ભારતના શૈક્ષણિક સર્ટિફિકેટ વિદેશોમાં માન્ય રાખવા વાટાઘાટો

ભારતના શૈક્ષણિક સર્ટિફિકેટ વિદેશોમાં માન્ય રાખવા વાટાઘાટો

કેવડિયાની ટેન્ટસીટી - 02 ખાતે જી-20ના ઇન્વેસ્ટર ગૃપની ત્રિદિવસીય બેઠકનો સોમવારથી પ્રારંભ થયો છે. જેમાં વિવિધ દેશના 75 જેટલા પ્રતિનિધિ ભાગ લઇ રહ્યાં છે. ઉદઘાટન પ્રસંગે કેન્દ્ર સરકારના વાણિજય વિભાગના સચિવ સુનિલ બર્થવાલેએ જણાવ્યું હતું કે, આ બેઠકથી દેશના અર્થતંત્રને વેગ મળશે અને વિદેશી રોકાણ દેશમાં આવવાથી રોજગારીની તકો વધશે અને આદિવાસી વિસ્તારોમાં વધુ રોકાણ આવે તેવા પ્રયાસો રહેશે. કેવડિયા ટેન્ટ સીટી 1 માં કોન્ફરન્સ હોલ ખાતે 'ટ્રેડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર' સેમિનારને ભારત સરકારના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના વિશેષ સચિવ સુમિતા ડાવરા,સચિવ રાજેશ કુમાર સિંહ, સચિવ સુનિલ બર્થવાલે વિશેષ ઉપસ્થિતિમાં ખુલ્લો મુકાયો હતો.

વિદેશી રોકાણ દેશમાં આવવાથી રોજગારીની તકો વધશે
સુનીલ બર્થવાલે જણાવ્યું હતું કે આ જે વિવિધ પાંચ વિષયો માં 3જી ટ્રેડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર' સેમિનાર યોજાયો હતો. નર્મદા જિલ્લો આકાક્ષી જિલ્લો છે ત્યારે આદિવાસીઓએ બનાવેલી વસ્તુઓને વૈશ્વિક સ્તરે નામ મળે નાના અને લઘુ ઉદ્યોગો છે. જેને પ્રોત્સાહન મળે આ બધી બાબતોમાં કામ કરવાનું છે. દેશનો વિકાસ દર વધે અને વિદેશી રોકાણકારો આવશે તો સ્થાનિક રોજગારી પણ વધશે. ભારતમાં શિક્ષણ મેળવી વિદેશોમાં નોકરી માટે જતાં ભારતીયોને નોકરી મેળવવામાં સમસ્યાઓનો સામનો કરવો પડે છે.

વિદેશોમાં ભારતીય સર્ટિફિકેટને માન્ય રાખવામાં આવતાં નથી
​​​​​​​વિદેશોમાં ભારતીય સર્ટિફિકેટને માન્ય રાખવામાં આવતાં નથી ત્યારે આ બાબતે વિવિધ દેશોના પ્રતિનિધિઓ સાથે વાટાઘાટો કરવામાં આવી છે. આ બેઠક બાદ વધુ બે બેઠકો થશે અને અંતે તારણ પર પહોંચી એકશન પ્લાન ઘડવામાં આવશે. બીજી તરફ ભારત સરકારે નેશનલ લોજિસ્ટિક્સ પોલિસી, સ્ટેટ લોજિસ્ટિક્સ પોલિસી,, લોજિસ્ટિક્સ ડેટા બેં, પોર્ટ કનેક્ટિવિટી પ્લાન વગેરે જેવી ડિજિટલ પહેલ જેવા સુધારાને કારણે 2023માં ભારતે વૈશ્વિક લોજિસ્ટિક્સ પર્ફોર્મન્સ ઇન્ડેક્સમાં તેની રેન્કિંગમાં સુધારો કર્યો છે

Read more

ગડકરીએ કહ્યું- મારું મગજ ₹200 કરોડ પ્રતિ મહિનાનું

ગડકરીએ કહ્યું- મારું મગજ ₹200 કરોડ પ્રતિ મહિનાનું

કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ શનિવારે નાગપુરમાં એક કાર્યક્રમમાં પેટ્રોલમાં ઇથેનોલ ભેળવવાની ટીકાનો જવાબ આપ્

By Gujaratnow
એશિયા કપમાં ભારતની PAK પર સર્જિકલ સ્ટ્રાઈક

એશિયા કપમાં ભારતની PAK પર સર્જિકલ સ્ટ્રાઈક

એશિયા કપની છઠ્ઠી મેચમાં ભારતે પાકિસ્તાનને 7 વિકેટથી હરાવ્યું. ટીમે 16મી ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 128 રનનો ટાર્ગેટ ચેઝ કર્યો. દુબઈ ઈન્ટરનેશનલ સ્ટે

By Gujaratnow
નેપાળ બાદ હવે લંડનમાં પ્રદર્શન, 1 લાખ લોકો જોડાયાં

નેપાળ બાદ હવે લંડનમાં પ્રદર્શન, 1 લાખ લોકો જોડાયાં

શનિવારે સેન્ટ્રલ લંડનમાં 1 લાખથી વધુ લોકોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ વિરોધ પ્રદર્શનને 'યુનાઇટ ધ કિંગડમ' નામ આપવામાં આવ્યું હતું, જેનું ને

By Gujaratnow