ભાઈબીજની અનોખી પરંપરા

ભાઈબીજની અનોખી પરંપરા
આ દિવસે બહેન ભાઈને આપે છે મરવાનો શ્રાપ, બાદમાં પ્રાયશ્ચિત કરવા માટે આ કામ કરે

દિવાળીના તહેવારની ઉજવણી શરૂ થઇ ગઈ છે. દુનિયામાં ભારત અલગ-અલગ તહેવાર અને રીત રિવાજ માટે જાણીતું છે.દેશમાં અનોખા રીત રિવાજોનું આજે પણ પાલન કરવામાં આવે છે. દેશમાં ભાઇબીજની પણ ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવે છે. આ દિવસે બહેન ભાઈ માટે લાંબી ઉંમર અને સુખસમૃદ્ધિની પ્રાર્થના કરે છે, પરંતુ છત્તીસગઢ સહિત ઘણી જગ્યાઓ ભાઈ-બીજની વિચિત્ર પરંપરાનું પાલન કરવામાં આવે છે,

ભાઈબીજની ઉજવણી પણ રક્ષાબંધનની જેમ કરવામાં આવે છે , આ દિવસે બહેનો તેમના ભાઈને તિલક લગાવે છે અને સુખ, સમૃદ્ધિ અને લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરે છે. પરંતુ કેટલીક જગ્યાએ બહેનો ભાઈઓને ભાઈબીજના દિવસે મરવાનો શ્રાપ આપે છે. આ જાણીને તમે કદાચ વિશ્વાસ નહીં કરો, પરંતુ આ સંપૂર્ણ રીતે સાચું છે. ભાઈઓને શ્રાપ આપ્યા પછી બહેનોએ પણ તેનું પ્રાયશ્ચિત પણ કરે છે, આ એક પરંપરા છે જે વર્ષોથી અનુસરવામાં આવે છે. આવો જાણીએ આ કેવા પ્રકારની પરંપરા છે અને કયા રાજ્યમાં ઉજવવામાં આવે છે?

આ અનોખી પરંપરાનું કરવામાં આવે છે પાલન

આ અનોખી પરંપરાનું પાલન છત્તીસગઢ, ઝારખંડ, બિહાર અને ઉત્તર પ્રદેશ સહિત કેટલાક વિસ્તારોમાં કરવામાં આવે છે. આ પરંપરા અનુસાર, બહેનો તેમના ભાઈઓને મૃત્યુનો શ્રાપ આપે છે. છત્તીસગઢના જશપુર જિલ્લામાં એક ખાસ સમુદાયના લોકો દ્વારા આ પરંપરાનું પાલન કરવામાં આવે છે. બહેનો તેમના ભાઈઓને મૃત્યુનો શ્રાપ આપે છે. ભાઈ-બીજના દિવસે બહેનો સવારે ઉઠ્યા પછી તેમના ભાઈઓને શાપ આપે છે. આનું પ્રાયશ્ચિત કરવા માટે બહેનો તેમની જીભ પર કાંટાથી ચૂંટે છે.

આ દરમિયાન યુવતીઓ યમલોકના જીવોની મૂર્તિ બનાવે છે અને તેને કચડી નાખે છે. એવું માનવામાં આવે છે કે ભાઈ બીજના દિવસે આ પરંપરાનું પાલન કરવાથી યમરાજનો ભય નથી રહેતો. એક પૌરાણિક આ પરંપરાનો ઉલ્લેખ કરવામાં આવે છે.

પૌરાણિક માન્યતાઓ અનુસાર, એકવાર યમરાજ એક એવી વ્યક્તિને મારવા માટે પૃથ્વી પર આવ્યા હતા, જેની બહેને તેને ક્યારેય શ્રાપ આપ્યો ન હતો. ઘણી શોધ કર્યા બાદ પછી યમરાજને એક એવી બહેન મળી જેમને ક્યારે પણ ભાઈને શ્રાપ આપ્યો ન હતો અને તે તેના ભાઈને ખૂબ પ્રેમ કરતી હતી. તેની બહેનને યમરાજની યોજના વિશે ખબર પડી કે તે તેના ભાઈને મારી નાખવા માગે છે.

આ બાદ બહેને તેના ભાઈને ગાળો આપે છે અને તેને શાપ આપે છે, જેના કારણે યમરાજ તેમનો જીવ લઈ શકતા નથી. તેનાથી આ વ્યક્તિનો જીવ બચી જાય છે. ત્યારથી આ પરંપરાનું પાલન કરવામાં આવે છે.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow