મોરબીમાં રાજકીય પક્ષોમાં વિમાસણ

મોરબીમાં રાજકીય પક્ષોમાં વિમાસણ

મચ્છુ હોનારત, ભયાવહ ધરતીકંપ સહિત કાળની અનેક થપાટો સહન કરી એ ભયાનક યાદોને દિલમાં ધરબીને આગળ વધવા મથતી પ્રજાની વધુ એક કસોટી 30મી ઓક્ટોબરે થઇ. ઝૂલતો પુલ તૂટી પડતાં 135 જિંદગી પર કાયમ માટે પૂર્ણવિરામ મૂકાઇ ગયું અને એ દર્દનાક બીના એક સપ્તાહ વીત્યા છતાં નજર સામેથી ખસતી નથી. હૈયુ હચમચાવે એવી દુર્ઘટનાની પીડા લોકો ભૂલવા ઇચ્છે છે પણ કદી પુરાઈ ન શકાય એવી ખોટ તેમના હૃદયનો ભાર ઓછો થવા દેતી નથી અને ન્યાય, સહાયની ચાલતી ગડમથલ વચ્ચે ચૂંટણી કે મતદાનનો હરફ સુધ્ધાં ઉચ્ચારવા રાજી નથી.

માહોલ જામે તે પહેલાં જ સાવ ફિક્કો બની ગયો છે. ચૂંટણી જાહેરાત થઈ હવે ઉમેદવારના નામ નક્કી થવાની મથામણ ચાલી રહ્યા છે. પરંતુ મોરબીમાં ચૂંટણીની ચર્ચા નહીં પણ મોતનાં તાંડવની જ વાત છે. શહેરનો નહેરુ ગેટ ચોક, ગ્રીન ચોક, બાપાસીતારામ ચોક, પાનના ગલ્લાથી લઈને ચાની કીટલી... જ્યાં પણ જાઓ માત્ર દુર્ઘટનાની જ વાત હજુ લોક મોઢે છે. એવા સમયે રાજકીય પક્ષો ક્યાં મોઢે લોકો પાસે મત માગવા જવું તેવું વિચારી મૂંઝવણમાં મૂકાયા છે. પ્રચારમાં ક્યો મુદો લાવવો એ પણ વિમાસણ સર્જાય તેવી સ્થિતિ છે. રાજકીય પક્ષોને, ઉમેદવારોને મત માગવા સમયે તેમના રોષનો ભોગ તો નહીં બનવું પડે એવો વિચાર આવી જાય તેવી પરિસ્થિતિ છે.

Read more

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

બોલિવૂડના દિગ્ગજ એક્ટર સૈફ અલી ખાન અને એક્ટ્રેસ અમૃતા સિંહની દીકરી સારા અલી ખાને પોતાની મહેનત, સમર્પણ અને પ્રતિભાથી ઈન્ડસ્ટ્રીમાં પોતાનુ

By Gujaratnow
ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

રાજકોટનાં વિરાણી ચોકમાં આજે (12 ઓગસ્ટ) NSUI અને કોંગ્રેસનાં આગેવાનો દ્વારા લોકશાહી બચાવવા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસનાં આગેવાનોએ વિવિ

By Gujaratnow
અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

મદુરાઈના એક બારમાં હાર્દિકસિંહ જાડેજા નામનો શખ્સ બેઠો હતો. જો કે આ સમયે તેના મનમાં ઝડપાઈ જવાનો ડર હતો. જેથી તે તુરંત જ ત્યાંથી ભાગીને કેરળના કો

By Gujaratnow
વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

ગઈકાલે (10 ઓગસ્ટ,2025) નખત્રણામાં કચ્છ કડવા પાટીદાર સમાજના કાર્યક્રમમાં વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી.પટેલે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે

By Gujaratnow