વાળમાં સ્મૂધનિંગ કરાવવાની ન કરતા ભૂલ, જાણી લો તેનાથી થતા નુકસાન વિશે

વાળમાં સ્મૂધનિંગ કરાવવાની ન કરતા ભૂલ, જાણી લો તેનાથી થતા નુકસાન વિશે

ઘણા લોકો વાળમાં અળગ અલગ હેર ટ્રીટમેન્ટ્સ કરાવે છે. ખાસ કરીને મહિલાઓ. મહિલાઓ વાળને સ્ટ્રેટ અને સિલ્કી બનાવવા માટે વાળમાં હેર સ્મૂધનિંગ કરાવે છે.  

આ એક પ્રકારે કેમિકલ ટ્રીટમેન્ટ છે જે વાળને સીધા અને સિલ્કી કરે છે. હેર સ્મૂધનિંગથી ફ્રિઝી અને ડેમેજ વાળને સીધા અને મુલાયમ કરવામાં આવે છે.

આ ટ્રીટમેન્ટને કરવાથી વાળ એક વર્ષ સુધી સીધા રહે છે. આ વાળની હેલ્થ માટે ખૂબ જ નુકસાનકારક છે. એવુ એટલા માટે કારણ કે આ ટ્રીટમેન્ટને કરવા માટે વાળ પર અમીનો એસિડની પરત લાગી જાય છે. જ્યાર બાદ વાળને હાઈ હીટ પર સ્ટ્રેટ કરવામાં આવે છે. આમ કરવાથી વાળ મૂળમાંથી કમજોર થઈ જાય છે.

વાળમાં હેર સ્મૂધનિંગ કરવાના નુકસાન
પાતળા થઈ જાય છે વાળ
જો તમે વારંવાર ટ્રીટમેન્ટ વાળમાં હેર સ્મૂધનિંગ કરો છો તો તેનાથી વાળના સ્વાસ્થ્ય પર ખૂબ જ ખરાબ અસર પડે છે. એવું એટલા માટે કારણ કે હેર સ્મૂધનિંગ વખતે ઘણા કેમિકલ્સનો ઉપયોગ કરવામાં આવે છે. તેના કારણે વાળના સ્વાસ્થ્ય પર અસર પડે છે. તેનાથી વાળ ઉપરથી તો હેલ્ધી દેખાય છે પરંતુ મૂળમાંથી કમજોર થઈ જાય છે અને તેનાથી તૂટલા લાગે છે જેના કારણે વાળ પાતળા થઈ જાય છે.

હેર ફોલની સમસ્યા વધે છે
હેર સ્મૂધનિંગ વખતે વાળ પર કેમિકલની પરત ચઢાવવામાં આવે છે જેનાથી વાળને ખૂબ જ નુકસાન થાય છે. વાળ પર હિટિંગ અને આયરનિંગના કારણે વાળ કમજોર થઈ જાય છે જેના કારણે વાળમાં હેર ફોલ, બે મોઢા વાળા વાળ અને ડેન્ડ્રફની સમસ્યા વધી જાય છે.

Read more

જેક્સનવિલે, ફ્લોરિડા એ 16 જૂનને 'શ્રી શ્રી રવિશંકર શાંતિ અને આરોગ્ય દિવસ' તરીકે જાહેર

જેક્સનવિલે, ફ્લોરિડા એ 16 જૂનને 'શ્રી શ્રી રવિશંકર શાંતિ અને આરોગ્ય દિવસ' તરીકે જાહેર

જેક્સનવિલે, ફ્લોરિડાએ ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરની આજીવન સેવા અને સમજ, એકતા અને ઉપચારને પ્રોત્સાહન આપવા માટે આર્ટ ઓફ લિવિંગના સતત પ્રયાસોને મા

By Gujaratnow
ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

• એર ઇન્ડિયા ફ્લાઇટ નંબર AI-171ની દુર્ભાગ્યપૂર્ણ ઘટનાથી સમગ્ર દેશ આઘાતમાં છે, આ અકસ્માતમાં માર્યા ગયેલા મુસાફરોના પરિવારો સાથે તમામ દેશવાસીઓ

By Gujaratnow
ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

શહેરના કોઠારિયા મેઇન રોડ પર રહેતી અને કાયદાનો અભ્યાસ કરતી 23 વર્ષીય યુવતીએ ગંજીવાડા-9માં રહેતા દેવરાજ વાલજી ગોહિલ નામના શખ્સ સામે દુ

By Gujaratnow