ભાઈબીજની અનોખી પરંપરા

દિવાળીના તહેવારની ઉજવણી શરૂ થઇ ગઈ છે. દુનિયામાં ભારત અલગ-અલગ તહેવાર અને રીત રિવાજ માટે જાણીતું છે.દેશમાં અનોખા રીત રિવાજોનું આજે પણ પાલન કરવામાં આવે છે. દેશમાં ભાઇબીજની પણ ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવે છે. આ દિવસે બહેન ભાઈ માટે લાંબી ઉંમર અને સુખસમૃદ્ધિની પ્રાર્થના કરે છે, પરંતુ છત્તીસગઢ સહિત ઘણી જગ્યાઓ ભાઈ-બીજની વિચિત્ર પરંપરાનું પાલન કરવામાં આવે છે,
ભાઈબીજની ઉજવણી પણ રક્ષાબંધનની જેમ કરવામાં આવે છે , આ દિવસે બહેનો તેમના ભાઈને તિલક લગાવે છે અને સુખ, સમૃદ્ધિ અને લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરે છે. પરંતુ કેટલીક જગ્યાએ બહેનો ભાઈઓને ભાઈબીજના દિવસે મરવાનો શ્રાપ આપે છે. આ જાણીને તમે કદાચ વિશ્વાસ નહીં કરો, પરંતુ આ સંપૂર્ણ રીતે સાચું છે. ભાઈઓને શ્રાપ આપ્યા પછી બહેનોએ પણ તેનું પ્રાયશ્ચિત પણ કરે છે, આ એક પરંપરા છે જે વર્ષોથી અનુસરવામાં આવે છે. આવો જાણીએ આ કેવા પ્રકારની પરંપરા છે અને કયા રાજ્યમાં ઉજવવામાં આવે છે?

આ અનોખી પરંપરાનું કરવામાં આવે છે પાલન
આ અનોખી પરંપરાનું પાલન છત્તીસગઢ, ઝારખંડ, બિહાર અને ઉત્તર પ્રદેશ સહિત કેટલાક વિસ્તારોમાં કરવામાં આવે છે. આ પરંપરા અનુસાર, બહેનો તેમના ભાઈઓને મૃત્યુનો શ્રાપ આપે છે. છત્તીસગઢના જશપુર જિલ્લામાં એક ખાસ સમુદાયના લોકો દ્વારા આ પરંપરાનું પાલન કરવામાં આવે છે. બહેનો તેમના ભાઈઓને મૃત્યુનો શ્રાપ આપે છે. ભાઈ-બીજના દિવસે બહેનો સવારે ઉઠ્યા પછી તેમના ભાઈઓને શાપ આપે છે. આનું પ્રાયશ્ચિત કરવા માટે બહેનો તેમની જીભ પર કાંટાથી ચૂંટે છે.
આ દરમિયાન યુવતીઓ યમલોકના જીવોની મૂર્તિ બનાવે છે અને તેને કચડી નાખે છે. એવું માનવામાં આવે છે કે ભાઈ બીજના દિવસે આ પરંપરાનું પાલન કરવાથી યમરાજનો ભય નથી રહેતો. એક પૌરાણિક આ પરંપરાનો ઉલ્લેખ કરવામાં આવે છે.

પૌરાણિક માન્યતાઓ અનુસાર, એકવાર યમરાજ એક એવી વ્યક્તિને મારવા માટે પૃથ્વી પર આવ્યા હતા, જેની બહેને તેને ક્યારેય શ્રાપ આપ્યો ન હતો. ઘણી શોધ કર્યા બાદ પછી યમરાજને એક એવી બહેન મળી જેમને ક્યારે પણ ભાઈને શ્રાપ આપ્યો ન હતો અને તે તેના ભાઈને ખૂબ પ્રેમ કરતી હતી. તેની બહેનને યમરાજની યોજના વિશે ખબર પડી કે તે તેના ભાઈને મારી નાખવા માગે છે.
આ બાદ બહેને તેના ભાઈને ગાળો આપે છે અને તેને શાપ આપે છે, જેના કારણે યમરાજ તેમનો જીવ લઈ શકતા નથી. તેનાથી આ વ્યક્તિનો જીવ બચી જાય છે. ત્યારથી આ પરંપરાનું પાલન કરવામાં આવે છે.