નેપાળ હિંસામાં માર્યા ગયેલા લોકો શહીદ કહેવાશે

નેપાળ હિંસામાં માર્યા ગયેલા લોકો શહીદ કહેવાશે

નેપાળના વચગાળાના વડાપ્રધાન સુશીલા કાર્કીએ કાર્યભાર સંભાળ્યા પછી કહ્યું કે Gen-Z આંદોલનમાં માર્યા ગયેલા લોકોને શહીદ જાહેર કરવામાં આવશે. પીડિતોના પરિવારોને 10 લાખ નેપાળી રૂપિયાનું વળતર પણ આપવામાં આવશે.

હિંસામાં 51 લોકો માર્યા ગયા હતા, જેમાં એક ભારતીય મહિલાનો પણ સમાવેશ થાય છે. કાર્કીએ ભ્રષ્ટાચારનો અંત લાવવાની પણ પ્રતિજ્ઞા લીધી હતી. તેમણે કહ્યું, 'નેપાળમાં પહેલીવાર 27 કલાક સુધી સતત આંદોલન થયું.'

કાર્કીએ કહ્યું, ‘હું 6 મહિનાથી વધુ સમય સુધી સત્તામાં રહીશ નહીં અને નવી ચૂંટાયેલી સંસદને સત્તા સોંપીશ.’ 12 સપ્ટેમ્બરના રોજ પીએમ પદ સંભાળ્યા પછી, કાર્કીને 5 માર્ચ, 2026ના રોજ નેપાળમાં સામાન્ય ચૂંટણીઓ યોજવાની જવાબદારી સોંપવામાં આવી હતી.

હિંસા બાદ નેપાળના ત્રણ ભૂતપૂર્વ વડાપ્રધાન કેપી શર્મા ઓલી, શેર બહાદુર દેઉબા અને પુષ્પ કમલ દહલ પ્રચંડ બેઘર થઈ ગયા છે. 9 સપ્ટેમ્બરના રોજ Gen-Z વિરોધીઓ દ્વારા તેમના ઘરોને બાળી નાખવામાં આવ્યા હતા.

હાલમાં તે બધા આર્મી કેમ્પમાં રહે છે. તેમના સમર્થકો તેમના નેતાઓ માટે ભાડાના મકાનો શોધવામાં વ્યસ્ત છે. આ નેતાઓ થોડા દિવસો માટે કાઠમંડુની બહાર પોખરા જેવા શહેરોમાં રહેવા માગે છે, જેથી તેમને ફરીથી Gen-Zના ગુસ્સાનો સામનો ન કરવો પડે.

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow