ડાકોર, પાવાગઢ સહિતનાં મંદિરોમાં 5 લાખથી વધુ ભક્તોની ભીડ

ડાકોર, પાવાગઢ સહિતનાં મંદિરોમાં 5 લાખથી વધુ ભક્તોની ભીડ

ગુરુ પુનમ ના પાવન પર્વ એ ખેડા જિલ્લાની સુપ્રસિદ્ધ ગુરુગાદી એવા વડતાલમાં ભગવાનના દર્શન કરવા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ ઉમટી પડ્યા હતા. ગુરુ પૂનમ હોય ભગવાન ને કરોડો રૂપિયાની કિંમત ના હીરા જડિત મુકુટ અને સોનાના હાર થી શણગાર કરવામાં આવ્યો હતો. સવારે 5.15 વાગ્યે મંગળા આરતી થી જ પ્રભુ ના દર્શન કરવા ભક્તો વડતાલ આવી પહોંચ્યા હતા.

શ્રી હરીને કરોડોના સોનાના દાગીના અને હીરા જડીત મુકુટનો શણગાર કરાયો
જે રાતે 9 વાગ્યા ની શયન આરતી સુધી માં 2 લાખ ભક્તોએ શ્રી હરીકૃષ્ણ મહારાજના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા. સવારે મંગળાઆરતી બાદ 7વાગે આચાર્ય પૂ. રાકેશપ્રસાદજી મહારાજે મંદિરમાં બિરાજમાન શ્રી હરિકૃષ્ણ મહારાજનું ગુરૂપૂજન કર્યું હતું. ત્યારબાદ વડતાલ મંદિરના સભામંડપમાં ભક્તો ધ્વારા કિર્તન આરાધના કરવામાં આવી હતી. સવારે 8.30 કલાકે આચાર્ય પૂ.રાકેશપ્રસાદજી મહારાજ સંપ્રદાયના વરિષ્ઠ સંતો સાથે સભામંડપમાં પધાર્યા હતા. જ્યાં સંપ્રદાયના વિદ્વાન કથાકાર નિત્યસ્વરૂપ સ્વામીનું આચાર્ય મહારાજે ફુલહાર પહેરાવી અભિવાદન કર્યું હતું.

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow