મોદીએ કહ્યું- આતંકવાદ સામે જોર્ડનની વિચારસરણી ભારત જેવી

મોદીએ કહ્યું- આતંકવાદ સામે જોર્ડનની વિચારસરણી ભારત જેવી

PM નરેન્દ્ર મોદીએ હુસૈનિયા પેલેસ ખાતે જોર્ડનના રાજા અબ્દુલ્લા સાથે મુલાકાત કરી હતી. હુસૈનિયા પેલેસ ખાતે પહોંચ્યા બાદ, તેમનું ઔપચારિક સ્વાગત કરવામાં આવ્યું હતું. બંને નેતાઓએ દ્વિપક્ષીય મુલાકાત પણ કરી હતી.

મોદીએ મુલાકાત દરમિયાન જણાવ્યું હતું કે ભારત અને જોર્ડન આતંકવાદ સામે સમાન દ્રષ્ટિકોણ ધરાવે છે. તેમણે ઉષ્માભર્યા સ્વાગત માટે રાજા અબ્દુલ્લાનો આભાર માન્યો હતો. તેમણે ખાતર અને ડિજિટલ ટેકનોલોજીમાં સહયોગ વધારવા વિશે પણ વાત કરી હતી.

કિંગ અબ્દુલ્લાએ પીએમની મુલાકાત દરમિયાન થયેલા કરારો અને સમજૂતી કરારો પર સંતોષ વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે આ કરારો બંને દેશો વચ્ચે સહયોગને વધુ મજબૂત બનાવશે અને ભાગીદારી માટે નવા માર્ગો ખોલશે.

કિંગ અબ્દુલ્લાએ જણાવ્યું હતું કે પીએમ મોદીની મુલાકાત ભારત અને જોર્ડન વચ્ચે દાયકાઓ જૂની મિત્રતા, પરસ્પર આદર અને અર્થપૂર્ણ સહયોગ દર્શાવે છે.

Read more

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow