વાળમાં મહેંદી લગાવ્યા બાદ મોટાભાગના લોકોને થાય છે આ મુશ્કેલીઓ, આ સરળ ટીપ્સ ફોલો કરો ચમકી ઉઠશે વાળ

વાળમાં મહેંદી લગાવ્યા બાદ મોટાભાગના લોકોને થાય છે આ મુશ્કેલીઓ, આ સરળ ટીપ્સ ફોલો કરો ચમકી ઉઠશે વાળ

આજકાલ નાની ઉંમરના લોકોને વાળ સફેદ થવાની ​​સમસ્યા થવા લાગી છે. જ્યારે ઘણા લોકો આ સમસ્યાને છુપાવવા માટે વાળમાં કલર લગાવે છે. પરંતુ ઘણા લોકો પોતાના વાળને સુંદર બનાવવા માટે મહેંદી લગાવે છે. પરંતુ વાળને ચમકદાર અને સુંદર બનાવવા માટે વાળમાં કેમિકલયુક્ત મહેંદી ન લગાવવી જોઈએ.‌

‌‌બજારમાં મળતી આવી મહેંદી તમારા વાળનો કુદરતી રંગ બગાડી શકે છે. ઉપરાંત તે તમારા વાળને ડ્રાય અને બેજાન બનાવે છે. આવી સ્થિતિમાં અમે તમને અહીં જણાવીશું કે મહેંદી લગાવ્યા પછી વાળને ડ્રાય થતા કઈ રીતે બચાવવા.

વાળને સુંદર બનાવવા માટે આ રીતે લગાવો મહેંદી‌‌મહેંદી લગાવ્યા પછી દહીંનો ઉપયોગ કરો‌‌

ઘણા લોકો મહેંદી લગાવ્યા પછી સીધા જ શેમ્પૂથી વાળ ધોઈ નાખે છે. તેનાથી વાળ ડ્રાય દેખાઈ શકે છે. તેથી જ્યારે પણ તમે વાળમાં મહેંદી લગાવો ત્યારે વાળમાં દહીંનું પેક લગાવો તેનાથી વાળની ​​ડ્રાયનેસ તો દૂર થશે જ સાથે જ ડેન્ડ્રફની સમસ્યા પણ દૂર થશે. આ માટે એક વાડકી દહીંમાં ઓલિવ ઓઈલ અને નારિયેળનું તેલ મિક્સ કરીને વાળમાં લગાવો.  

મહેંદીમાં મિક્સ કરો આમળા અને દહીં ‌‌

મહેંદી લગાવતી વખતે વાળની ​​ડીપ કન્ડિશનિંગ માટે તેમાં આમળા પાવડર અને દહીંનો ઉપયોગ કરો. આ સિવાય જો તમારા વાળ ખૂબ જ ડ્રાય હોય તો તમે ઈંડાનો ઉપયોગ કરો. તેનાથી વાળ મજબૂત થશે.

કેળા અને એલોવેરા જેલનો ઉપયોગો‌‌

વાળની ડ્રાયનેસ ઓછી કરવા માટે કેળા ઉપયોગી થઈ શકે છે. તેને લગાવવાથી તમારા વાળને ફાયદો થઈ શકશે. તે ઉપરાંત તમે મહેંદી લગાવ્યા બાદ કેળાનું માસ્ક લગાવો. તેનાથી વાળને પોષણ અને મજબૂતી મળશે. સાથે જ તમારા વાળ સોફ્ટ બનશે.

Read more

ચીનમાં બાળકને જન્મ આપવા બદલ સરકાર ₹1.30 લાખ આપશે

ચીનમાં બાળકને જન્મ આપવા બદલ સરકાર ₹1.30 લાખ આપશે

ચીનમાં સરકારે બાળકને જન્મ આપવા બદલ માતા-પિતાને 1.30 લાખ રૂપિયા આપવાનો નિર્ણય લીધો છે. જન્મ દરમાં સતત ઘટાડાને કારણે સરકારે આ પગલું ભર્યું છે. ચાઇના ડેઇલી

By Gujaratnow
બ્રિટિશ સેનામાં ટૂંક સમયમાં શીખ રેજિમેન્ટ બની શકે છે

બ્રિટિશ સેનામાં ટૂંક સમયમાં શીખ રેજિમેન્ટ બની શકે છે

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર લંડનના મેયર સાદિક ખાન પર હુમલો કર્યો છે. સ્કોટલેન્ડમાં બ્રિટિશ વડાપ્રધાન કીર સ્ટા

By Gujaratnow
રાજ્યસભામાં નડ્ડાએ કહ્યું- ખડગેએ માનસિક સંતુલન ગુમાવ્યું

રાજ્યસભામાં નડ્ડાએ કહ્યું- ખડગેએ માનસિક સંતુલન ગુમાવ્યું

મંગળવારે રાજ્યસભામાં ઓપરેશન સિંદૂર પર ચર્ચા દરમિયાન, ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની માફી માંગવી પડી. ખરેખર,

By Gujaratnow
રાજકોટના નિવૃત્ત ફોરેસ્ટ હેડ ક્લાર્કને ડિજિટલ અરેસ્ટ કર્યા, UPI દ્વારા 8.93 લાખ પડાવ્યા

રાજકોટના નિવૃત્ત ફોરેસ્ટ હેડ ક્લાર્કને ડિજિટલ અરેસ્ટ કર્યા, UPI દ્વારા 8.93 લાખ પડાવ્યા

રાજકોટમાં વધુ એક ડિજિટલ એરેસ્ટની ઘટના સામે આવી છે. શહેરના રૈયા સ્મશાન પાસે પાટીદાર ચોક નજીક રહેતા નિવૃત ફોરેસ્ટ હેડ ક્લાર્કને મહારા

By Gujaratnow