નેતાજીને ઘર ખાલી કરવું નથી: પૂર્વ ધારાસભ્યોએ ખાલી નથી કર્યા આવાસ, જુઓ આખું લિસ્ટ

નેતાજીને ઘર ખાલી કરવું નથી: પૂર્વ ધારાસભ્યોએ ખાલી નથી કર્યા આવાસ, જુઓ આખું લિસ્ટ

ગુજરાતના પૂર્વ ધારાસભ્યોએ સદસ્ય નિવાસમાં અડિંગો જમાવ્યો છે. કેટલાક પૂર્વ ધારાસભ્યો આવાસ ખાલી કરવામાં ગલ્લાતલ્લા કરી રહ્યા છે. આવી સ્થિતિમાં બજેટ સત્ર દરમિયાન ચાલુ ધારાસભ્યોને અન્ય સ્થળે મકાન શોધવા પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. આ પૂર્વ ધારાસભ્યોને મકાન ખાલી કરવા નોટિસ પણ ફટકારવામાં આવી છે.

પદ ગયું પણ મોહ હજું છૂટતો નથી
આ પૂર્વ ધારાસભ્યોએ નિયમ પ્રમાણે સામેથી જ આવાસ ખાલી કરી દેવાના હોય છે. જોકે, પદ ગુમાવ્યા બાદ પણ આ ધારાસભ્યોનો સરકારી ઘરનો મોહ છૂટતો નથી. જૂના પૂર્વ જોગીઓ આવાસ ખાલી કરવાના મૂડમાં નથી. આ 16 માજી ધારાસભ્યો સરકાર માટે માથાનો દુખાવો બની રહ્યા છે.

સરકારી આવાસ ખાલી કરવા નોટિસ
આશ્ચર્યજનક વાત તો એ છે કે આમાંથી કેટલાક તો એવા છે કે તેમણે તાજેતરમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણી જ નથી લડી. ત્યારે હવે આ ધારાસભ્યોને સરકારી આવાસ ખાલી કરવા માટે 10 દિવસનો સમય આપવામાં આવ્યો છે. આ માટે તેઓને એક નોટિસ પણ આપવામાં આવી છે.

આ પૂર્વ મંત્રીઓએ ખાલી કરી દીધા હતા બંગલા
મહત્વનું છે કે,  સપ્ટેમ્બર 2021માં સીએમ વિજય રૂપાણી સહિત તમામ 22 મંત્રી બદલી નાખવામાં આવ્યા હતા. વિજય રૂપાણીની જગ્યાએ ભૂપેન્દ્ર પટેલને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા. ભૂપેન્દ્ર પટેલની નવી સરકારની રચના બાદ પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, પૂર્વ ઉર્જા મંત્રી સૌરભ પટેલ અને પૂર્વ ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ સરકારી બંગલા ખાલી કરી દીધા હતા અને તેની ચાવી માર્ગ મકાન વિભાગને સોંપી હતી.

ક્યા પૂર્વ ધારાસભ્યો નિવાસ ખાલી નથી કરતા?

1.બાબુ વાજા, માંગરોળ
2.સુમન ચૌહાણ, કાલોલ
3.સંતોકબેન અરેઠીયા, રાપર
4.સુરેશ પટેલ, માણસા
5.દુષ્યંત પટેલ, ભરૂચ
6. વિક્રમ માંડમ, ખંભાળીયા
7. જગદીશ પટેલ, અમરાઇવાડી
8.ગ્યાસુદ્દીન શેખ દરિયાપુર
9. કૌશિક પટેલ,નારાયણપુરા
10. ચંદનજી ઠાકોર, સિદ્ધપુર
11.રાઘવજી મકવાણા, મહુવા
12. કાળુભાઇ ડાભી, કપડવંજ
13. કાંતિભાઈ સોઢા,આણંદ
14. અજીતસિંહ ચૌહાણ, બાલાસીનોર
15. અશ્વિન કોટવાલ, ખેડબ્રહ્મા
16. હર્ષદ રિબડીયા, વિસાવદર

Read more

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

બોલિવૂડના દિગ્ગજ એક્ટર સૈફ અલી ખાન અને એક્ટ્રેસ અમૃતા સિંહની દીકરી સારા અલી ખાને પોતાની મહેનત, સમર્પણ અને પ્રતિભાથી ઈન્ડસ્ટ્રીમાં પોતાનુ

By Gujaratnow
ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

રાજકોટનાં વિરાણી ચોકમાં આજે (12 ઓગસ્ટ) NSUI અને કોંગ્રેસનાં આગેવાનો દ્વારા લોકશાહી બચાવવા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસનાં આગેવાનોએ વિવિ

By Gujaratnow
અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

મદુરાઈના એક બારમાં હાર્દિકસિંહ જાડેજા નામનો શખ્સ બેઠો હતો. જો કે આ સમયે તેના મનમાં ઝડપાઈ જવાનો ડર હતો. જેથી તે તુરંત જ ત્યાંથી ભાગીને કેરળના કો

By Gujaratnow
વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

ગઈકાલે (10 ઓગસ્ટ,2025) નખત્રણામાં કચ્છ કડવા પાટીદાર સમાજના કાર્યક્રમમાં વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી.પટેલે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે

By Gujaratnow