Nayantharaએ જુડવા બાળકો અને પતિની સાથે કરી ક્રિસમસની ઉજવણી

Nayantharaએ જુડવા બાળકો અને પતિની સાથે કરી ક્રિસમસની ઉજવણી

નયનથારાએ પરિવાર સાથે ક્રિસમસની ઉજવણી કરી

ક્રિસમસની ધૂમ ચોતરફ જોવા મળી રહી છે. ફિલ્મી સેલિબ્રિટીઓ પણ આ તહેવારને સંપૂર્ણ રીતે એન્જોય કરી રહ્યાં છે. સાઉથ સિનેમાની સુપરહિટ અભિનેત્રી નયનથારા હાલમાં લગ્ન બાદ બે જુડવા બાળકોની માં બની છે. આ અભિનેત્રીએ પણ પોતાના પતિ વિગ્નેશ શિવન અને બંને બાળકોની સાથે ક્રિસમસની ઉજવણી કરી, જેની તસ્વીર સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે.  

નયનથારાએ પરિવાર સાથે ક્રિસમસ ઉજવી

મહત્વનું છે કે નયનથારાના લગ્ન બાદ પહેલી ક્રિસમસ છે. આ ખાસ અવસરે વિગ્નેશ અને નયનથારા બંને બાળકોને ખોળામાં લઇને ક્રિસમસ સેલિબ્રેટ કરતા દેખાય છે. જો કે, બાળકોના ચહેરા આ તસ્વીરમાં પણ બતાવવામાં આવ્યાં નથી. તો નયનથારા અને તેના પતિના ચહેરા પર નેચરલ સ્માઈલ દેખાઈ રહી છે. બાળકોની સાથે ફેસ્ટિવલના સેલિબ્રેશનનો આનંદ તમે પણ તેના ચહેરા પર જોઇ શકો છો.

વિગ્નેશ શિવને શેર કરી જુડવા બાળકો સાથેની તસ્વીર

વિગ્નેશ શિવને તેના ઈન્સ્ટાગ્રામ પર તસ્વીરની નાની જિફ બનાવીને શેર કરી છે. આ તસ્વીરમાં બંને બાળકોને રેડ કલરના કપડામાં જોઇ શકાય છે. નયનથારા કારકિર્દીની સાથે-સાથે અંગત જીવનમાં પણ એક સારા તબક્કામાંથી પણ પસાર થઇ રહી છે.

જાણો, વિગ્નેશ શિવને કેપ્શનમાં શું લખ્યું

વિગ્નેશ શિવને પોસ્ટ શેર કરી કેપ્શનમાં લખ્યું, 'ઉઈર, ઉલાગમ, નયન, વિક્કી અને પરિવાર તમને ક્રિસમસ અને નવા વર્ષની શુભેચ્છાઓ આપીએ છીએ. તમને મેરી ક્રિસમસ અને નવુ વર્ષ મુબારક. તેમણે વધુમાં લખ્યું, 'બુદ્ધી પ્રેમ બહુતાયત મેં!' અને પ્રામાણિકતાથી ઈશ્વરને પ્રાર્થના કરુ છુ કે તેઓ બધાને આવુ જીવન જીવવાની બધી ખુશી અને આશીર્વાદ આપે જેનુ તમે હંમેશા સપનુ જોયુ છે!'

Read more

રાજકોટ-જામનગર રોડ પર સાંઢિયાપુલની કામગીરી વખતે ટેકા ખસી જતા સ્લેબ નમી ગયો

રાજકોટ-જામનગર રોડ પર સાંઢિયાપુલની કામગીરી વખતે ટેકા ખસી જતા સ્લેબ નમી ગયો

જૂનાગઢના માંગરોળ તાલુકામાં બ્રિજનો સ્લેબ ધરાશાયી થયાના 17 દિવસમાં જ રાજકોટમાં નિર્માણાધીન બ્રિજમાં ગાબડું પડ્યું છે. રાજકોટ-જામનગર હાઈવે પર નિ

By Gujaratnow
ભારતમાં બનેલા iPhone પર અમેરિકામાં 25% ટેરિફ નહીં

ભારતમાં બનેલા iPhone પર અમેરિકામાં 25% ટેરિફ નહીં

ટ્રમ્પની નવી ટેરિફ નીતિ ભારતમાંથી અમેરિકા મોકલવામાં આવતા iPhones પર કોઈ અસર કરશે નહીં. અમેરિકન રાષ્ટ્રપતિએ 1 ઓગસ્ટ, 2025થી ભારતીય માલ પર 25% ટેરિફની જાહે

By Gujaratnow
અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં હ્યુમન ફેક્ટર સ્પેશિયાલિસ્ટ સામેલ

અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં હ્યુમન ફેક્ટર સ્પેશિયાલિસ્ટ સામેલ

કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન રાજ્યમંત્રી મુરલીધર મોહોલે ગુરુવારે સંસદમાં જણાવ્યું હતું કે અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં માનવ પરિબળ નિષ્

By Gujaratnow