નેન્સી પેલોસીના પતિ પર હથોડાથી હુમલો!

નેન્સી પેલોસીના પતિ પર હથોડાથી હુમલો!

શુક્રવારે વહેલી સવારે સાન ફ્રાન્સિસ્કોમાં યુએસ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવના સ્પીકર નેન્સી પેલોસીના ઘરે એક હુમલાખોર ઘૂસી ગયો હતો અને તેના પતિ પર હથોડી વડે હુમલો કર્યો હતો. ઘટનાથી વાકેફ લોકોએ આ માહિતી આપી હતી. નેન્સીના પતિ પોલ પેલોસી પર એક બોથડ હથિયારથી હુમલો કરાતા માથા અને શરીર પર ઇજાઓ થઈ હતી. આ ઘટનાથી વાકેફ બે લોકોએ શુક્રવારે એસોસિએટેડ પ્રેસ ન્યૂઝ એજન્સીને જણાવ્યું હતું. તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે જ્યાં ડોક્ટર તેમની સારવાર કરી રહ્યા છે. નેન્સી પેલોસીના પ્રવક્તા, ડ્રિવ હેમિલે જણાવ્યું હતું કે પોલ ઇજાઓમાંથી સંપૂર્ણ સ્વસ્થ થવાની અપેક્ષા છે. ઉલ્લેખનીય છે કે નેન્સી પેલોસી થોડા સમય પહેલા જ ચીનની ધમકી પછી પણ તાઈવાનની મુલાકાતે જવા બદલ ચર્ચામાં રહ્યા હતા.

નેન્સીના પ્રવક્તા, ડ્રિવ હેમિલે જણાવ્યું હતું કે હુમલાખોરને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે અને હુમલાના હેતુની તપાસ કરવામાં આવી રહી છે. હુમલાખોરે નેન્સીના ઘરમાં ઘૂસીને ‘ક્યાં છે નેન્સી?’ એવી બૂમો પાડી હતી. હેમિલે એક નિવેદનમાં જણાવ્યું હતું કે સ્પીકર અને તેમનો પરિવાર તબીબી કર્મચારીઓ અને ઘટના પછી તેમને મદદ કરનારા લોકોનો આભારી છે. ઉપરાંત, તેમણે વિનંતી કરી કે આ સમયે તેમની ગોપનીયતાનું સન્માન કરવામાં આવે. સંસદના સભ્યોની સુરક્ષા માટે જવાબદાર કેપિટોલ પોલીસે કહ્યું કે નેન્સી તેના પતિ પર હુમલા સમયે વોશિંગ્ટનમાં હતા. નેન્સી યુરોપમાં સુરક્ષા પરિષદ માટે આ અઠવાડિયે વોશિંગ્ટન પરત ફર્યા હતા.

Read more

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

બોલિવૂડના દિગ્ગજ એક્ટર સૈફ અલી ખાન અને એક્ટ્રેસ અમૃતા સિંહની દીકરી સારા અલી ખાને પોતાની મહેનત, સમર્પણ અને પ્રતિભાથી ઈન્ડસ્ટ્રીમાં પોતાનુ

By Gujaratnow
ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

રાજકોટનાં વિરાણી ચોકમાં આજે (12 ઓગસ્ટ) NSUI અને કોંગ્રેસનાં આગેવાનો દ્વારા લોકશાહી બચાવવા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસનાં આગેવાનોએ વિવિ

By Gujaratnow
અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

મદુરાઈના એક બારમાં હાર્દિકસિંહ જાડેજા નામનો શખ્સ બેઠો હતો. જો કે આ સમયે તેના મનમાં ઝડપાઈ જવાનો ડર હતો. જેથી તે તુરંત જ ત્યાંથી ભાગીને કેરળના કો

By Gujaratnow
વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

ગઈકાલે (10 ઓગસ્ટ,2025) નખત્રણામાં કચ્છ કડવા પાટીદાર સમાજના કાર્યક્રમમાં વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી.પટેલે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે

By Gujaratnow