માઇક્રોવેવમાં ક્યારેય ગરમ ન કરતા આ ચીજવસ્તુઓ, નહીં તો ભોગવવું પડશે મોટું નુકસાન!

માઇક્રોવેવમાં ક્યારેય ગરમ ન કરતા આ ચીજવસ્તુઓ, નહીં તો ભોગવવું પડશે મોટું નુકસાન!

માઇક્રોવેવ સાવચેતીઓ : શુ -શુ ન રાખવું જોઇએ. આજકાલ મોટાભાગના લોકો તેમના ઘરમાં વિવિધ પ્રકારની ખાદ્ય વસ્તુઓ બનાવવા માટે માઇક્રોવેવનો ઉપયોગ કરે છે. એમાં કોઈ શંકા નથી કે માઈક્રોવેવે ઘણી બધી વસ્તુઓને ઝડપી બનાવાનુ સરળ બનાવી દીધું છે. તે માત્ર ખોરાકને ગરમ કરવાનું જ નહી, પણ કેક બનાવવામાં અને ખોરાક પકવવાનું કામ પણ ઝડપી બનાવે છે. જો કે,આજ કાલ કેટલાક લોકો માઇક્રોવેવનો ઉપયોગ તે વસ્તુઓને તૈયાર કરવા માટે પણ કરે છે કે જેનાથી વિજળીના કરંટ જોખમ ઉભું થઇ શકે છે તો જાણીએ તમારે માઇક્રોવેવની અંદર શું ન રાખવું જોઈએ.

ઇંડા  
માઇક્રોવેવ ઓવનની અંદર કાચા ઇંડા અથવા ફ્રિજમાં રાખેલા સખત બાફેલા ઇંડા રાખવાનું ટાળવુ જોઇએ. એવું એટલા માટે કે ઇંડાને તેની છાલ સાથે માઇક્રોવેવમાં રાખવાથી વિસ્ફોટ થઇ શકે છે અથવા કોઇ મોટી ગડબડ થઇ શકે છે આનાથી માત્ર માઇક્રોવેવ જ ખરાબ નહી થાય ,પરતું માઇક્રોવેવને નુકસાન પહોંચે છે સાથે તમને પણ નુકસાન પહોંચાડી શકે છે તેથી કોઇ પણ નુકશાન ટાળવા માટે તમે બાફેલા ઇંડાને ફરીથી ગરમ કરી શકો છો, પરંતુ કાચા ઈંડા અથવા છાલવાળા ઈંડાને ગરમ કરવાનું ટાળ

ટમેટા સોસ
ટામેટાસોસ  પણ માઈક્રોવેવ ઓવનમાં ગરમ ​​ન થાય તે માટે પ્રયત્ન કરવો જોઈએ. કારણકે આનાથી વિસ્ફોટ, વિજળીનો કરંટ અને ઓવનમાં ટમેટા સોસ ઢળવાનું પણ જોખમ થઇ શકે છે

પાણી
ઘણા લોકો માઈક્રોવેવમાં પાણી ગરમ કરે છે, તે પણ જાણ્યા વિના કે તેનાથી જોખમ પેદા થઇ શકે છે. વાસ્તવમાં   ગેસ સ્ટોવ અથવા ઇલેક્ટ્રિક કેટલ કરતાં ઓવન વધુ ઝડપથી પાણી ગરમ કરે છે. ઓવનમાં પાણી ગરમ કરતી વખતે કોઈ પરપોટા બનતા નથી, જેથી છલકાવવાનુ જોખમ વધે છે, જે ખતરનાક અકસ્માતોનું કારણ બની શકે છે. આ જ કારણ છે કે કાં તો માઇક્રોવેવમાં પાણી ગરમ ન કરો અને જો કરો તો તેને લાંબા સમય સુધી ઓવનમાં ન રાખો

દ્રાક્ષ
જો કોઈપણ મીઠાઈમાં દ્રાક્ષનો ઉપયોગ કરવામાં આવ્યો હોય તો તેને માઇક્રોવેવમાં ગરમ ​​કરવાનું ટાળો. કારણ કે દ્રાક્ષ પછી પીગળેલા પ્લાઝમામાં ફેરવાઈ શકે છે અને ઓવનમાં વિસ્ફોટ કરી શકે છે. આવું એટલા માટે થાય છે કારણ કે તેનો પલ્પ મીઠો હોય છે

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow