મોદીએ રામમંદિરમાં ધ્વજા ફરકાવી તો પાકિસ્તાનને પેટમાં દુખ્યું

મોદીએ રામમંદિરમાં ધ્વજા ફરકાવી તો પાકિસ્તાનને પેટમાં દુખ્યું

ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે પાકિસ્તાનને કહ્યું કે તેઓ લઘુમતીઓ પરના અત્યાચાર અને કટ્ટરતા પર ભાષણ ન આપે. પાકિસ્તાનનો લઘુમતીઓ પરના અત્યાચારોનો લાંબો ઇતિહાસ છે. તેમને અન્ય કોઈ દેશને સલાહ આપવાનો કોઈ અધિકાર નથી.

પાકિસ્તાને અયોધ્યામાં રામ મંદિર પર પીએમ મોદીના ધ્વજ ફરકાવવાનો વિરોધ કર્યો હતો. પાકિસ્તાની વિદેશ મંત્રાલયે મંગળવારે જણાવ્યું હતું કે આ ભારતમાં ધાર્મિક લઘુમતીઓ પર વધતા દબાણ અને મુસ્લિમ વારસાને ભૂંસી નાખવાના પ્રયાસનો એક ભાગ છે.

પાકિસ્તાને કહ્યું કે જે જગ્યાએ પહેલા બાબરી મસ્જિદ હતી, ત્યાં હવે રામ મંદિર બનાવવામાં આવ્યું છે. પાકિસ્તાને દાવો કર્યો કે બાબરી મસ્જિદ ઘણી સદીઓ જૂનું ધાર્મિક સ્થળ હતું. 6 ડિસેમ્બર 1992ના રોજ તેને ભીડે તોડી પાડ્યું હતું.

પીએમ મોદીએ મંગળવારે મંદિરના શિખર પર ધ્વજારોહણ કર્યું. તેમણે સવારે 11.50 વાગ્યે અભિજીત મુહૂર્તમાં 2 કિલોની કેસરિયા ધ્વજા 161 ફૂટ ઊંચા શિખર પર ફરકાવી.

પાકિસ્તાને કહ્યું કે ભારતની અદાલતોએ આ મામલે જે લોકો પર આરોપ હતા, તેમને નિર્દોષ છોડી મૂક્યા અને તે જ જમીન પર મંદિરના નિર્માણની પરવાનગી આપી દીધી. આ લઘુમતીઓ સાથે ભેદભાવનું મોટું ઉદાહરણ છે.

પાકિસ્તાને આરોપ લગાવ્યો કે ભારતમાં ધાર્મિક લઘુમતીઓ, ખાસ કરીને મુસ્લિમો પર દબાણ વધી રહ્યું છે. પાકિસ્તાનનો દાવો છે કે ભારતની ઘણી ઐતિહાસિક મસ્જિદો ખતરામાં છે. મુસ્લિમોને સામાજિક, આર્થિક અને રાજકીય રીતે હાંસિયામાં ધકેલવામાં આવી રહ્યા છે.

પાકિસ્તાને આંતરરાષ્ટ્રીય સમુદાયને અપીલ કરી કે તે ભારતમાં વધતા ઇસ્લામોફોબિયા, નફરત અને મુસ્લિમો પરના હુમલાઓ પર ધ્યાન આપે. પાકિસ્તાને UN અને આંતરરાષ્ટ્રીય સંગઠનોને કહ્યું કે તેઓ ભારતમાં લઘુમતીઓના ધાર્મિક સ્થળો અને તેમના અધિકારોની સુરક્ષા માટે પગલાં ભરે.

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow