અંબાજીમાં ફરી મોહનથાળનો વિવાદ સરકારે ગુણવત્તાની ખાતરી માગી

અંબાજીમાં ફરી મોહનથાળનો વિવાદ સરકારે ગુણવત્તાની ખાતરી માગી

અંબાજી મંદિરમાં ચીકી અને મોહનથાળ વચ્ચેનું દ્વંદ્વ માંડ શમ્યું ત્યાં ફરીથી મોહનથાળને લઇને વિવાદ ખડો થયો છે. બનાસકાંઠાના તોલમાપ વિભાગે અંબાજી મંદિરના વહીવટદારને પત્ર લખીને કહ્યું છે કે અહીં મંદિરની ગાદી પરથી વેચાતા મોહનથાળને લઇને ફરિયાદ મળી છે, તે અન્વયે તમારે કાર્યવાહી કરવી જોઇએ. તોલમાપ વિભાગે મંદિરના વહીવટદારને કહ્યું છે કે આ પ્રસાદના પેકેટ પર ઉત્પાદકનું નામ, પિનકોડ સાથેનું સરનામું, વજન, કિંમત, મોહનથાળ બનાવ્યાની તારીખ અને એક્સપાઇરી ડેટ વગેરેનો ઉલ્લેખ હોવો જોઇએ.

ફરીથી મોહનથાળને લઇને વિવાદ ખડો થયો
આ બાબતે તોલમાપ વિભાગના ઇન્સ્પેક્ટર વી.વી. ચૌધરીએ જણાવ્યું કે અમારા ધ્યાનમાં આવ્યું હતું કે અંબાજી મંદિરમાં વેચાતો મોહનથાળનો પ્રસાદ પેકેટ પર જરૂરી ઉલ્લેખ ધરાવતો નથી. આ અગાઉ પણ એકાદ અઠવાડિયા પહેલા જ્યારે મંદિરમાં વેચાતા પ્રસાદ સંદર્ભે જ્યારે અમારી વહીવટદાર સાથે બેઠક થઇ હતી ત્યારે આદર્શ પ્રમાણ હોવું જરૂરી છે તેમ કહેવાયું હતું. તેમ છતાં આ મંદિરની ગાદી પરથી વેચાતા પ્રસાદમાં ક્યાંક આ બાબત ધ્યાનમાં આવતાં અમે વહીવટદારને પત્ર લખ્યો છે.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow