અંબાજી મંદિરે મોહનથાળનો પ્રસાદ બંધ કરવાની હિલચાલ

યાત્રાધામ અંબાજીમાં વર્ષોથી માઇભક્તોને અપાતો મોહનથાળનો પ્રસાદ બંધ કરવાની હિલચાલ ચાલી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે. જેને લઇ શ્રધ્ધાળુઓમાં નારાજગી પ્રસરી જવા પામી છે. જોકે,આ અંગે સત્તાવાર કોઇ સમર્થન સાંપડ્યું નથી. બીજી બાજુ પ્રસાદ બનાવવાનું કામ કરતી એજન્સીના સુત્રોના જણાવ્યા મુજબ નવો પ્રસાદ બનાવવાનો ઓર્ડર મળ્યો નથી.અને એકાદ દિવસ ચાલે તેટલો પ્રસાદ છે. ફેબ્રુઆરી 2023માં મોહનથાળના 5,93,810 પેકેટનું વેચાણ થયું હતુ. જ્યારે ચીકીના 62,343 પેકેટનું વેચાણ થયું હતુ. વર્ષ 2022માં 20 કરોડથી પણ વધુના મોહનથાળના પ્રસાદનું વિતરણ થયું હતુ.
મોહનથાળની સાથે ચીકી પણ અપાય છેે
શ્રાવણ માસમાં વહીવટી તંત્રે ચીકીના પ્રસાદને સામેલ કર્યો હતો. ફેબ્રુઆરીમાં મોહનથાળના 5,93,810 પેકેટ, ચીકીના 62,343 પેકેટનું વેચાણ થયું હતુ. 2022માં 20 કરોડથી પણ વધુના મોહનથાળના પ્રસાદનું વિતરણ થયું હતુ.
કલેક્ટર આ અંગે શું કહે છે?
અંબાજીમાં ચીકી માટે ટેન્ડર પૂરું થઈ ગયેલું હતું તે નવું આપ્યું છે ભોજન માટેનું પણ ટેન્ડર નવું આપ્યું છે. મોહનથાળનો હાલ સ્ટોક પડ્યો છે. એટલે નવા ટેન્ડરની સુચના આપી નથી.