Gujarat Now
બ્રેકિંગ
પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યોપાકિસ્તાની વહુ નીકળી ભારતીય જાસૂસપ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલુંભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશેભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાંપાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યોપાકિસ્તાની વહુ નીકળી ભારતીય જાસૂસપ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલુંભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશેભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં
🌏 World

નેપાળ PM પ્રચંડ ભારતપ્રવાસે આવશે

Gujaratnow1 min read
નેપાળ PM પ્રચંડ ભારતપ્રવાસે આવશે

નેપાળના નવા વડાપ્રધાન પુષ્પકુમાર દહલ પ્રચંડ ભારતની સાથે સંબંધોને વધુ મજબૂત કરવાના સંકેત આપી રહ્યા છે. ગયા વર્ષે ડિસેમ્બરમાં વડાપ્રધાનનો પદભાર સંભાળી લેનાર પ્રચંડે આ વખતે નેપાળી પીએમની પ્રથમ ભારત યાત્રાની પંરપરાને જાળવી રાખવાનો નિર્ણય કર્યો છે. પ્રચંડના પૂરોગામી પીએમ શેર બહાદુર દેઉબા અને કે.પી. શર્મા ઓલી વડાપ્રધાનપદને સંભાળી લીધા બાદ પરંપરાને જાળવી રાખીને પોતાની પ્રથમ વિદેશ યાત્રા પર ભારત આવ્યા હતા.

શક્યતા એવી પણ છે કે પ્રચંડ એપ્રિલના બીજા સપ્તાહમાં ભારત આવી શકે છે. આના માટે પ્રચંડે ચીન તરફથી 28મી માર્ચે હેનાનમાં આયોજિત બોઆઓ ફોરમની બેઠકથી દૂર રહેવાનો નિર્ણય કર્યો છે. 2008માં જ્યારે પ્રચંડ પ્રથમ વખત નેપાળના વડાપ્રધાન બન્યા હતા ત્યારે પહેલીવાર વિદેશયાત્રા પર ભારત નહીં આવીને ચીન યાત્રા પર પહોંચ્યા હતા. એ વખતે પ્રચંડે ચીનમાં આયોજિત ઓલિમ્પિક રમતોના ઉદઘાટનમાં હાજરી આપી હતી.

Gujaratnow1 min read

Related News