બિલ્ડરે ગૌચર વેચ્યાની રાવ સાથે ટોળાં આવ્યા પણ આવેદનમાં ભૂમાફિયાનો ઉલ્લેખ જ નહીં

બિલ્ડરે ગૌચર વેચ્યાની રાવ સાથે ટોળાં આવ્યા પણ આવેદનમાં ભૂમાફિયાનો ઉલ્લેખ જ નહીં

પારડી ગામે ગૌચરની જમીન ઉપર રહેણાક મકાનો બની જતા ગ્રામપંચાયત દ્વારા દબાણકર્તાઓને નોટિસ પાઠવવામાં આવી હતી. જેને લઈને પારડી ગામથી ટોળુે કલેક્ટર કચેરી ખાતે આવી હલ્લાબોલ કર્યો હતો. પારડી ગામે ગૌચરની જમીન પર દબાણ હટાવવાની કાર્યવાહી ચાલી રહી છે. આ દરમિયાન સામે આવ્યુ હતુ કે ભુમાફિ્યાઓએ ખાનગી જમીન ગણાવી ગૌચર પર છ સોસાયટી ઉભી કરી છે.

ટોળાંઓમાં મહિલાઓહે સૂચિતની જમીન કહી ગૌચરની જમીન વેચવામાં આવી હતી. જો અમને ખબર હોત કે આ જમીન ગૌચરની છે તો અમે વેચાતી લેત જ નહીં. જો કે આગેવાનોએ આવેદનપત્રમાં છેતરપિંડી થયાનો કે ભૂમાફિયાઓનો ક્યાંય ઉલ્લેખ જ નથી. પણ એવી માંગ કરવામાં આવી છે કે, ગૌચરની જમીન રહેવા માટે કાયદેસર કરી અપાય.

કલેક્ટર કચેરી બહાર એવા નારા લાગતા હતા કે, બિલ્ડરો દ્વારા અમને છેતરવામાં આવ્યા છે, અમારી સાથે છેતરપિંડી કરવામાં આવી છે. પરંતુ કલેક્ટરને આપવામાં આવેલા આ આવેદનપત્રમાં ભૂમાફિયાઓએ લોકો સાથે છેતરપિંડી કરી હોય તેવો ક્યાંય ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. કલેક્ટર બાદ પ્રાંત અધિકારી અને જિલ્લા વિકાસ અધિકારીને પણ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

જિલ્લા વિકાસ અધિકારીએ જણાવ્યું હતું કેે પારડી ગામે ગૌચરની જમીન રેગ્યુલાઈઝ કરી આપવાની માંગ કરતા હતા પરંતુ તે શક્ય નથી. કોર્ટે પણ આ લોકોને પોતાના આધાર પુરાવા રજૂ કરવા કહ્યું છે. જો 15 દિવસમાં લોકો ડોક્યુમેન્ટ્સ રજૂ નહીં કરી શકે તો પગલાં લેવા પડશે.

આવેદન અને નારેબાજીની ભીન્નતા અંગે વિસ્તારના આગેવાન ડી.ડી. સોલંકીએ એવો ખુલાસો કર્યો છે કે, હાલ તો ડિમોલિશનની કામગીરી અટકે તેવા પ્રયાસો છે પહેલા ગ્રામપંચાયતને પુરાવા રજૂ કરીશું. બાદમાં બિલ્ડરો સામે ફરિયાદ કરીશું પણ સરકારે ફરિયાદી બનવું જોઈએ.

Read more

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

બોલિવૂડના દિગ્ગજ એક્ટર સૈફ અલી ખાન અને એક્ટ્રેસ અમૃતા સિંહની દીકરી સારા અલી ખાને પોતાની મહેનત, સમર્પણ અને પ્રતિભાથી ઈન્ડસ્ટ્રીમાં પોતાનુ

By Gujaratnow
ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

રાજકોટનાં વિરાણી ચોકમાં આજે (12 ઓગસ્ટ) NSUI અને કોંગ્રેસનાં આગેવાનો દ્વારા લોકશાહી બચાવવા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસનાં આગેવાનોએ વિવિ

By Gujaratnow
અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

મદુરાઈના એક બારમાં હાર્દિકસિંહ જાડેજા નામનો શખ્સ બેઠો હતો. જો કે આ સમયે તેના મનમાં ઝડપાઈ જવાનો ડર હતો. જેથી તે તુરંત જ ત્યાંથી ભાગીને કેરળના કો

By Gujaratnow
વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

ગઈકાલે (10 ઓગસ્ટ,2025) નખત્રણામાં કચ્છ કડવા પાટીદાર સમાજના કાર્યક્રમમાં વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી.પટેલે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે

By Gujaratnow