સુરત મનપાની બેદરકારી, 8 વર્ષ અગાઉ બનાવાયેલા આવાસમાં સ્લેબના પોપડા પડતા દુર્ઘટના

સુરત મનપાની બેદરકારી, 8 વર્ષ અગાઉ બનાવાયેલા આવાસમાં સ્લેબના પોપડા પડતા દુર્ઘટના

સુરતના અડાજણમાં આવેલા ક્રોમા આવાસ જર્જરીત હાલતમાં હોવાથી લોકો ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે. તેવામાં આજે આવાસના પહેલા માળના સ્લેબના પોપડા પડ્યા હોવાનું સામે આવ્યું છે. આમ સુરત મનપાની બેદરકારી સામે આવતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. મહત્વનું છે કે 8 વર્ષ પહેલાં મનપા દ્વારા આવાસનું નિર્માણ કરવામાં આવ્યું હતું. જેમાં નબળી કામગીરી કરવામાં આવી હોવાની સ્થાનિકો રાવ ઉઠાવી રહ્યા છે.

આવાસ ખૂબ હલકી ગુણવત્તાના મટીરીયલથી બનાવાયા: રહીશો

8 વર્ષ અગાઉ જ સુરત મહાનગરપાલિકા દ્વારા નવાનકોર ક્રોમા આવાસનું નિર્માણ કરવામાં આવ્યું હતું. જેના થોડા સમયબાદ જ હાલ તે ખખડધજ હાલતમાં બનતા તંત્રની કામગીરી શંકાના દાયરામાં આવી છે. હજુ પણ એકા એક સ્લેબ તૂટી પડે તેવી સ્થિતિ છે. આજે અમુક હિસ્સો તૂટી પડતા બિલ્ડિંગમાં રમતા બાળકોના જીવ જોખમમાં મુકાયા હતા. ઉલ્લેખનિય છે કે અગાઉ પણ બીજા માળનો કાટમાળ પડ્યો હતો. આથી લોકોએ આ મામલે ઘટતું કરવા માંગ ઉઠાવી હતી. છતાં પણ તંત્ર આ મામલે નિંદ્રામાં સુતું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. તંત્રની આ ઉદાસીનતાથી ગરીબ લોકોના જીવ ભગવાન ભરોસે હોય તેવો ઘાટ સર્જાયો છે.

થોડા સમય અગાઉ થયા હતું બાળકીનું મોત

મહત્વનું છે કે થોડા સમય અગાઉ સુરતના પાંડેસરા વિસ્તારમાંથી અચાનક જર્જરિત આવાસનો સ્લેબ તૂટી પડ્યો હતો. જેને લઈને એક બાળકીનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. છતાં પણ તંત્ર દ્વારા હજુ આ મામલે ગંભીરતા દાખવવામાં આવતા લોકો આક્રોશ વ્યકત કરી રહ્યા છે.


સળગતા સવાલ?

  • 8 વર્ષમાં જ આવાસના ઘર જર્જરિત થઇ ગયા?
  • સ્લેબ તૂટે અને દુર્ઘટના થાય તો જવાબદારી કોની?
  • મનપાના આવાસમાં ગુણવતા પર ધ્યાન નથી અપાયું?
  • લોકોના જીવ ભગવાન ભરોસે કોણે મુક્યા?
  • અનેકવાર પડતા પોપડાથી બાળકોને કેમ બચાવવા?
  • શું મોટી જાનહાનિ થાય ત્યારે જ તંત્રને સમજાય છે?
  • આવાસના ઘરોમાં નબળી ગુણવત્તાનું મટિરિયલ વપરાયું?
  • આવાસ બનાવનારા કોન્ટ્રાક્ટર જવાબદારી લેશે?
  • પરેશાન સ્થાનિકોની વાત સાંભળી દરકાર કોણ લેશે?
  • અનેક વખતની રજૂઆત છતાં માત્ર આશ્વાસન કેમ?

Read more

ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

• એર ઇન્ડિયા ફ્લાઇટ નંબર AI-171ની દુર્ભાગ્યપૂર્ણ ઘટનાથી સમગ્ર દેશ આઘાતમાં છે, આ અકસ્માતમાં માર્યા ગયેલા મુસાફરોના પરિવારો સાથે તમામ દેશવાસીઓ

By Gujaratnow
ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

શહેરના કોઠારિયા મેઇન રોડ પર રહેતી અને કાયદાનો અભ્યાસ કરતી 23 વર્ષીય યુવતીએ ગંજીવાડા-9માં રહેતા દેવરાજ વાલજી ગોહિલ નામના શખ્સ સામે દુ

By Gujaratnow
ભારત-દક્ષિણ આફ્રિકા પહેલી T20 વરસાદને કારણે રદ

ભારત-દક્ષિણ આફ્રિકા પહેલી T20 વરસાદને કારણે રદ

ભારતના દક્ષિણ આફ્રિકા પ્રવાસની T-20 શ્રેણીની પ્રથમ મેચ વરસાદના કારણે રદ કરવામાં આવી છે. ડરબનમાં મેચ પહેલા જ વરસાદ શરૂ થઈ ગયો હતો અને ટોસ પણ થઈ શક્યો નહોતો

By Gujaratnow