મ્યુ. ફંડોએ જાહેર ક્ષેત્રની બેન્કમાં રોકાણ વધાર્યું

મ્યુ. ફંડોએ જાહેર ક્ષેત્રની બેન્કમાં રોકાણ વધાર્યું

મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રીઝનું બેન્કિંગ સેક્ટરમાં વર્ચસ્વ વધી રહ્યું છે. જાહેર ક્ષેત્રની બેંકોના શેર જે લાંબા સમયથી અંડરપર્ફોર્મર હતા તેમણે છેલ્લા બે વર્ષમાં જોરદાર પુનરાગમન કર્યું છે. આ કારણે મ્યુચ્યુઅલ ફંડોએ તેમાં રોકાણ વધાર્યું છે. છેલ્લા છ મહિનામાં લગભગ તમામ મ્યુચ્યુઅલ ફંડ કંપનીઓએ જાહેર ક્ષેત્રની બેંકોના શેર નવેસરથી ખરીદ્યા છે.

બેન્ક ઓફ બરોડાના મોટાભાગના શેર ખરીદવામાં આવ્યા હતા. એઇસ મ્યુચ્યુઅલ ફંડના અહેવાલ અનુસાર 40 મ્યુચ્યુઅલ ફંડ સ્કીમોએ બેન્ક ઓફ બરોડા, 23 સ્કીમ પંજાબ નેશનલ બેન્ક અને 17 સ્કીમ એસબીઆઈમાં ખરીદી છે. અન્ય બેંકોમાં પણ મ્યુચ્યુઅલ ફંડની ખરીદી અને હોલ્ડિંગમાં વધારો થયો છે. આગામી સમયમાં પણ બેન્કિંગ સેક્ટરમાં વધારો થાય તેવા સંકેતો છે.

વધુ રિટર્નને કારણે આકર્ષણ વધ્યું

જાહેર ક્ષેત્રની બેંકોના શેરમાં 66% સુધીનો વધારો જોવા મળ્યો
નિફ્ટી પ્રાઈવેટ બેંક ઈન્ડેક્સ સરેરાશ 21% વધ્યો
નિફ્ટી 50 ઇન્ડેક્સ માત્ર 5% વધ્યો
આ કારણે શેર વધ્યાં

નેટ એનપીએ 1.3 ટકા સાથે 10 વર્ષના તળિયે
જાહેર ક્ષેત્રની બેંકોમાં કુલ ધિરાણનો 56% થી વધુ હિસ્સો
વાર્ષિક ધિરાણ વૃદ્ધિ દર 14% થી વધુ

Read more

જેક્સનવિલે, ફ્લોરિડા એ 16 જૂનને 'શ્રી શ્રી રવિશંકર શાંતિ અને આરોગ્ય દિવસ' તરીકે જાહેર

જેક્સનવિલે, ફ્લોરિડા એ 16 જૂનને 'શ્રી શ્રી રવિશંકર શાંતિ અને આરોગ્ય દિવસ' તરીકે જાહેર

જેક્સનવિલે, ફ્લોરિડાએ ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરની આજીવન સેવા અને સમજ, એકતા અને ઉપચારને પ્રોત્સાહન આપવા માટે આર્ટ ઓફ લિવિંગના સતત પ્રયાસોને મા

By Gujaratnow
ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

• એર ઇન્ડિયા ફ્લાઇટ નંબર AI-171ની દુર્ભાગ્યપૂર્ણ ઘટનાથી સમગ્ર દેશ આઘાતમાં છે, આ અકસ્માતમાં માર્યા ગયેલા મુસાફરોના પરિવારો સાથે તમામ દેશવાસીઓ

By Gujaratnow
ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

શહેરના કોઠારિયા મેઇન રોડ પર રહેતી અને કાયદાનો અભ્યાસ કરતી 23 વર્ષીય યુવતીએ ગંજીવાડા-9માં રહેતા દેવરાજ વાલજી ગોહિલ નામના શખ્સ સામે દુ

By Gujaratnow