Gujarat Now
બ્રેકિંગ
પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યોપાકિસ્તાની વહુ નીકળી ભારતીય જાસૂસપ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલુંભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશેભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાંપાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યોપાકિસ્તાની વહુ નીકળી ભારતીય જાસૂસપ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલુંભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશેભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં
✨ Gujarat

અંબાજીમાં ફરી મોહનથાળનો વિવાદ સરકારે ગુણવત્તાની ખાતરી માગી

Gujaratnow1 min read
અંબાજીમાં ફરી મોહનથાળનો વિવાદ સરકારે ગુણવત્તાની ખાતરી માગી

અંબાજી મંદિરમાં ચીકી અને મોહનથાળ વચ્ચેનું દ્વંદ્વ માંડ શમ્યું ત્યાં ફરીથી મોહનથાળને લઇને વિવાદ ખડો થયો છે. બનાસકાંઠાના તોલમાપ વિભાગે અંબાજી મંદિરના વહીવટદારને પત્ર લખીને કહ્યું છે કે અહીં મંદિરની ગાદી પરથી વેચાતા મોહનથાળને લઇને ફરિયાદ મળી છે, તે અન્વયે તમારે કાર્યવાહી કરવી જોઇએ. તોલમાપ વિભાગે મંદિરના વહીવટદારને કહ્યું છે કે આ પ્રસાદના પેકેટ પર ઉત્પાદકનું નામ, પિનકોડ સાથેનું સરનામું, વજન, કિંમત, મોહનથાળ બનાવ્યાની તારીખ અને એક્સપાઇરી ડેટ વગેરેનો ઉલ્લેખ હોવો જોઇએ.

ફરીથી મોહનથાળને લઇને વિવાદ ખડો થયો
આ બાબતે તોલમાપ વિભાગના ઇન્સ્પેક્ટર વી.વી. ચૌધરીએ જણાવ્યું કે અમારા ધ્યાનમાં આવ્યું હતું કે અંબાજી મંદિરમાં વેચાતો મોહનથાળનો પ્રસાદ પેકેટ પર જરૂરી ઉલ્લેખ ધરાવતો નથી. આ અગાઉ પણ એકાદ અઠવાડિયા પહેલા જ્યારે મંદિરમાં વેચાતા પ્રસાદ સંદર્ભે જ્યારે અમારી વહીવટદાર સાથે બેઠક થઇ હતી ત્યારે આદર્શ પ્રમાણ હોવું જરૂરી છે તેમ કહેવાયું હતું. તેમ છતાં આ મંદિરની ગાદી પરથી વેચાતા પ્રસાદમાં ક્યાંક આ બાબત ધ્યાનમાં આવતાં અમે વહીવટદારને પત્ર લખ્યો છે.

Gujaratnow1 min read

Related News