નૌસેનાને 26 ફાઇટર એમ રફાલ મળશે

નૌસેનાને 26 ફાઇટર એમ રફાલ મળશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 13-14 જુલાઇના રોજ ફ્રાન્સના પ્રવાસે છે. આ દરમિયાન પીએમ મોદી ફ્રાન્સની રાષ્ટ્રીય પરેડમાં ‘ગેસ્ટ ઑફ ઑનર’ રહેશે. પરંતુ, આ પ્રવાસને ભારતીય દરિયાકાંઠાની સુરક્ષાને વધુ મજબૂત બનાવવાની દિશામાં મહત્ત્વપૂર્ણ પગલું માનવામાં આવે છે. કેન્દ્ર સરકારે નૌસેના માટે ફાઇટર પ્લેન રફાલના ‘એમ’ વર્ઝનને ખરીદવાની સંપૂર્ણ તૈયારી કરી છે.

સૂત્રોનુસાર ભારત 26 રફાલ એમ ખરીદશે. આ વિમાન કુલ 5.5 અબજ ડૉલર (45 હજાર કરોડ રૂ.)માં મળશે. મોદીના ફ્રાન્સ પ્રવાસ દરમિયાન ફ્રાન્સની એરક્રાફ્ટ કંપની દસૉલ્ટ એવિયેશનની સાથે રફાલ એમની ડીલ પર હસ્તાક્ષર થઇ શકે છે. આ વિમાનને સમુદ્રી વિસ્તારમાં હવાઇ હુમલા માટે વિશેષ રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે. તેને સૌથી પહેલાં સ્વદેશી એરક્રાફ્ટ કેરિયર INS વિક્રાંત પર તહેનાત કરવામાં આવશે. અત્યારે INS વિક્રાંત પર રશિયન મિગ-29 તહેનાત છે, જેને ધીરે ધીરે સેવામાંથી બહાર કરાઇ રહ્યા છે. વડાપ્રધાનના ફ્રાન્સ પ્રવાસ પહેલાં ડિફેન્સ પ્રોક્યોરમેન્ટ કાઉન્સિલ ડીલને ઔપચારિક મંજૂરી આપવા માટે બેઠક કરશે.

અમેરિકન ‘એફ-એ-18 સુપર હોર્નેટ’ના સ્થાને રફાલ ‘એમ’ની પસંદગી કરી : કેન્દ્ર સરકાર છેલ્લાં 4 વર્ષથી આઇએનએસ વિક્રાંત માટે નવા ફાઇટર જેટને ખરીદવાની યોજના પર કામ કરી રહી હતી. બે વર્ષ પહેલાં અમેરિકન બોઇંગ ‘એફ-એ-18 સુપર હોર્નેટ’ અને ફ્રાન્સના રફાલ ‘એમ’માંથી કોઇ એકની પસંદગીની પ્રક્રિયા શરૂ કરાઇ હતી. બંને ફાઇટર જેટ્સની ખાસિયતને લઇને વિસ્તૃત રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો હતો. ભારતીય રક્ષા નિષ્ણાતોએ રફાલ એમને જરૂરિયાત મુજબ ફિટ ગણાવ્યું હતું, જ્યારે બોઇંગ એફ-એ-18ને લઇને ભારતીય નિષ્ણાતો એકમત ન હતા. નૌસેનાએ ગત વર્ષે ગોવામાં સુપર હોર્નેટ અને રફાલ એમનું પરીક્ષણ કર્યું હતું.

Read more

ભારતમાં બનેલા iPhone પર અમેરિકામાં 25% ટેરિફ નહીં

ભારતમાં બનેલા iPhone પર અમેરિકામાં 25% ટેરિફ નહીં

ટ્રમ્પની નવી ટેરિફ નીતિ ભારતમાંથી અમેરિકા મોકલવામાં આવતા iPhones પર કોઈ અસર કરશે નહીં. અમેરિકન રાષ્ટ્રપતિએ 1 ઓગસ્ટ, 2025થી ભારતીય માલ પર 25% ટેરિફની જાહે

By Gujaratnow
અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં હ્યુમન ફેક્ટર સ્પેશિયાલિસ્ટ સામેલ

અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં હ્યુમન ફેક્ટર સ્પેશિયાલિસ્ટ સામેલ

કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન રાજ્યમંત્રી મુરલીધર મોહોલે ગુરુવારે સંસદમાં જણાવ્યું હતું કે અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં માનવ પરિબળ નિષ્

By Gujaratnow
સિઝનમાં પહેલીવાર નર્મદા ડેમના 10 દરવાજા ખોલાયા

સિઝનમાં પહેલીવાર નર્મદા ડેમના 10 દરવાજા ખોલાયા

મધ્ય પ્રદેશના ઓમકારેશ્વર ડેમમાંથી પાણી છોડવામાં આવતા ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટીમાં સતત વધારો થઇ રહ્યો છે. જેને પગલે આજે (31

By Gujaratnow