નવું વર્ષ નવસારીને નડ્યું, અકસ્માતમાં 9ના મોત બાદ હવે પથ્થરની ખીણમાં દુર્ઘટના, 2ના મોત

નવું વર્ષ નવસારીને નડ્યું, અકસ્માતમાં 9ના મોત બાદ હવે પથ્થરની ખીણમાં દુર્ઘટના, 2ના મોત

નવસારીના આલીપોરની ખીણમાંથી પથ્થર પડતા 2 શ્રમિકોના મોત કમકમાટી ભર્યા મોત થયાં છે. ઘટનામાં 2 શ્રમિકોના મોત અન્ય એકને ઈજા પહોંચી છે. ક્વોરીની ખાણમાં કામ કરતા સમયે દુર્ઘટના બની હતી.

આલીપોરની ખીણમાંથી પથ્થર પડતા 2 શ્રમિકોના મોત
નવસારીના આલીપોરની ખીણમાંથી પથ્થર પડતા 2 શ્રમિકોના મોત અને એકને ઈજા પહોંચી છે. જે ઈજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. પાપ્ત માહિતી અનુસાર ક્વોરીની ખાણમાં કામ કરતા સમયે દુર્ઘટના બની હતી. ઈજાગ્રસ્તને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. ચીખલી પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.

પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી
પથ્થર પડતા 2 શ્રમિકોના મોત અને એકને ઈજા પહોંચતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. દુર્ઘટનાને લઈ હાલ તો સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.

અકસ્માતમાં 9ના મોત થયા હતા
નવસારીના વેસમા ગામ નજીક ખાનગી બસ અને કાર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં કારમાં સવાર 8 લોકો તથા બસમાં સવાર એક વ્યક્તિ એમ કુલ 9 લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યાં હતા. આ સાથે 30 લોકોને ગંભીર ઇજા પણ પહોંચી છે. જેમાંથી 11 ગંભીર રીતે ઘવાયેલાં લોકોને નવસારીની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતાં. તો સામાન્ય ઈજા પામનાર લોકોને વલસાડ ખસેડવામાં આવ્યા હતા. તમને જણાવી દઇએ કે, આ બસ અમદાવાદથી મુંબઈ જઇ રહી હતી.

Read more

ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

• એર ઇન્ડિયા ફ્લાઇટ નંબર AI-171ની દુર્ભાગ્યપૂર્ણ ઘટનાથી સમગ્ર દેશ આઘાતમાં છે, આ અકસ્માતમાં માર્યા ગયેલા મુસાફરોના પરિવારો સાથે તમામ દેશવાસીઓ

By Gujaratnow
ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

શહેરના કોઠારિયા મેઇન રોડ પર રહેતી અને કાયદાનો અભ્યાસ કરતી 23 વર્ષીય યુવતીએ ગંજીવાડા-9માં રહેતા દેવરાજ વાલજી ગોહિલ નામના શખ્સ સામે દુ

By Gujaratnow
ભારત-દક્ષિણ આફ્રિકા પહેલી T20 વરસાદને કારણે રદ

ભારત-દક્ષિણ આફ્રિકા પહેલી T20 વરસાદને કારણે રદ

ભારતના દક્ષિણ આફ્રિકા પ્રવાસની T-20 શ્રેણીની પ્રથમ મેચ વરસાદના કારણે રદ કરવામાં આવી છે. ડરબનમાં મેચ પહેલા જ વરસાદ શરૂ થઈ ગયો હતો અને ટોસ પણ થઈ શક્યો નહોતો

By Gujaratnow