દુનિયામાં સૌથી વધુ લોકો પાયલટ તો ભારતમાં લેખક બનવા માગે છે

દુનિયામાં સૌથી વધુ લોકો પાયલટ તો ભારતમાં લેખક બનવા માગે છે

દુનિયામાં મોટાભાગના લોકોને પાયલટની જોબ પસંદ છે, જ્યારે ભારતમાં મોટાભાગના લોકો લેખક બનવા માગે છે. તાજેતરમાં રેમિટલી કંપની દ્વારા કરવામાં આવેલા સર્વેમાં આ માહિતી સામે આવી છે. સારો પગાર તેમજ વિવિધ સુવિધાઓને જોતા લોકોને પાયલોટ બનવું વધારે પસંદ છે. રેમિટલીને ગૂગલ પર છેલ્લા 12 મહિનામાં નોકરીની શોધ કરતા લોકોનું વિશ્લેષણ કરીને આ અંગેનો રિપોર્ટ જાહેર કર્યો છે.

કંપનીએ 200 પ્રકારની જોબ સર્ચના આંકડાઓનું વિશ્લેષણ કર્યું છે. જેમાં અમેરિકા, કેનેડા, યુકે અને ઓસ્ટ્રેલિયા સહિત 25 દેશોના 9,30,630 લોકોએ પાયલોટ બનવા ગૂગલ સર્ચ કર્યું છે, જે ટોચ પર છે. જ્યારે બીજા નંબરે લેખક બનવા માટે 8,01,200 લોકોએ સર્ચ કર્યું હતું. ભારત સિવાય ન્યુઝીલેન્ડ અને દક્ષિણ આફ્રિકા સહિત 75 દેશો નોકરી માટે ગૂગલ પર સૌથી વધુ સર્ચ કરવામાં ટોચ પર છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે સારા પગાર, સારી સુવિધા તેમજ મુસાફરીની તકો માટે પાયલોટની નોકરી સૌથી વધુ લોકો પસંદ કરતા હોય છે.

ચીનમાં ‘ડાયટિશિયન’ ડ્રીમ જોબ...
ચીનમાં ડાયેટિશિયન બનવા ઈચ્છતા લોકોની સંખ્યા સૌથી વધુ છે. જર્મનીમાં પ્રોફેસર અને જાપાનમાં YouTuber બનવા લોકો ઇચ્છે છે.

જો પડોશી દેશોની વાત કરીએ તો પાકિસ્તાન, ભૂતાન અને બાંગ્લાદેશમાં પણ લેખક બનવા લોકો ઇચ્છે છે. આરબમાં મોટાભાગના લોકો કવિ બનવા માંગે છે, જ્યારે ઇજિપ્તમાં મોટા ભાગના ફૂટબોલ કોચ બનવા માગે છે.

Read more

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

બોલિવૂડના દિગ્ગજ એક્ટર સૈફ અલી ખાન અને એક્ટ્રેસ અમૃતા સિંહની દીકરી સારા અલી ખાને પોતાની મહેનત, સમર્પણ અને પ્રતિભાથી ઈન્ડસ્ટ્રીમાં પોતાનુ

By Gujaratnow
ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

રાજકોટનાં વિરાણી ચોકમાં આજે (12 ઓગસ્ટ) NSUI અને કોંગ્રેસનાં આગેવાનો દ્વારા લોકશાહી બચાવવા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસનાં આગેવાનોએ વિવિ

By Gujaratnow
અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

મદુરાઈના એક બારમાં હાર્દિકસિંહ જાડેજા નામનો શખ્સ બેઠો હતો. જો કે આ સમયે તેના મનમાં ઝડપાઈ જવાનો ડર હતો. જેથી તે તુરંત જ ત્યાંથી ભાગીને કેરળના કો

By Gujaratnow
વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

ગઈકાલે (10 ઓગસ્ટ,2025) નખત્રણામાં કચ્છ કડવા પાટીદાર સમાજના કાર્યક્રમમાં વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી.પટેલે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે

By Gujaratnow