નારિયેળ તેલમાં મિક્સ કરીને લગાવો ફક્ત આ એક વસ્તુ, સફેદ વાળ પણ થઈ જશે કાળા

નારિયેળ તેલમાં મિક્સ કરીને લગાવો ફક્ત આ એક વસ્તુ, સફેદ વાળ પણ થઈ જશે કાળા

ઘણા લોકો સફેદ વાળથી પરેશાન રહે છે. સમય પહેલા સફેદ થઈ રહેલા વાળ ખરાબ ડાયેટ, જેનેટિક્સ, વાળમાં પોષણની કમી, વાતાવરણ અને ખરાબ જીવનશૈલી સાથે જોડાયેલી આદતોનું પરિણામ હોઈ શકે છે. એવામાં આ સફેદ વાળને સમય રહેતા કાળા કરવા જરૂરી છે.

અહીં તમને નારિયેળ તેલના અમુક ઘરેલુ ઉપાયો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેના ઉપયોગથી વાળને કાળા કરી શકાય છે. આ ઉપાયોની અસર ધીરે-ધીરે દેખાય છે પરંતુ પ્રભાવ લાંબા સમય સુધી રહે છે અને આ નુસ્ખા સંપૂર્ણ રીતે પ્રાકૃતિક પણ છે.‌

નારિયેળ તેલ અને મીઠો લીમડા
મીઠા લીમડામાં સફેદ નાળને કાળા કરવાના પ્રાકૃતિક ગુણ હોય છે. વિટામિન બીથી ભરપૂર લીમડો હેર ફોલિકલ્સના કાળા રંગને યથાવત રાખવાનું કામ કરે છે અને વાળને સફેદ થવાથી રોકે છે. તેમાં બીટા-કેરાટિન પણ હોય છે જે વાળને મૂળમાંથી સફેદ થવાથી રોકવામાં કારગર છે.

માટે ઉપયોગ માટે મુઠી ભરીને મીઠો લીમડાના પાન લઈને તેને એક કપ નારિયેળ તેલમાં શેકી લો. જ્યારે પાન કાળા થઈ જાય તો તેલને ગેસ પરથી ઉતારી લો ઠંડુ કરી તેને એક શીશીમાં ભરી લો. આ તેલ તમારે અઠવાડિયામાં 2થી 3 વખત લગાવવાનું રહેશે.

નારિયેળ તેલ અને એલોવેરા
એલોવેરા જેલનો ઉપયોગ ત્વચા અને વાળ પર લાંબા સમયથી કરવામાં આવે છે. જેનું મુખ્ય કારણ તેના અનેક ગુણોથી ભરપૂર હોવાનું છે. વાળને કાળા કરવા માટે એક બાઉલમાં 2 ચમચી નારિયેળ તેલ, 2 ચમચી એલોવેરા જેલ અને 2 ચમચી લીંબુનું તેલ લો અને તેને સારી રીતે મિક્સ કરો. આ માસ્કને વાળના મૂળથી છેડા સુધી લગાવો અને લગભગ અડધા કલાક સુધી માથા પર રાખ્યા બાદ ધોઈ લો. આ માસ્ક અઠવાડિયામાં બે વાર વાપરી શકાય છે.

નારિયેળ તેલ અને મહેંદી
સામાન્ય રીતે વાળમાં મહેંદી લગાવ્યા પછી સફેદ વાળ લાલ થઈ જાય છે. પરંતુ જો તમે આ રીતે મહેંદી લગાવશો તો વાળ સફેદ નહીં પણ કાળા થવા લાગશે. આ માટે એક બાઉલમાં એક ચમચી એલોવેરા જેલ સાથે 2 ચમચી નારિયેળ તેલ અને 2 ચમચી મહેંદી મિક્સ કરો. આ મિશ્રણને મિક્સ કર્યા બાદ 20 થી 25 મિનિટ સુધી વાળમાં રાખો અને માથું ધોઈ લો. જો તમે તેને અઠવાડિયામાં એકવાર પણ લગાવો છો, તો તેની અસર સારી રહેશે.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow