તુર્કી-સીરિયામાં 36 હજારથી વધારે મોત

તુર્કી-સીરિયામાં 36 હજારથી વધારે મોત

તુર્કી અને સીરિયામાં 6 ફેબ્રુઆરીએ આવેલાં ભૂકંપે ખતરનાક તબાહી મચાવી છે. આ બંને દેશોમાં અત્યાર સુધી 36 હજારથી વધારે લોકોનું મૃત્યુ થઈ ગયું છે. આ દરમિયાન સીરિયાના રાષ્ટ્રપતિ બશર-અલ-અસદે તુર્કી સાથે જોડાયેલી 2 બોર્ડર ક્રોસિંગ ખોલવાની ઘોષણા કરી છે. જેના દ્વારા UN ભૂકંપ સાથે જોડાયેલી રાહત સામગ્રી સીરિયા મોકલી શકે. આવતાં 3 મહિના સુધી દેશવાસીઓની મદદ માટે આ બોર્ડર ખુલ્લી રહેશે. 2011માં સીરિયામાં શરૂ થયેલાં સિવિલ વોર પછી પહેલીવાર આ સીમાઓ ખોલવામાં આવી છે.

આ પહેલાં સોમવારે સંયુક્ત રાષ્ટ્ર(UN)એ કહ્યું હતું કે આ દુર્ઘટનામાં ઉત્તર-પશ્ચિમી સીરિયામાં લોકોની મદદ કરવામાં આખી દુનિયા અસફળ રહી છે. આ વિસ્તારમાં આતંકીઓનો કબજો છે. UNના જણાવ્યા પ્રમાણે સીરિયામાં 53 લાખ લોકો બેઘર થઈ શકે છે. બંને દેશોમાં 9 લાખ લોકોને તરત ગરમ ભોજનની જરૂરિયાત છે.

ત્યાં જ, તુર્કીના એક બિઝનેસ ગ્રુપના જણાવ્યા પ્રમાણે, આ દુર્ઘટનામાં દેશ ઉપર 84 બિલિયન ડોલર એટલે 6946 અબજ રૂપિયાના ખર્ચનો ભાર આવી શકે છે. જેમાં 70.8 બિલિયન ડોલર બિલ્ડિંગનું સમારકામ કરવામાં લાગશે. સરકારને 10.4 બિલિયન ડોલરનું નુકસાન થશે. દેશભરમાં કામ ઠપ થવાથી 2.9 બિલિયન ડોલરની હાનિ થશે.

Read more

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

બોલિવૂડના દિગ્ગજ એક્ટર સૈફ અલી ખાન અને એક્ટ્રેસ અમૃતા સિંહની દીકરી સારા અલી ખાને પોતાની મહેનત, સમર્પણ અને પ્રતિભાથી ઈન્ડસ્ટ્રીમાં પોતાનુ

By Gujaratnow
ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

રાજકોટનાં વિરાણી ચોકમાં આજે (12 ઓગસ્ટ) NSUI અને કોંગ્રેસનાં આગેવાનો દ્વારા લોકશાહી બચાવવા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસનાં આગેવાનોએ વિવિ

By Gujaratnow
અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

મદુરાઈના એક બારમાં હાર્દિકસિંહ જાડેજા નામનો શખ્સ બેઠો હતો. જો કે આ સમયે તેના મનમાં ઝડપાઈ જવાનો ડર હતો. જેથી તે તુરંત જ ત્યાંથી ભાગીને કેરળના કો

By Gujaratnow
વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

ગઈકાલે (10 ઓગસ્ટ,2025) નખત્રણામાં કચ્છ કડવા પાટીદાર સમાજના કાર્યક્રમમાં વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી.પટેલે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે

By Gujaratnow