મની પ્લાન્ટ કરતાં પણ વધારે શુભ હોય છે આ 5 છોડ, ઘરમાં રાખતા જ વધે છે ધન અને વૈભવ

મની પ્લાન્ટ કરતાં પણ વધારે શુભ હોય છે આ 5 છોડ, ઘરમાં રાખતા જ વધે છે ધન અને વૈભવ

ઘરમાં મની પ્લાન્ટનો છોડ રાખવાથી આર્થિક સમૃદ્ધી વધે છે

આર્થિક ઉન્નતિ માટે લોકો પોતાના ઘરમાં મની પ્લાન્ટનો છોડ રાખે છે. વાસ્તુ મુજબ ઘરમાં મની પ્લાન્ટનો છોડ રાખવાથી આર્થિક સમૃદ્ધી વધે છે. કહેવાય છે કે જે ઘરમાં મની પ્લાન્ટનો છોડ હોય છે, ત્યાં ક્યારેય રૂપિયા-પૈસાની અછત રહેતી નથી.

અળસીનો છોડ- વાસ્તુ મુજબ જે ઘરના બગીચા, છત અથવા બાલકનીમાં અળસીનો છોડ લગાવેલો હોય છે, ત્યાં ક્યારેય ધનની કમી થતી નથી. ઘરની સામે અળસીનો છોડ લગાવવાના અન્ય ઘણા ફાયદા થાય છે. સંતાન પ્રાપ્તિ માટે પણ ઘરની સામે આ છોડને લગાવવા શુભ માનવામાં આવે છે. ઘરમાં હંમેશા સુખ-શાંતિનો માહોલ રહે છે.

તુલસીનો છોડ- ઘરમાં તુલસીનો છોડ રાખવો અત્યંત શુભ હોય છે. એવુ કહેવાય છે કે તુલસી માં લક્ષ્મીનુ સ્વરૂપ હોય છે. જે ઘરમાં તુલસીનો છોડ હોય છે, ત્યાં શ્રી હરિ ભગવાન વિષ્ણુની કૃપા હંમેશા રહે છે. ઘરમાં તુલસી રાખવાથી તમને આરોગ્યનુ વરદાન પ્રાપ્ત થાય છે, પરંતુ ધનના ભંડાર પણ ક્યારેય ખાલી થતા નથી.

શ્વેતાર્ક- શ્વેતાર્કના પાન અને તેની ડાળીઓ તોડવાથી તેમાંથી દૂધ જેવો સફેદ પદાર્થ નિકળે છે. આ છોડને ગણપતિજીનુ પ્રતિક માનવામાં આવે છે. વાસ્તુમાં આ છોડને ઘરમાં રાખવો અત્યંત શુભ જણાવવામાં આવ્યો છે. શ્વેતાર્કનો છોડ ઘરમાં રાખવાથી સુખ-શાંતિ અને સમૃદ્ધી આવે છે.

જેડ પ્લાન્ટ- તમે ઘણા લોકોના ઘરની છત અને બાલકનીમાં જેડ પ્લાન્ટ રાખેલો જોયો હશે. જેને ક્રસુલા ઓવાટા પણ કહેવામાં આવે છે. ફેંગશુઈમાં આ છોડને ખૂબ ચમત્કારી જણાવવામાં આવ્યો છે.

Read more

રાજકોટ-જામનગર રોડ પર સાંઢિયાપુલની કામગીરી વખતે ટેકા ખસી જતા સ્લેબ નમી ગયો

રાજકોટ-જામનગર રોડ પર સાંઢિયાપુલની કામગીરી વખતે ટેકા ખસી જતા સ્લેબ નમી ગયો

જૂનાગઢના માંગરોળ તાલુકામાં બ્રિજનો સ્લેબ ધરાશાયી થયાના 17 દિવસમાં જ રાજકોટમાં નિર્માણાધીન બ્રિજમાં ગાબડું પડ્યું છે. રાજકોટ-જામનગર હાઈવે પર નિ

By Gujaratnow
ભારતમાં બનેલા iPhone પર અમેરિકામાં 25% ટેરિફ નહીં

ભારતમાં બનેલા iPhone પર અમેરિકામાં 25% ટેરિફ નહીં

ટ્રમ્પની નવી ટેરિફ નીતિ ભારતમાંથી અમેરિકા મોકલવામાં આવતા iPhones પર કોઈ અસર કરશે નહીં. અમેરિકન રાષ્ટ્રપતિએ 1 ઓગસ્ટ, 2025થી ભારતીય માલ પર 25% ટેરિફની જાહે

By Gujaratnow
અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં હ્યુમન ફેક્ટર સ્પેશિયાલિસ્ટ સામેલ

અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં હ્યુમન ફેક્ટર સ્પેશિયાલિસ્ટ સામેલ

કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન રાજ્યમંત્રી મુરલીધર મોહોલે ગુરુવારે સંસદમાં જણાવ્યું હતું કે અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં માનવ પરિબળ નિષ્

By Gujaratnow