મોદીએ બ્રિટિશ કિંગ ચાર્લ્સને એક છોડ ભેટમાં આપ્યો

વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે બ્રિટનના સેન્ડ્રિંગહામ હાઉસ ખાતે રાજા ચાર્લ્સ સાથે મળ્યા હતા. આ દરમિયાન તેમણે 'એક પેડ માં કે નામ' પહેલ હેઠળ રાજાને એક ખાસ છોડ ભેટમાં આપ્યો હતો. આ છોડ આ શિયાળામાં વાવવામાં આવશે.
આ પહેલા પીએમ મોદીએ વડાપ્રધાન કીર સ્ટારમર સાથે મસાલા ચા પીધી હતી અને કેટલાક યુવા ક્રિકેટરો સાથે તસવીરો પડાવી હતી. તેમણે કીર સ્ટારમર પાસેથી ખાલિસ્તાની આતંકવાદીઓ સામે કાર્યવાહીની પણ માંગ કરી હતી.
મોદીએ બ્રિટિશ પીએમને કહ્યું કે લોકશાહીને નબળી બનાવવા માટે લોકશાહી સ્વતંત્રતાનો દુરુપયોગ કરનારાઓ સામે કડક કાર્યવાહી થવી જોઈએ.
સમાચાર એજન્સી ANI અનુસાર, મોદીએ કહ્યું કે સ્વતંત્રતાના નામે લોકશાહીને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરનારાઓને જવાબદાર ઠેરવવા મહત્વપૂર્ણ છે. પીએમ મોદીએ આ વાત એવા સમયે કહી જ્યારે બ્રિટનમાં ખાલિસ્તાન સમર્થકોનો પ્રભાવ વધી રહ્યો છે.