મિત્રતાની અનોખી કહાની ! બે મહિલાઓ એટલી પાક્કી બહેનપણી હતી કે હંમેશા સાથે રહે એ માટે થઇને એક જ યુવક સાથે કરી લીધા લગ્ન!

મિત્રતાની અનોખી કહાની ! બે મહિલાઓ એટલી પાક્કી બહેનપણી હતી કે હંમેશા સાથે રહે એ માટે થઇને એક જ યુવક સાથે કરી લીધા લગ્ન!

આપણે ઘણી વાર સાંભળ્યું છે કે પ્રેમના આગમનને કારણે મિત્રતામાં તિરાડ પડે છે. આપણે ફિલ્મો અને પુસ્તકોમાં ઘણી વખત જોયું અને વાંચ્યું છે કે પ્રેમ મિત્રને દૂર લઈ જાય છે. પરંતુ દુનિયાએ ભાગ્યે જ એવી મિત્રતા જોઇ હશે, જેને નિભાવવા માટે બે છોકરીઓએ એક જ વ્યક્તિ સાથે લગ્ન કર્યા. સામાન્ય રીતે કોઈ પણ વ્યક્તિ પોતાનો પ્રેમ શેર કરવા નથી ઇચ્છતું. પરંતુ આ બંને મહિલાઓએ એક જ છોકરા સાથે ખુશીથી લગ્ન કર્યા છે. તેનું કારણ એ છે કે આ બંને ગાઢ મિત્રો છે. તેમાંથી એકના લગ્ન બાદ બંનેએ અલગ થવું પડ્યું હતું.

આવી સ્થિતિમાં, બંનેએ લગ્ન પછી પણ કાયમ સાથે રહેવા માટે આ રીતે શોધી અને પછી એક જ વ્યક્તિ સાથે લગ્ન કર્યા. લગ્ન બાદ આ બંને મિત્રો એક જ ઘરમાં રહે છે. મિત્રતાની આ અનોખી કણની પાકિસ્તાનના મુઝફ્ફરગઢમાં રહેતા બે મિત્રોની છે. અહીં રહેતી શહનાઝ અને નૂરે એજાઝ નામની વ્યક્તિ સાથે લગ્ન કર્યા છે. એજાઝ પોતાની આજીવિકા માટે સિલાઇકામ કરે છે. ડેઇલી પાકિસ્તાન ગ્લોબલ નામની યુટ્યુબ ચેનલ સાથે વાત કરતા શહનાઝે જણાવ્યું કે પહેલા તેણે એજાઝ સાથે લગ્ન કર્યા હતા.

લગ્ન બાદ શહનાઝ તેની મિત્ર નૂરથી દૂર થઇ ગઇ હતી. આ દરમિયાન નૂર હંમેશા શહેનાઝના ઘરે જતી હતી પરંતુ બંને પહેલાની જેમ સાથે નહોતા. આવી સ્થિતિમાં નૂરે વિચાર્યું કે તે શહેનાઝના પતિ સાથે લગ્ન કરશે જેથી બંને મિત્રો સાથે રહી શકે. નૂર શહનાઝ સાથે એક જ ઘરમાં રહેવા માંગતી હતી, જેથી તેમની વચ્ચેનું અંતર સમાપ્ત થઇ જાય. જ્યારે નૂરે આ વિશે શહનાઝને જણાવ્યું તો તેને પણ આ યોગ્ય લાગ્યુ. આ પછી તેણે તેના પતિ એજાઝને નૂર સાથે લગ્ન કરવા વિશે પૂછ્યું અને તે રાજી થઈ ગયો.

આ પછી બંને મિત્રો એક જ વ્યક્તિ સાથે લગ્ન કરીને એક જ ઘરમાં ખુશીથી રહે છે. લગ્નથી શહેનાઝને બે બાળકો છે અને નૂરને એક બાળક છે. સમય વીતવા છતાં બંને મિત્રો વચ્ચેનો પ્રેમ એવો જ છે. આ અંગે શહનાઝનું કહેવું છે કે તે પોતાના પતિ સાથે લડી શકે છે પરંતુ નૂર સાથે ક્યારેય નહીં. કારણ કે તે પોતે જ નૂરને તેના ઘરે લાવી છે. ત્યાં નૂર કહે છે કે તેને શહનાઝથી ક્યારેય કોઇ ફરિયાદ નથી. આ ત્રણેય તેમના જીવનમાં ખુશ છે. સાથે જ તેમના પતિ એજાઝ પણ બંને સાથે ખુશીથી જીવી રહ્યા છે.

Read more

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

બોલિવૂડના દિગ્ગજ એક્ટર સૈફ અલી ખાન અને એક્ટ્રેસ અમૃતા સિંહની દીકરી સારા અલી ખાને પોતાની મહેનત, સમર્પણ અને પ્રતિભાથી ઈન્ડસ્ટ્રીમાં પોતાનુ

By Gujaratnow
ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

રાજકોટનાં વિરાણી ચોકમાં આજે (12 ઓગસ્ટ) NSUI અને કોંગ્રેસનાં આગેવાનો દ્વારા લોકશાહી બચાવવા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસનાં આગેવાનોએ વિવિ

By Gujaratnow
અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

મદુરાઈના એક બારમાં હાર્દિકસિંહ જાડેજા નામનો શખ્સ બેઠો હતો. જો કે આ સમયે તેના મનમાં ઝડપાઈ જવાનો ડર હતો. જેથી તે તુરંત જ ત્યાંથી ભાગીને કેરળના કો

By Gujaratnow
વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

ગઈકાલે (10 ઓગસ્ટ,2025) નખત્રણામાં કચ્છ કડવા પાટીદાર સમાજના કાર્યક્રમમાં વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી.પટેલે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે

By Gujaratnow