ભાઈબીજની અનોખી પરંપરા

ભાઈબીજની અનોખી પરંપરા
આ દિવસે બહેન ભાઈને આપે છે મરવાનો શ્રાપ, બાદમાં પ્રાયશ્ચિત કરવા માટે આ કામ કરે

દિવાળીના તહેવારની ઉજવણી શરૂ થઇ ગઈ છે. દુનિયામાં ભારત અલગ-અલગ તહેવાર અને રીત રિવાજ માટે જાણીતું છે.દેશમાં અનોખા રીત રિવાજોનું આજે પણ પાલન કરવામાં આવે છે. દેશમાં ભાઇબીજની પણ ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવે છે. આ દિવસે બહેન ભાઈ માટે લાંબી ઉંમર અને સુખસમૃદ્ધિની પ્રાર્થના કરે છે, પરંતુ છત્તીસગઢ સહિત ઘણી જગ્યાઓ ભાઈ-બીજની વિચિત્ર પરંપરાનું પાલન કરવામાં આવે છે,

ભાઈબીજની ઉજવણી પણ રક્ષાબંધનની જેમ કરવામાં આવે છે , આ દિવસે બહેનો તેમના ભાઈને તિલક લગાવે છે અને સુખ, સમૃદ્ધિ અને લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરે છે. પરંતુ કેટલીક જગ્યાએ બહેનો ભાઈઓને ભાઈબીજના દિવસે મરવાનો શ્રાપ આપે છે. આ જાણીને તમે કદાચ વિશ્વાસ નહીં કરો, પરંતુ આ સંપૂર્ણ રીતે સાચું છે. ભાઈઓને શ્રાપ આપ્યા પછી બહેનોએ પણ તેનું પ્રાયશ્ચિત પણ કરે છે, આ એક પરંપરા છે જે વર્ષોથી અનુસરવામાં આવે છે. આવો જાણીએ આ કેવા પ્રકારની પરંપરા છે અને કયા રાજ્યમાં ઉજવવામાં આવે છે?

આ અનોખી પરંપરાનું કરવામાં આવે છે પાલન

આ અનોખી પરંપરાનું પાલન છત્તીસગઢ, ઝારખંડ, બિહાર અને ઉત્તર પ્રદેશ સહિત કેટલાક વિસ્તારોમાં કરવામાં આવે છે. આ પરંપરા અનુસાર, બહેનો તેમના ભાઈઓને મૃત્યુનો શ્રાપ આપે છે. છત્તીસગઢના જશપુર જિલ્લામાં એક ખાસ સમુદાયના લોકો દ્વારા આ પરંપરાનું પાલન કરવામાં આવે છે. બહેનો તેમના ભાઈઓને મૃત્યુનો શ્રાપ આપે છે. ભાઈ-બીજના દિવસે બહેનો સવારે ઉઠ્યા પછી તેમના ભાઈઓને શાપ આપે છે. આનું પ્રાયશ્ચિત કરવા માટે બહેનો તેમની જીભ પર કાંટાથી ચૂંટે છે.

આ દરમિયાન યુવતીઓ યમલોકના જીવોની મૂર્તિ બનાવે છે અને તેને કચડી નાખે છે. એવું માનવામાં આવે છે કે ભાઈ બીજના દિવસે આ પરંપરાનું પાલન કરવાથી યમરાજનો ભય નથી રહેતો. એક પૌરાણિક આ પરંપરાનો ઉલ્લેખ કરવામાં આવે છે.

પૌરાણિક માન્યતાઓ અનુસાર, એકવાર યમરાજ એક એવી વ્યક્તિને મારવા માટે પૃથ્વી પર આવ્યા હતા, જેની બહેને તેને ક્યારેય શ્રાપ આપ્યો ન હતો. ઘણી શોધ કર્યા બાદ પછી યમરાજને એક એવી બહેન મળી જેમને ક્યારે પણ ભાઈને શ્રાપ આપ્યો ન હતો અને તે તેના ભાઈને ખૂબ પ્રેમ કરતી હતી. તેની બહેનને યમરાજની યોજના વિશે ખબર પડી કે તે તેના ભાઈને મારી નાખવા માગે છે.

આ બાદ બહેને તેના ભાઈને ગાળો આપે છે અને તેને શાપ આપે છે, જેના કારણે યમરાજ તેમનો જીવ લઈ શકતા નથી. તેનાથી આ વ્યક્તિનો જીવ બચી જાય છે. ત્યારથી આ પરંપરાનું પાલન કરવામાં આવે છે.

Read more

ભારતમાં બનેલા iPhone પર અમેરિકામાં 25% ટેરિફ નહીં

ભારતમાં બનેલા iPhone પર અમેરિકામાં 25% ટેરિફ નહીં

ટ્રમ્પની નવી ટેરિફ નીતિ ભારતમાંથી અમેરિકા મોકલવામાં આવતા iPhones પર કોઈ અસર કરશે નહીં. અમેરિકન રાષ્ટ્રપતિએ 1 ઓગસ્ટ, 2025થી ભારતીય માલ પર 25% ટેરિફની જાહે

By Gujaratnow
અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં હ્યુમન ફેક્ટર સ્પેશિયાલિસ્ટ સામેલ

અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં હ્યુમન ફેક્ટર સ્પેશિયાલિસ્ટ સામેલ

કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન રાજ્યમંત્રી મુરલીધર મોહોલે ગુરુવારે સંસદમાં જણાવ્યું હતું કે અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં માનવ પરિબળ નિષ્

By Gujaratnow
સિઝનમાં પહેલીવાર નર્મદા ડેમના 10 દરવાજા ખોલાયા

સિઝનમાં પહેલીવાર નર્મદા ડેમના 10 દરવાજા ખોલાયા

મધ્ય પ્રદેશના ઓમકારેશ્વર ડેમમાંથી પાણી છોડવામાં આવતા ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટીમાં સતત વધારો થઇ રહ્યો છે. જેને પગલે આજે (31

By Gujaratnow