ઉચ્ચ કિંમતોથી મૂડીઝે ‘નેગેટિવ ક્રેડિટ આઉટલૂક’ રજૂ કર્યું

ઉચ્ચ કિંમતોથી મૂડીઝે ‘નેગેટિવ ક્રેડિટ આઉટલૂક’ રજૂ કર્યું

મૂડીઝે વર્ષ 2023 દરમિયાન ખાદ્યપદાર્થો તેમજ એનર્જીની ઉંચી કિંમતોને કારણે અર્થતંત્રની વૃદ્વિ રોકાવવાની અને સામાજીક તણાવ વધવાની શક્યતાને પગલે વિશ્વના દેશોની ક્રેડિટ યોગ્યતાને નેગેટિવ આઉટલૂક આપ્યું છે. તદુપરાંત નાણાકીય સ્થિતિ અને આર્થિક નુકસાન દેવાના બોજને બિનટકાઉ સ્તર તરફ ધકેલી દેશે, જ્યારે ઋણ ખર્ચમાં વધારાથી દેવા અંગેની ક્ષમતામાં ઘટાડો થશે.

વિશ્વના 13 દેશને આવરી લેવાયા છે. જ્યાં ભારત જેવો દેશ આગામી વર્ષે દેવાની ચૂકવણી માટે પોતાની કુલ આવકમાંથી 20 ટકા હિસ્સો ખર્ચ કરશે. મૂડીઝ જણાવ્યું હતું કે, વર્ષ 2023 માટે અમારો ધિરાણપાત્રતા માટેનો આઉટલુક નકારાત્મક છે. મોંઘવારી ઘટવાની શરૂઆત થશે પરંતુ ખાદ્યપદાર્થો અને એનર્જીની કિંમતો ઊંચી રહેશે જેને કારણે આર્થિક વૃદ્વિદર રુંધાશે તેમજ સામાજીક તણાવમાં વધારો થશે.

વર્ષ 2023 દરમિયાન ઉચ્ચ કિંમતો તેમજ સખત નીતિગત પગલાંને કારણે ગ્રાહક ખર્ચ, રોકાણ તેમજ ઇકોનોમિક સેન્ટિમેન્ટને અસર થતા વૈશ્વિક જીડીપી ગ્રોથ વર્ષ 2022ના 3 ટકાથી ઘટીને 1.7 ટકા રહેશે. એશિયા અન્ય દેશોને માત આપશે. ભારત જેવા વિશાળ એશિયન દેશોમાં સ્થાનિક વપરાશ, રોકાણ અને પ્રવાસન ક્ષેત્રે ફરીથી સામાન્ય થતા વૃદ્વિ 4.5 ટકાની આસપાસ રહેશે. વૈશ્વિક વૃદ્વિદર વર્ષ 2023માં ઘટશે અને 2024 દરમિયાન તે મંદ રહેશે.

Read more

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

બોલિવૂડના દિગ્ગજ એક્ટર સૈફ અલી ખાન અને એક્ટ્રેસ અમૃતા સિંહની દીકરી સારા અલી ખાને પોતાની મહેનત, સમર્પણ અને પ્રતિભાથી ઈન્ડસ્ટ્રીમાં પોતાનુ

By Gujaratnow
ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

રાજકોટનાં વિરાણી ચોકમાં આજે (12 ઓગસ્ટ) NSUI અને કોંગ્રેસનાં આગેવાનો દ્વારા લોકશાહી બચાવવા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસનાં આગેવાનોએ વિવિ

By Gujaratnow
અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

મદુરાઈના એક બારમાં હાર્દિકસિંહ જાડેજા નામનો શખ્સ બેઠો હતો. જો કે આ સમયે તેના મનમાં ઝડપાઈ જવાનો ડર હતો. જેથી તે તુરંત જ ત્યાંથી ભાગીને કેરળના કો

By Gujaratnow
વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

ગઈકાલે (10 ઓગસ્ટ,2025) નખત્રણામાં કચ્છ કડવા પાટીદાર સમાજના કાર્યક્રમમાં વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી.પટેલે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે

By Gujaratnow