બાંગ્લાદેશ પ્રવાસ માટે નવી ટીમ ઈન્ડિયાની જાહેરાત

બાંગ્લાદેશ પ્રવાસ માટે નવી ટીમ ઈન્ડિયાની જાહેરાત

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ(BCCI)એ રવિન્દ્ર જાડેજા અને યશ દયાલના સ્થાને ઓલરાઉન્ડર શાહબાઝ અહેમદ અને ફાસ્ટ બોલર કુલદીપ સેનને ડિસેમ્બરમાં બાંગ્લાદેશ સામેની આગામી ત્રણ મેચની ODI શ્રેણી માટે ટીમમાં સામેલ કર્યા છે.

દયાલને પીઠના નીચેના ભાગમાં સમસ્યા છે અને તે શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે. જ્યારે જાડેજા હજુ સુધી ઘૂંટણની ઈજામાંથી બહાર આવ્યો નથી અને તે બીસીસીઆઈની મેડિકલ ટીમની દેખરેખ હેઠળ છે. આથી તેમનું રિપ્લેસમેન્ટ પણ ટીમમાં સામેલ કર્યું છે.

કુલદીપ અને શાહબાઝને શરૂઆતમાં ન્યુઝીલેન્ડમાં 25 નવેમ્બરથી ઓકલેન્ડમાં શરૂ થનારી 3 મેચની ODI શ્રેણી (ભારત VS ન્યુઝીલેન્ડ) માટે ટીમમાં સામેલ કરવામાં આવ્યા હતા. જો કે હવે તે બાંગ્લાદેશ જનારી ટીમનો ભાગ હશે. ન્યૂઝીલેન્ડમાં ODI ટીમ માટે હાલમાં કોઈ વિકલ્પ આપવામાં આવ્યો નથી.

Read more

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow