મલયાલમ એક્ટ્રેસ રિની જ્યોર્જે કહ્યું, 'પાર્ટી પણ મારું સાંભળતી નથી, ફરિયાદ કરીશ તો મારા જીવને જોખમ છે'

મલયાલમ એક્ટ્રેસ રિની જ્યોર્જે કહ્યું, 'પાર્ટી પણ મારું સાંભળતી નથી, ફરિયાદ કરીશ તો મારા જીવને જોખમ છે'

મલયાલમ એક્ટ્રેસ રિની એન જ્યોર્જે એક યુવાન રાજકારણી પર તેની સાથે અયોગ્ય વર્તન કરવાનો આરોપ લગાવ્યો છે. રિનીએ 20 ઓગસ્ટના રોજ કોચીમાં પ્રેસ સાથે વાત કરી હતી અને આરોપ લગાવ્યો હતો કે, કેરળના એક જાણીતા રાજકીય પક્ષના એક અગ્રણી યુવા નેતા છેલ્લા ત્રણ વર્ષથી તેની સાથે અયોગ્ય વર્તન કરી રહ્યા છે. તેણે દાવો કર્યો હતો કે, તેણે પાર્ટીના વરિષ્ઠ નેતાઓને ફરિયાદ કરી હતી, પરંતુ તેઓએ તેને અવગણી હતી.

હિન્દુસ્તાન ટાઈમ્સના અહેવાલ મુજબ, બુધવારે કોચીમાં મીડિયા સાથે વાત કરતી વખતે, રિનીએ કહ્યું કે, 'હું સોશિયલ મીડિયા દ્વારા રાજકારણીના સંપર્કમાં આવી હતી. રાજકારણીનું અયોગ્ય વર્તન ત્રણ વર્ષ પહેલાં શરૂ થયું હતું, જ્યારે મને પહેલી વાર તેમના તરફથી વાંધાજનક સંદેશા મળ્યા હતા.' તેણે કહ્યું, 'જ્યારે મેં તેમને ખુલ્લા પાડવાની ધમકી આપી હતી, ત્યારે તેમણે કહ્યું હતું કે, તું જઈને કોઈને પણ કહી શકે છે. કોને વાંધો છે?'

એક્ટ્રેસે એવો પણ આરોપ લગાવ્યો હતો કે, રાજકારણીએ ઘણી અન્ય મહિલાઓને પણ હેરાન કરી છે. પરંતુ મીડિયા સાથે વાત કરતી વખતે, તેણે સ્પષ્ટતા કરી કે તેણે કોઈ અસોલ્ટ (શારીરિક હુમલો)નો સામનો કર્યો નથી પરંતુ તેને ફક્ત વાંધાજનક સંદેશાઓ મોકલવામાં આવ્યા છે. રિની કહે છે કે, તેણે એક વખત કહ્યું હતું કે, 'ચાલો કોઈ ફાઇવ સ્ટાર હોટેલમાં રૂમ બુક કરીએ, તારે આવવું જોઈએ. પરંતુ પછીથી તેણે મને ફરીથી મેસેજ કરવાનું શરૂ કર્યું.'

રિનીનો એવો પણ દાવો છે કે, તેણે તે નેતા વિરુદ્ધ પાર્ટીના વરિષ્ઠ સભ્યોને ફરિયાદ કરી હતી, પરંતુ કાર્યવાહી કરવાને બદલે, તેને એક મહત્વપૂર્ણ પદ આપવામાં આવ્યું હતું. જોકે, એક્ટ્રેસે હજુ સુધી તેની વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી નથી. આ પાછળનું કારણ સમજાવતા તે કહે છે - 'જો હું ફરિયાદ નોંધાવીશ, તો હું મારી જાતને જોખમમાં મૂકીશ. આ પરિણામ આવશે.' તેણીએ કહ્યું, 'હું દેશની મહિલાઓને જનપ્રતિનિધિઓ સમજદારીપૂર્વક પસંદ કરવા વિનંતી કરું છું.' તેણીએ એમ પણ કહ્યું કે, તે સંબંધિત રાજકીય પક્ષને શરમજનક સ્થિતિમાં મૂકવા માંગતી નથી.

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow