ડાકોર, પાવાગઢ સહિતનાં મંદિરોમાં 5 લાખથી વધુ ભક્તોની ભીડ

ડાકોર, પાવાગઢ સહિતનાં મંદિરોમાં 5 લાખથી વધુ ભક્તોની ભીડ

ગુરુ પુનમ ના પાવન પર્વ એ ખેડા જિલ્લાની સુપ્રસિદ્ધ ગુરુગાદી એવા વડતાલમાં ભગવાનના દર્શન કરવા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ ઉમટી પડ્યા હતા. ગુરુ પૂનમ હોય ભગવાન ને કરોડો રૂપિયાની કિંમત ના હીરા જડિત મુકુટ અને સોનાના હાર થી શણગાર કરવામાં આવ્યો હતો. સવારે 5.15 વાગ્યે મંગળા આરતી થી જ પ્રભુ ના દર્શન કરવા ભક્તો વડતાલ આવી પહોંચ્યા હતા.

શ્રી હરીને કરોડોના સોનાના દાગીના અને હીરા જડીત મુકુટનો શણગાર કરાયો
જે રાતે 9 વાગ્યા ની શયન આરતી સુધી માં 2 લાખ ભક્તોએ શ્રી હરીકૃષ્ણ મહારાજના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા. સવારે મંગળાઆરતી બાદ 7વાગે આચાર્ય પૂ. રાકેશપ્રસાદજી મહારાજે મંદિરમાં બિરાજમાન શ્રી હરિકૃષ્ણ મહારાજનું ગુરૂપૂજન કર્યું હતું. ત્યારબાદ વડતાલ મંદિરના સભામંડપમાં ભક્તો ધ્વારા કિર્તન આરાધના કરવામાં આવી હતી. સવારે 8.30 કલાકે આચાર્ય પૂ.રાકેશપ્રસાદજી મહારાજ સંપ્રદાયના વરિષ્ઠ સંતો સાથે સભામંડપમાં પધાર્યા હતા. જ્યાં સંપ્રદાયના વિદ્વાન કથાકાર નિત્યસ્વરૂપ સ્વામીનું આચાર્ય મહારાજે ફુલહાર પહેરાવી અભિવાદન કર્યું હતું.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow