઓ છે અને કોઈપણ તેનાથી પીડાઈ શકે છે.થાઇરોઇડ એક નાની ગ્રંથિ છે, જે હોર્મોન્સ ઉત્પન્ન કરીને વ્યક્તિના શરીરમાં મેટાબોલિઝ્મને કંટ્રોલ કરી શકે છે.તેના હોર્મોન્સ શરીરના તાપમાનથી લઈને મેટાબોલિઝ્મ સુધી બધું કંટ્રોલ કરે છે. આ ગ્રંથીઓ તમારા મૂડથી લઈને તમારા પીરિયડ સુધીની દરેક વસ્તુને અસર કરે છે.

જો ટયુમરની સમસ્યા હોય તો પગમાં ઝણઝણાટી થઈ શકે છે. આ પાછળનું કારણ બ્રેઈન ટ્યુમરના વિકાસને કારણે થાય છે, જે મોટાભાગે મગજના સામાન્ય કામને નુકસાન પહોંચાડે છે. ધ્યાનમાં રાખો કે શરીરમાં કોઈપણ ગાંઠ કેન્સરની નથી. તેથી, જો તમે શરીરમાં ગાંઠ સમજો છો, તો શક્ય તેટલી વહેલી તકે ડૉક્ટરનો સંપર્ક કરો.

નસમાં કોઈ સમસ્યા હોય તો પણ પગમાં ઝણઝણાટી થાય છે

જ્યારે નસોમાં બ્લડ સર્ક્યુલેશનની સમસ્યા હોય છે એસ્ટ્રોજન સંતુલનનો અભાવ ઓટોઈમ્યુનડિસઓર્ડર રીપેટેટીવ મુવમેન્ટ નર્વસ સિસ્ટમ રોગ કિડની રોગો યકૃતના રોગો વિટામિન B1, B6, B12, B3 અથવા વિટામિન Eની ઉણપ

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow