મ્યુ. ફંડોએ જાહેર ક્ષેત્રની બેન્કમાં રોકાણ વધાર્યું

મ્યુ. ફંડોએ જાહેર ક્ષેત્રની બેન્કમાં રોકાણ વધાર્યું

મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રીઝનું બેન્કિંગ સેક્ટરમાં વર્ચસ્વ વધી રહ્યું છે. જાહેર ક્ષેત્રની બેંકોના શેર જે લાંબા સમયથી અંડરપર્ફોર્મર હતા તેમણે છેલ્લા બે વર્ષમાં જોરદાર પુનરાગમન કર્યું છે. આ કારણે મ્યુચ્યુઅલ ફંડોએ તેમાં રોકાણ વધાર્યું છે. છેલ્લા છ મહિનામાં લગભગ તમામ મ્યુચ્યુઅલ ફંડ કંપનીઓએ જાહેર ક્ષેત્રની બેંકોના શેર નવેસરથી ખરીદ્યા છે.

બેન્ક ઓફ બરોડાના મોટાભાગના શેર ખરીદવામાં આવ્યા હતા. એઇસ મ્યુચ્યુઅલ ફંડના અહેવાલ અનુસાર 40 મ્યુચ્યુઅલ ફંડ સ્કીમોએ બેન્ક ઓફ બરોડા, 23 સ્કીમ પંજાબ નેશનલ બેન્ક અને 17 સ્કીમ એસબીઆઈમાં ખરીદી છે. અન્ય બેંકોમાં પણ મ્યુચ્યુઅલ ફંડની ખરીદી અને હોલ્ડિંગમાં વધારો થયો છે. આગામી સમયમાં પણ બેન્કિંગ સેક્ટરમાં વધારો થાય તેવા સંકેતો છે.

વધુ રિટર્નને કારણે આકર્ષણ વધ્યું

જાહેર ક્ષેત્રની બેંકોના શેરમાં 66% સુધીનો વધારો જોવા મળ્યો
નિફ્ટી પ્રાઈવેટ બેંક ઈન્ડેક્સ સરેરાશ 21% વધ્યો
નિફ્ટી 50 ઇન્ડેક્સ માત્ર 5% વધ્યો
આ કારણે શેર વધ્યાં

નેટ એનપીએ 1.3 ટકા સાથે 10 વર્ષના તળિયે
જાહેર ક્ષેત્રની બેંકોમાં કુલ ધિરાણનો 56% થી વધુ હિસ્સો
વાર્ષિક ધિરાણ વૃદ્ધિ દર 14% થી વધુ

Read more

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

બોલિવૂડના દિગ્ગજ એક્ટર સૈફ અલી ખાન અને એક્ટ્રેસ અમૃતા સિંહની દીકરી સારા અલી ખાને પોતાની મહેનત, સમર્પણ અને પ્રતિભાથી ઈન્ડસ્ટ્રીમાં પોતાનુ

By Gujaratnow
ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

રાજકોટનાં વિરાણી ચોકમાં આજે (12 ઓગસ્ટ) NSUI અને કોંગ્રેસનાં આગેવાનો દ્વારા લોકશાહી બચાવવા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસનાં આગેવાનોએ વિવિ

By Gujaratnow
અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

મદુરાઈના એક બારમાં હાર્દિકસિંહ જાડેજા નામનો શખ્સ બેઠો હતો. જો કે આ સમયે તેના મનમાં ઝડપાઈ જવાનો ડર હતો. જેથી તે તુરંત જ ત્યાંથી ભાગીને કેરળના કો

By Gujaratnow
વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

ગઈકાલે (10 ઓગસ્ટ,2025) નખત્રણામાં કચ્છ કડવા પાટીદાર સમાજના કાર્યક્રમમાં વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી.પટેલે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે

By Gujaratnow