Gujarat Now
બ્રેકિંગ
પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યોપાકિસ્તાની વહુ નીકળી ભારતીય જાસૂસપ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલુંભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશેભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાંપાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યોપાકિસ્તાની વહુ નીકળી ભારતીય જાસૂસપ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલુંભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશેભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં
Politics

કોંગ્રેસની યાત્રામાં મોદી-મોદીના નારા

Gujaratnow1 min read
કોંગ્રેસની યાત્રામાં મોદી-મોદીના નારા

રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા સોમવારે મોટા ગણપતિ ચોકથી શરૂ થઈ હતી. સાંવર રોડ મોર્ડન ચોકડી પાસે યાત્રા દરમિયાન 2 યુવાનોએ મોદી-મોદીના નારા લગાવ્યા હતા. રાહુલ ગાંધીએ રોકીને કહ્યું- તેમને બોલાવો. ત્યાં સુધીમાં બંને યુવકો નાસી ગયા હતા.

કોંગ્રેસના નેતાઓના જણાવ્યા અનુસાર મોટા ગણપતિથી નીકળેલી યાત્રા જિનસી ચારરસ્તા થઈને કિલા મેદાન થઈને મરીમાતા ચારરસ્તા પહોંચશે. આ પછી, યાત્રા ધારાસભ્ય સંજય શુક્લાના ઘરની સામે બાણગંગા થઈને લવકુશ ચારરસ્તા જશે. લવકુશ ચારરસ્તાથી અરવિંદો હોસ્પિટલ થઈને ચારરસ્તાથી આગળ, તે ધારાસભ્ય સંજય શુક્લાના ફોર્મ હાઉસ પર લંચ બ્રેક માટે રોકાશે. ભારત જોડો યાત્રા રવિવારે મહૂ-રઈ થઈને ઈન્દોર પહોંચી હતી. આ યાત્રા સોમવારે સાંજે રાત્રિ રોકાણ કરશે.

એમપીની આર્થિક રાજધાની ગણાતા ઈન્દોરમાં રાહુલ ગાંધીનું ધ્યાન વેપારીઓ અને તેમને લગતા મુદ્દાઓ પર હતું. તેમણે રાજબાડા ખાતે સભામાં સંબોધન કરતાં ફરી એકવાર નોટબંધી અને GST મુદ્દે ભાજપ સરકારને ઘેરી હતી. તેમણે કહ્યું કે જે કામ ચીનની સેના કરી શકતી નહોતી, તે કામ આ બંને પોલીસીઓએ કર્યું છે.

Gujaratnow1 min read

Related News