બાંગ્લાદેશ પ્રવાસ માટે નવી ટીમ ઈન્ડિયાની જાહેરાત

બાંગ્લાદેશ પ્રવાસ માટે નવી ટીમ ઈન્ડિયાની જાહેરાત

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ(BCCI)એ રવિન્દ્ર જાડેજા અને યશ દયાલના સ્થાને ઓલરાઉન્ડર શાહબાઝ અહેમદ અને ફાસ્ટ બોલર કુલદીપ સેનને ડિસેમ્બરમાં બાંગ્લાદેશ સામેની આગામી ત્રણ મેચની ODI શ્રેણી માટે ટીમમાં સામેલ કર્યા છે.

દયાલને પીઠના નીચેના ભાગમાં સમસ્યા છે અને તે શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે. જ્યારે જાડેજા હજુ સુધી ઘૂંટણની ઈજામાંથી બહાર આવ્યો નથી અને તે બીસીસીઆઈની મેડિકલ ટીમની દેખરેખ હેઠળ છે. આથી તેમનું રિપ્લેસમેન્ટ પણ ટીમમાં સામેલ કર્યું છે.

કુલદીપ અને શાહબાઝને શરૂઆતમાં ન્યુઝીલેન્ડમાં 25 નવેમ્બરથી ઓકલેન્ડમાં શરૂ થનારી 3 મેચની ODI શ્રેણી (ભારત VS ન્યુઝીલેન્ડ) માટે ટીમમાં સામેલ કરવામાં આવ્યા હતા. જો કે હવે તે બાંગ્લાદેશ જનારી ટીમનો ભાગ હશે. ન્યૂઝીલેન્ડમાં ODI ટીમ માટે હાલમાં કોઈ વિકલ્પ આપવામાં આવ્યો નથી.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow