મોરબીમાં રાજકીય પક્ષોમાં વિમાસણ

મોરબીમાં રાજકીય પક્ષોમાં વિમાસણ

મચ્છુ હોનારત, ભયાવહ ધરતીકંપ સહિત કાળની અનેક થપાટો સહન કરી એ ભયાનક યાદોને દિલમાં ધરબીને આગળ વધવા મથતી પ્રજાની વધુ એક કસોટી 30મી ઓક્ટોબરે થઇ. ઝૂલતો પુલ તૂટી પડતાં 135 જિંદગી પર કાયમ માટે પૂર્ણવિરામ મૂકાઇ ગયું અને એ દર્દનાક બીના એક સપ્તાહ વીત્યા છતાં નજર સામેથી ખસતી નથી. હૈયુ હચમચાવે એવી દુર્ઘટનાની પીડા લોકો ભૂલવા ઇચ્છે છે પણ કદી પુરાઈ ન શકાય એવી ખોટ તેમના હૃદયનો ભાર ઓછો થવા દેતી નથી અને ન્યાય, સહાયની ચાલતી ગડમથલ વચ્ચે ચૂંટણી કે મતદાનનો હરફ સુધ્ધાં ઉચ્ચારવા રાજી નથી.

માહોલ જામે તે પહેલાં જ સાવ ફિક્કો બની ગયો છે. ચૂંટણી જાહેરાત થઈ હવે ઉમેદવારના નામ નક્કી થવાની મથામણ ચાલી રહ્યા છે. પરંતુ મોરબીમાં ચૂંટણીની ચર્ચા નહીં પણ મોતનાં તાંડવની જ વાત છે. શહેરનો નહેરુ ગેટ ચોક, ગ્રીન ચોક, બાપાસીતારામ ચોક, પાનના ગલ્લાથી લઈને ચાની કીટલી... જ્યાં પણ જાઓ માત્ર દુર્ઘટનાની જ વાત હજુ લોક મોઢે છે. એવા સમયે રાજકીય પક્ષો ક્યાં મોઢે લોકો પાસે મત માગવા જવું તેવું વિચારી મૂંઝવણમાં મૂકાયા છે. પ્રચારમાં ક્યો મુદો લાવવો એ પણ વિમાસણ સર્જાય તેવી સ્થિતિ છે. રાજકીય પક્ષોને, ઉમેદવારોને મત માગવા સમયે તેમના રોષનો ભોગ તો નહીં બનવું પડે એવો વિચાર આવી જાય તેવી પરિસ્થિતિ છે.

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow